SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કરતાં થતાંશ પણ વનમાં મૂકે એ વધુ આવશ્યક છે. એ આવશ્યક તત્ત્વ દશવૈકાલિકમાંથી મળી શકે તેમ છે કારણ કે તેમાં સંયમી જીવનના કડક નિયમ અને સાથે સાથે તેના પાલનની પ્રેરણા પણ છે. તે અપેક્ષાએ જિજ્ઞાસુ વર્ગમાં જેટલું ઉત્તરાધ્યયન આદર પામ્યું છે તેટલુંજ દશવૈકાલિક પણ પામે તે આશા અસ્થાને નથી. પદ્ધતિ ઉત્તરાધ્યયનની પદ્ધત્તિમાં જે જે દ્રષ્ટિબિંદુએ રાખવામાં આવ્યાં હતાં તે તે દશવૈકાલિકમાં પણ રાખવામાં આવ્યા છે. માત્ર ફેર એટલેાજ કે ઉત્તરાધ્યયન કરતાં દશવૈકાલિકમાં સંપાદકીય તૈાંધા ઉમેરે વધુ પ્રમાણમાં કર્યાં છે. જો તે ન કર્યાં હાત તે મૂળ શ્લેકાના અને સમજવામાં મુશ્કેલી પડત. એટલે તેમ સમજી એટલા ઉપયેગી ઉમેરાની આવશ્યક્તા પૂરી પાડવામાં આવી છે. જો કે અમુક વ માત્ર ભાષાદ્રષ્ટિએજ મૂળને અનુવાદ કરવે તેટલુંજ અનુવાદકનું કાર્યક્ષેત્ર માને છે. પણ મને લાગે છે કે મૂળ ચનના ઉદ્દેશ જ્યાં જ્યાં મૂળ કથનના વાક્યેામાં પરિપૂર્ણ ન થતા હાય અથવા તે કથન કઈ અપેક્ષાએ કહેવાયેલું છે તે સ્પષ્ટ થતું ન હાય ત્યાં ત્યાં તેને વ્યક્ત કરવા ઘટતા પ્રયત્ન કરવા તે પણ અનુવાદકનું અનિવાર્ય કર્તવ્ય છે. કાઈપણું ભાષાના ગદ્યાનુવાદ કરતાં પદ્યાનુવાદ કરવામાં આ વસ્તુની વિશેષ ચેાસી રાખવાની હોય છે. જો કે સમથ નાની પુરુષોના કથનમાં ન્યૂનતા સંભવતી નથી. કે તેની પૂર્તિની આવશ્યક્તા હાય. પરંતુ જ્ઞાનીજનેાના વક્તવ્યમાં ગાંભીય અવશ્ય હાય છે, અને તે ગાંભીર્યને સ્પાર્થ જો ન આપવામાં આવે તેા વાચકવર્ગની જિજ્ઞાસા ઘણીવાર અતૃપ્ત રહી જવાના સંભવ છે. તેવા પ્રસંગે એ વકતવ્યના હૃદયને સ્પષ્ટ અને રાચક ભાષામાં વ્યક્ત કરવા સારું અનુવાદક પેાતાની વિવેકશકિત અને ભાવનાને શુભ ઉપયેાગ કરે તે તે અપ્રાસંગિક તા ન જ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy