SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા “નમસ્કાર'નો પરિણામ “નમસ્કાર્યનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ “નમસ્કાર્યના નિમિત્તે ઉત્પન્ન થનાર ‘નમસ્કાર'નો પરિણામ પણ નમસ્કાર્યનો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. “મારા દાસે ખર ખરીદ્યો, તેથી તે દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ “ખર'ના સ્થાને “નમસ્કાર' અને ‘દાસ’ના સ્થાને તેનો “કરનાર' ઉભય, “નમસ્કાર્ય” એવા પૂજ્ય અદાદિકના જ છે. એ કારણે પણ “નમસ્કાર” નમસ્કાર કરનારનો નથી, કિન્તુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે, એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રી જિનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રી જિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે. સંગ્રહનચનો ઉત્તર નમસ્કાર કોનો છે?' એ વિષયમાં સંગ્રહ નય કહે છે કે, નમસ્કાર જીવસામાન્યનો છે. સંગ્રહ નય સામાન્ય માત્રગ્રાહી હોવાથી જીવનો નમસ્કાર, અજીવનો નમસ્કાર, સ્વનો નમસ્કાર કે પરનો નમસ્કાર, ઈત્યાદિ ભેદોને સ્વીકારતો નથી. એ નય વિશેષરહિત સત્તામાત્રરૂપે નમસ્કારને માને છે, તેથી તેના મનમાં સ્વ-પર આદિ ભેદયુક્ત નમસ્કાર નથી. સંગ્રહનયના મતે ષષ્ઠી વિભક્તિથી નિર્દિષ્ટ ભિન્નાધિકરણ નથી. સામાનાધિકરણ્ય જ છે. તેથી સત્તા સામાન્યરૂપે એક જ નમસ્કાર છે એમ તે કહે છે. જીવ સામાન્યનો નમસ્કાર છે'- એવો ઉત્તર જે ઉપર આપવામાં આવ્યો છે તે પણ અશુદ્ધતર સંગ્રહનયના મતનો છે. હજુગનચનો ઉત્તર ઋજુસૂત્રનય નમસ્કારને નમસ્કાર્યનો નહિ માનતાં નમસ્કારને તેના કરનારનો માને છે. કારણ કે નમસ્કાર ત્રણ પ્રકારનો છે : એક જ્ઞાનરૂપ, બીજો શબ્દરૂપ અને ત્રીજો ક્રિયારૂપ. જ્ઞાનરૂપ નમસ્કાર જીવથી અભિન્ન છે. તેથી જીવ સિવાય અન્ય જડ પ્રતિમાદિનો તે ન જ હોઈ શકે. શબ્દરૂપ અને ક્રિયારૂપ નમસ્કાર પણ શબ્દ કરનાર અને ક્રિયા કરનારનો ધર્મ છે. તે ધર્મ અન્ય દ્રવ્યમાં કેવી રીતે જઈ શકે? અન્યના ધર્મ પણ અન્યમાં જઈ શકતા હોય તો સંકરાદિ મહાદોષોની પ્રાપ્તિ થાય એટલું જ નહિ પણ પૂજકે કરેલો નમસ્કાર પૂજ્યનો માનવામાં આવે તો કૃતનાશ, અકૃતાગમ આદિ દોષોની પણ પ્રાપ્તિ થઈ જાય. પ્રશ્ન :- અન્ય દ્રવ્યમાં રહેલી વસ્તુ પણ અન્ય દ્રવ્યની કહી શકાય છે જેમકે- તિજોરીમાં રહેલું દ્રવ્ય એ દેવદત્તનું દ્રવ્ય છે એમ કહી શકાય છે. ઉત્તર :- અન્યત્ર રહેલી વસ્તુ અન્યની છે એવો વ્યવહાર માત્ર દ્રવ્યમાં જ થઈ શકે છે. કિન્તુ ગુણોની અંદર તેવો વ્યવહાર થઈ શકતો નથી. નમસ્કાર એ પૂજકનો ગુણ છે, તે પૂજ્યનો કેવી રીતે બની શકે? પ્રશ્ન :- અન્યના ગુણનો ભોગવટો અન્ય કરી શકે છે જેમકે-પટનો ભોક્તા દેવદત્ત છે. તો તે પટના શુકલત્વાદિ ગુણોનો ભોક્તા પણ છે જ. તેમ પૂજકના નમસ્કારનો માલિક પૂજ્ય કેમ કહી શકાય નહિ? ઉત્તર :- પટના શુકલત્વાદિ ગુણોનો ભોક્તા જેમ દેવદત્ત બની શકે છે તેમ પૂજકના નમસ્કારગુણનો ભોક્તા પૂજ્ય બની શકતો નથી કારણ કે નમસ્કારનું અનન્તર કે પરમ્પર ઉભય ફળ પૂજ્યને નહિ પણ પૂજકને જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન:- પૂજકનું પૂજારૂપ ફળ તો પૂજ્યને જ સાક્ષાત્ જણાય છે કિન્તુ પૂજકને જણાતું નથી, તો પછી S ૫૦ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS THE GRE કકકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy