________________
નમસ્કારની પ્રરૂપણા
કોઈ પણ પદાર્થની પ્રરૂપણા કરવી હોય ત્યારે તે છ પ્રકારે યા નવ પ્રકારે કરવી એ શાસ્ત્રીય પદ્ધતિ છે. એ પદ્ધતિની રીતિ એવી છે કે-તેમાં પદાર્થને લગતી લગભગ સર્વ ચર્ચાઓ સમાઈ જાય છે. પંચશત પ્રકરણ’ના રચયિતા અને અપૂર્વ સંગ્રહકાર તરીકેની પ્રસિદ્ધિને પામેલા વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં અધિગમના ઉપાય દર્શાવતાં એ ઉભય પ્રકારની પ્રરૂપણઓને નીચેનાં સૂત્રોથી જણાવે છે ઃ
નિર્દેશસ્વામિત્વજ્ઞાધના ધરસ્થિતિવિધાનઃ । (અધ્યયા ૧, સૂત્ર ૭) તથા - સત્સંધ્યાક્ષેત્રસ્પર્શનાત્તાન્તરમાવાત્ત્વવત્નેશ્ર (અધ્યાય ૧, સૂત્ર ૮)
કોઈ પણ વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો તેના નિર્દેશાદિ જાણવા જોઈએ. એ ન્યાયે ‘નમસ્કાર’નું પણ સાંગોપાંગ જ્ઞાન કરવા માટે અહીં તેના નિર્દેશાદિ જણાવવા માટે કિંચિત્ પ્રયાસ કરવામાં આવે છે.
નિર્દેશ
નિર્દેશ એટલે નમસ્કારનું સ્વરૂપ, અર્થાત્-‘નમસ્કાર અંગેનું જ્ઞાન. ‘નમસ્કાર’નું જ્ઞાન કરવા માટે ‘નમસ્કાર’ એ જીવ છે કે અજીવ એ જાણવું જોઈએ. અહીં ‘નમસ્કાર’ એ જીવનો ગુણ હોવાથી જીવ છે કિન્તુ અજીવ નથી. દ્રવ્યાર્થિક નયથી ‘જીવદ્રવ્ય’ રૂપ નમસ્કાર છે અને પર્યાયાર્થિક નયથી ‘જીવગુણ’રૂપ નમસ્કાર છે. સુવિશુદ્ધ નૈગમ અને સંગ્રહ નય સમસ્ત વસ્તુને એકજ માનનાર હોવાથી તેના મતે ‘નમસ્કાર’ એક જ છે. અવિશુદ્ધ નૈગમ અને વ્યવહા૨ નય એક નમસ્કારવાન જીવને એક નમસ્કાર અને બહુ નમસ્કારવાન જીવોને બહુ નમસ્કાર ઈચ્છે છે. ઋજુસત્રાદિ ચારે નયો વર્તમાન સમયવર્તી સ્વકીય વસ્તુને જ માને છે, તેથી તે પ્રત્યેકના જુદા જુદા નમસ્કાર માને છે. વિશેષ એટલો છે કે-શબ્દાદિ ત્રણ નયોના મતે નમસ્કારના પરિણામવાળો જીવ ‘નમસ્કાર’ કહેવાય છે અને શેષ નૈગમાદિ નયોના અભિપ્રાયો ‘નમસ્કાર'માં ઉપયોગરહિત હોય તોપણ લબ્ધિસહિત હોય અથવા લબ્ધિને યોગ્ય હોય તેવા જીવને પણ ‘નમસ્કાર’ કહેવાય છે.
સ્વામીત્વ
સ્વામીત્વ એટલે નમસ્કારનો સ્વામી કોણ છે ? અથવા નમસ્કાર કોનો છે ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે-નમસ્કારનો સ્વામી એક જીવ પણ છે અને અનેક જીવ પણ છે. પ્રતિપદ્યમાન એક અથવા અનેક હોય છે અને પૂર્વપ્રતિપન્ન તો અવશ્ય અનેક હોય છે. માત્ર સંગ્રહ નય સામાન્યવાદી હોવાથી પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન ઉભય પક્ષમાં બહુત્વ નથી માનતો. બીજી રીતે પણ સ્વામીત્વનો વિચાર કરી શકાય છે. ‘નમસ્કાર નમસ્કાર્યનો કે નમસ્કા૨ ક૨ના૨નો ?’ એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા નયવાદીઓ જુદી જુદી રીતે આપે છે. નૈગમ-વ્યવહારનો ઉત્તર
નૈગમ નય તથા વ્યવહાર નયના અભિપ્રાયે નમસ્કારનો સ્વામી ‘નમસ્કાર્ય' આત્મા છે, કિન્તુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી. કારણ કે-દાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિન્તુ ગ્રાહકની કહેવાય છે. તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે તેથી તે પૂજ્યનો જ ગણાય છે. અથવા ‘નમસ્કાર’ એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે માટે તેને ઘટનો ધર્મ કહેવામાં આવે છે. તેની જેમ ‘નમસ્કાર’ પણ ‘નમસ્કાર્ય’ની પ્રતીતિ કરાવનાર હોવાથી ‘નમસ્કાર્ય’-નો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો.
નમસ્કારની પ્રરૂપણા
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org