SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૩. આજની ભૂગોળ – ખગોળ પર વિમર્શ. લે. પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા. આજની અંદાજ અને કલ્પનાના ઘોડા પર આરૂઢ થઈ કલ્પી કઢાયેલી ભૂગોળ – ખગોળ નવી પ્રજાનાં મન બહેકાવી નાંખે છે અને પ્રાચીન આર્ય મહર્ષિઓએ અહિંસા, સંયમ અને તપથી પ્રાપ્ત કરેલ દિવ્ય દષ્ટિથી નિહાળેલ વાસ્તવિક ભૂગોળ ખગોળ પર અશ્રદ્ધા કરાવી દે છે પરિણામે આધુનિકોને એ વિચારવા શક્તિ પણ નથી તો પછી આધુનિક માન્યતાઓ પર ઊઠતા સવાલોનું કેમ? દા.ત. આજની માન્યતા કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. એમ કહે છે તો સવાલ એ છે કે ઉત્તર અમેરિકાનો માનવી દક્ષિણ - અમેરિકામાં જાય ત્યારે એ દક્ષિણ ગોળાર્ધ પર ઊપરની અપેક્ષાએ શું હવામાં લટકતો ચાલે છે? દા.ત. અહીં જ કોઈ બહુ મોટા ગોળા ઉપર ચાલતો ચાલતો આગળ વધી નીચેના ગોળાર્ધ પર ચાલી શકશે? અગર કહો કે ગુરુત્વાકર્ષણથી પૃથ્વીના નીચેના ગોળાર્ધ પર વાંધો ન આવે તો જ્યારે નીચેના ગોળાર્ધ પર માણસ ઊંચો કૂદકો મારે ત્યારે તો એ ગુરુત્વાકર્ષણથી વધુ બળવાળો થવાથી જ ઊંચે કૂદી શક્યો. એટલે કે, ગુરુત્વાકર્ષણની ઝડપમાંથી બહાર નીકળી ગયો તો પછી એ નીચે આકાશમાં જ પડે ને...? વળી આજની માન્યતા મુજબ ચંદ્ર પૃથ્વી પર ખેંચાઈનથી આવતો. એ પરસ્પરના ગુરુત્વાકર્ષણના લીધે છે, તો ચંદ્રની પેલી બાજુ ખેંચી રાખનાર બીજો ગ્રહ માનવો પડે. જો એમ હોય તો સમગ્ર ગ્રહોના બ્રહ્માંડ વર્તુળની પરિધિ પર છેડે રહેલા ગ્રહોને હવે ઉપરની બાજુ ખેંચી રાખનાર ગ્રહો નથી. તો એ કેમ અંદરની બાજુનાં ગ્રહોથી પોતાના તરફ ખેંચાઈ ન જાય? પૃથ્વી અને ગ્રહોને થાળી જેવો ગોળ માનનારને આવી આપત્તિઓ નથી... વળી કહે છે “પૂર્વમાંથી પશ્ચિમ તરફ જનારુ વહાણ ફરીને પૂર્વમાં જ આવે છે માટે પૃથ્વી ગોળ છે – તો સવાલ એ છે કે એમ ઉત્તરથી દક્ષિણ તરફ જનારુ વહાણ કેમ કરીને ફરીને ઉત્તરમાં નથી આવતું? એ જ બતાવે છે કે પૃથ્વી ચારે તરફથી ગોળ નથી.” આજની માન્યતામાં પૃથ્વી ધરી ઊપર ફરી રહી છે. પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે તો સવાલ એ છે કે સૂર્યની વિમુખ ભાગ ફરતો ફરતો સૂર્યની સન્મુખ આવ્યો ત્યારે સૂર્યોદય થયો એ વખતે ધોળો સૂર્ય લાલ કેમ દેખાય છે? તે પાછો થોડી જ વારમાં સફેદ કેમ દેખાય છે? તો પછી સાંજે તો દિવસના તપેલું વાતાવરણ સૂર્યાસ્ત તરફ જાય છે તો એ વખતે પાછો સૂર્ય કેમ લાલ દેખાય છે? પૃથ્વી સ્થિર માનનારને સૂર્યને ફરતો માનનાર તો કહી શકે કે સૂર્ય ઉદયાચલની કિનારીની અંદર હોય ત્યારે સૂર્યનાં કિરણ લાલ ઉદયાચલ પર પડી રિફલેકશન પ્રત્યાઘાતો થતાં જે લાલ પ્રતિકિરણ ઊઠે છે. એમાંથી નીચેના પૃથ્વીના માનવીને સૂર્યલાલદેખાય એ સહજ છે. તે થોડી વારમાં સૂર્ય ઉદયાચલની કિનારીની બહાર નીકળી આવતાં હવે સૂર્યનાં કિરણો પર્વત પર અથડાઈ થતાં રિફલેકશન પેલી બાજુ જવાનાં.... તેથી અહીંથી સૂર્ય સફેદદેખાય એ સહજ છે. આજની માન્યતા ચંદ્રને તેજ વિનાનો ચળકતો (ભાસ્વર) પદાર્થ કહે છે. જે સૂર્યનાં કિરણ ઝીલી એનું રિફલેકશન પૃથ્વી પર પાડે છે તેથી ચંદ્ર પ્રકાશમય દેખાય છે. પરંતુ આના પર સવાલ એ છે કે તો (૩૩૬ } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy