________________
નમસ્કારની વસા
શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી એ નમસ્કારની પાંચ વસ્તુ છે. એ પાંચ વસ્તુને નમસ્કાર કરવા માટે પાંચ હેતુઓ છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયતા. એ પાંચ કારણો માટે પાંચને નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે
मग्गो अविप्पणासो, आयारो विणयया सहायत्तं । पंचविहनमोक्करं, करेमि एएहिं हेउहि ॥ १ ॥ માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયકતા એ પાંચ કારણો વડે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું
પાંચ હેતુઓમાં પ્રથમ માર્ગહેતુ છે. ભવઅટવીમાં માર્ગદર્શક શ્રી અરિહંત પરમાત્માઓ હોવાથી તેઓના એ માર્ગદર્શક ગુણને લઈ તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કેમાર્ગ હતું
अडवीए देसियत्तं, तहेव निजामया समुदंमि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ॥१॥
ભવાટવીમાં માર્ગદર્શક હોવાથી, ભવસમુદ્રમાં નિમક હોવાથી, તથા ભવવનમાં છકાય જીવોની રક્ષાર્થે મહાગોપ હોવાથી, શ્રી અરિહંતદેવો મહાસાર્થવાહ, મહાનિર્ધામક અને મહાગોપ કહેવાય છે. શ્રી અરિહંતદેવોનો એક મહાન ઉપકાર છે. સાર્થવાહ
શ્રી અરિહંતદેવરૂપી સાર્થવાહો ભવ્ય આત્મારૂપી મુસાફરોને ધર્મકથારૂપી ઉદ્ઘોષણા દ્વારા સાધુમા અને શ્રાવકમાર્ગરૂપી સરળ અને વક્રમાર્ગે, ઈણિતપુર શ્રી મુક્તિનગરમાં લઈ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષરૂપી વ્યાપદોથી તથા ક્રોધાદિ કષાયોરૂપી દાવાગ્નિ આદિના ભયોથી ભવ્ય આત્માઓને બચાવી લે છે. વિષયો રૂપી વિષફળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમરૂપી હિતકર ફળોનો આસ્વાદ લેતા બનાવે છે. બાવીશ પરીષણોરૂપી પિશાચોથી રક્ષણ કરે છે. પાસસ્થાદિ અકલ્યાણ મિત્રોરૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે અને નિત્યોદ્યમરૂપી અપ્રમાદી પ્રયાણવડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ન મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે. નિયમિક
શ્રી અરિહંતદેવો, ભવોદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવ-નિર્ધામકો છે. સમુદ્રમાં જેમ અનુકૂળ-પ્રતિકૂળ અનેક પ્રકારના વાયરાઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયરાઓ અને સમ્યકત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઈ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્ધામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઈ સમ્યકત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્ય-જીવરૂપી પોતો (નાવડીઓ)ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધારવડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઈપ્તિસ સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે. મહાગોપ
ગોપાલકો જેમ સર્પ-સ્થાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિવડે પોષણ કરે છે, તેમ પજીવનિકાયરૂ૫ ગાયોને શ્રી અરિહંત પરમાત્મારૂપી રક્ષકો વ્યાધિ જરા મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિબે નિર્વાણપથે પહોંચાડે છે.
નું ઐલોક્યદીપક મહામંત્રાધિરાજ MS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org