________________
નમસ્કાર પૂજ્યનો માનવામાં વાંધો શો?
ઉત્તર - પૂજ્ય એ આકાશની જેમ પૂજારૂપ ફળના ઉપજીવી નથી તેથી પૂજકની પૂજારૂપ ફળ પૂજ્યનું નથી. જે જેનો અનુપજીવી હોય. તેનું તે ફળ ન કહેવાય. જેમ દહ્યમાન અગરુકર્પરાદિનો ધૂપ પ્રસરે તો તેની સુવાસાદિનું ફળ આકાશનું નથી કહેવાતું, કિન્તુ તેના ઉપજીવક દેવદત્તનું જ કહેવાય છે તેમ અહીં પણ શ્રી વીતરાગાદિ તેમની પૂજાના અનુપજીવક હોવાથી તેમની પૂજાનું ફળ તેમનું નથી કિન્તુ પૂજકનું જ છે. પ્રત્યક્ષ દેખાતો નમસ્કાર પણ નમસ્કાર્યના ઉપકાર માટે થાય છે એમ નથી, કિન્તુ નમસ્કાર કરનારના ઉપકાર માટે જ થાય છે તેથી તે નમસ્કાર કરનારનો જ છે. નમસ્કારનું અનન્તર ફળ પરિણામની વિશુદ્ધિ છે અને પરમ્પર ફળ સ્વર્ગાપવર્ગાદિની પ્રાપ્તિ છે. એ ઉભય ફળ પૂજકને જ પ્રાપ્ત થાય છે, તેથી નમસ્કાર એ પૂજ્યનો ન કહેવાય કિન્તુ પૂજકનો જ કહેવાય એ જ વાતને ટૂંકાણમાં નીચે મુજબ કહી શકાય. ૧. નમસ્કાર કરનારનો છે, કરનારને આધીન હોવાથી, જે જેને આધીન હોય તે તેનું જ કહેવાય છે
ધનની જેમ. ૨. નમસ્કાર કરનારનો છે, કરનારના ગુણ (જ્ઞાન, ક્રિયા અને શબ્દોરૂપ હોવાથી. ૩. નમસ્કાર કરનારનો છે, નમસ્કારના ફળનો ભોક્તા કરનાર હોવાથી. ૪. નમસ્કાર કરનારનો છે, નમસ્કારના કારણભૂત કર્મનો ક્ષયોપશમ કરનારમાં જ હોવાથી. કાર્ય
કારણ સિવાય અન્યત્ર હોઈ શકે નહિ. ૫. નમસ્કાર કરનારનો છે, કરનારના પરિણામરૂપ હોવાથી. શદાદિ નયોનો ઉત્તર
શબ્દાદિ નયોના મતે નમસ્કારના ઉપયોગરૂપ જ્ઞાન એ જ નમસ્કાર છે, કિન્તુ શબ્દને અને ક્રિયા એ નમસ્કાર નથી. આ નયો માત્ર જ્ઞાનવાદી હોવાથી શ્રી જિનેશ્વરાદિ કે તેમની પ્રતિમાદિનો નમસ્કાર છે એમ વિશેષ કરીને માનતા નથી. માત્ર તદુપયોગવાન પૂજકનો જ નમસ્કાર છે એમ સ્વીકારે છે. સાધન
નમસ્કારનું સાધન શું છે?” અથવા “નમસ્કાર શાથી પ્રાપ્ત થાય?' – એ ત્રીજું પ્રરૂપણાનું દ્વાર છે. એનો ઉત્તર એ છે કે – “નમસ્કારાવરણીય કર્મના ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. એ ક્ષયોપશમ નિસર્ગથી પણ થાય છે અને અધિગમથી પણ થાય છે.
પ્રશ્ન:-નમસ્કારાવરણીય કર્મ એટલે શું?
ઉતર :- નમસ્કારને આવનાર કર્મ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શન મોહનીય છે. એને જ નમસ્કારાવરણીય કર્મ કહેવામાં આવે છે. એ કર્મના સ્પર્ધકો (રસવિશેષો) બે પ્રકારના છે : એક સર્વઘાતી અને બીજા દેશધાતી. સર્વઘાતી સ્પર્ધકો સર્વથા નાશ પામવા જોઈએ. દેશઘાતી સ્પર્ધકોમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિતનો ઉપશમ થવાથી અનુક્રમે વિશુદ્ધિ થતાં “નકારાદિ અક્ષરોની પ્રાપ્તિ થાય છે અને અધિક વિશુદ્ધિ થતાં સમસ્ત નવકારની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર સ્વયંઋતરૂપ છે, શ્રત અતિપૂર્વક હોય છે અને એ બંને સમ્યગુદષ્ટિને હોય છે તેથી નમસ્કારનો લાભ થાય ત્યારે એકી સાથે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને સમ્યકત્વનો લાભ થાય છે. અધિકરણ
અધિકરણ” એટલે સ્થાન. નમસ્કારને રહેવાનું સ્થાન કયું? “અધિકરણ દ્વાર' ને શાસ્ત્રીય પરિભાષામાં
નમસ્કારની પ્રરૂપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org