SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી 噹 JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથને જોયા | વાંચ્યા બાદ આવેલ અભિપ્રાયઃ પત્રોની કાંઈક આંશિક ઝલક... અતિ-અતિ પરિશ્રમ કરી તૈયાર કરેલ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામનું દલદાર ગ્રંથ મને મળ્યો... ગ્રંથનું અવલોકન કર્યુ. ખરેખર તમારો આપ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે. આ રીતે દર્શન મોહનીયનાં ક્ષયોપશમસાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ જબરજસ્ત ક્ષયોપશમકર્યો છે પરિણામે ચારિત્રમોહનીયનો પણ ક્ષયોપક્ષમકર્યો છે... તમોને તથા સહયોગ કરનાર સૌને મારા ખુબ ખુબ વંદન... ૫. પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિ મ. સા. F સુવિનિત મુનિવર ચારિત્રરત્નવિજયજી ! અનુવંદના... તમારા દ્વારા સંપાદિત JAIN COSMOLOGY ગ્રંથ મળ્યો. જૈનશાસનના સિદ્ધાંતોની પારદર્શકતા અને તેની સત્યતાને દર્શાવતો તમારો આ પ્રયત્ન સ્તુત્ય છે. મિથ્યા વિજ્ઞાન પાછળ અંધ બનેલી યુવાપેઢીને સત્ય વિજ્ઞાનનું દર્શન કરાવતું આ પ્રકાશન સંપૂર્ણ જૈનશાસનમાં આવકાર્ય છે. તત્ત્વજ્ઞાનના માર્ગ દ્વારા તત્ત્વની સાચી પરિણતિને પામી વહેલામાં વહેલી તકે સર્વજ્ઞતા - સર્વદર્શીપણાના સૌ માલિક બનો... એ જ શુભેચ્છા... ૫. પૂ. ગચ્છા. આ. શ્રી પુણ્યપાલસૂરિ મ. સા. આ. વિ. હેમચંદ્રસૂરિજી ત૨ફથી અનુવંદના... સુખશાતા... સૌ શાતામાં છે, તમે બધા કુશળ ? JAIN COSMOLOGY ગ્રંથ મળ્યો. ખુબ સુંદર તૈયાર થયેલ છે. જૈન ધર્મના વિરાટ અને ગહન પદાર્થોને સંક્ષેપમાં અને સરળ ભાષામાં સંગ્રહિત કરવાનો તમારો આ પ્રયાસ ખરેખર ખુબજ અનુમોદનીય છે. વિજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવનારાઓને પણ આ પદાર્થોના અભ્યાસથી ખ્યાલ આવે કે જૈન ધર્મના તત્ત્વો કેટલા વૈજ્ઞાનિક પણ છે. વિજ્ઞાનની શોધો અને સંશોધનો - સિદ્ધાંતો ફરતાં છે ત્યારે જૈન ધર્મના તત્ત્વો અને સિદ્ધાંતો ત્રિકાલાબાધિત અને અફર છે, તમારા સ્તુત્ય પ્રયાસની ફરી ફરી અનુમોદના કરું... પ. પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ. સા. 呀 32 સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા [ મુનિ ચારિત્રાત્નવિનયી... અનુવંવના... મુવાતા... જોવિન પૂર્વ હ્રીઁ JAIN COSMOLOGY ग्रंथ मिला, देखकर मन प्रसन्न हो गया । भूगोल जैसे शुष्क व निरस विषय जनसाधारण की दृष्टि से....,. बाकी तो जैनदर्शन में द्रव्यानुयोग की ही प्रधानता है... उसमें भी इस विषय को सुंदर व सुवाच्य शैली में ग्रंथ प्रकाशन कर शासन की सुंदर सेवा प्रदान की है। सम्यग्ज्ञान के क्षेत्र में भगीरथ पुरुषार्थ करनेवाले तुम्हारा नाम तो "ज्ञानरत्न" होना चाहिए था, खैर पूज्योने सोचकर ही नाम रखा होगा आखिर ज्ञान का फल तो विरति अर्थात् " चारित्र" ही है। ज्ञान के महासागर में डुबकी लगानेवाले ही एसे ग्रंथो का नवसर्जन कर सकते है ... खुब खुब बधाई । प. पू. आ. श्री रत्नसेनसूरि Jain Education International ➖➖➖➖ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy