SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા વૃક્ષથી પણ પ્રકાશ થાય છે.) જેથી યુગલિક ક્ષેત્રોમાં કોઈ સ્થાને જ્યોતિરંગથી સૂર્યસરખો તીવ્ર પ્રકાશ હોય છે, અને કોઈ સ્થાને દીપાંગવૃક્ષથી દીપ સરખો પ્રકાશ પણ હોય છે. I૪ ૬. ચિત્ર ઋત્વવૃક્ષ : વિત્ર = વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ = એટલે કારણરૂપ એવાં વૃક્ષો તે ચિત્રાંગ કલ્પવૃક્ષો. આ વૃક્ષોનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલાં હોય છે, માટે યુગલિકોને પુષ્પમાળાઓ પહેરવામાં આ વૃક્ષો ઉપયોગી છે. જ ૭. ત્રિરસ વાત્પવૃક્ષ: ચક્રવર્તી આદિ મહાપુરુષોના વખતે જેવા પ્રકારની રસવતીઓ ક્ષીર દૂધપાક, શીખંડ, બાસુંદી, મોદક, મીઠાઈઓ, ભાત, દાળ, શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભોજનોના સ્વાદવાળાં ફળાદિ આ વૃક્ષનાં હોવાથી વિત્ર = વિચિત્ર રસ = રસવતીઓ ભોજનોનું સં = કારણ તે વિન્નરસાં વૃક્ષો એવું નામ છે. આ વૃક્ષોના ફળાદિકથી યુગલિકોની સર્વપ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે. જ ૮, મળ્યું "વૃક્ષ : અહીં મણિરત્ન સુવર્ણાદિકના હાર-અર્ધહાર ઇત્યાદિ આભરણો તે મfor તેનું સં= કારણભૂત જે વૃક્ષો તે મળ્યું વૃક્ષ. અથવા મણિએટલે મણિરત્ન વગેરેના ઝંડા = આભરણ રૂપ અવયવો તે મર્યંગ.... એવો પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્પહાર મુકુટ, કંડલ, નુપૂર, કંકણ, બહિરખાં ઇત્યાદિ આભરણો રૂપે પરિણામ પામેલાં હોય છે. જેથી યુગલિક સ્ત્રી તથા પુરુષોને પોતાના સર્વ અંગનાં આભૂષણોની પ્રાપ્તિમાં આ વૃક્ષો ઉપયોગી છે અને યુગલિકો એ જ આભરણો પહેરે છે. જ છે. ગૃહજાર સ્પવૃક્ષ : આ વૃક્ષો તથાસ્વભાવથી જ વિવિધ પ્રકારના ઘરોના આકારમાં પરિણામ પામેલ હોય છે, અને તે પણ એક માળ કે અનેક માળવાળાં ત્રિકોણાદિ અનેક આકારના વિવિધ રચના યુક્ત ગૃહો હોય છે. યુગલિકોને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરવો હોય ત્યારે આ વૃક્ષો ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયોગી બને છે. (અહીં ફળાદિ ગૃહઆકારે નહીં પરંતુ પૂર્ણ વૃક્ષ જ ગૃહ આકારે જાણવું.) ૨૦. નિયતિ (મનન) પવૃક્ષ : ઉપર કહેલા નવ પ્રકારના પદાર્થોથી નિયત = જુદા જુદા પદાર્થો આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતોમાં ગણિ એ પદથી મનન ઋત્પવૃક્ષ એવું નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષોથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાંતના વસ્ત્ર આસન આદિ વિવિધ પદાર્થો પૂરનાર આ ૧૦મું કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી નગ્ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરનાર આ ૧૦મું અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળો આદિ દેવદૂષ્ય વગેરે ઉત્તમ જાતિનાં વસ્ત્રોરૂપે સ્વભાવથી જ પરિણમેલાં હોય છે. માટે એ ૧૦મું કલ્પવૃક્ષ યુગલિકોને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયોગી બને જ ૨૫9. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy