________________
નિક્ષેપબાર
One
નિક્ષેપ શબ્દનો અર્થ “સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઈત્યાદિ નિક્ષેપના જ પર્યાયશબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા કેટલા અર્થ થઈ શકે એનો ઉત્તર નિક્ષેપદ્વારા મળી શકે છે. કોઈ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત્ સેંકડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે તોપણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર અર્થો તો અવશ્ય થાય છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. “નમસ્કાર' શબ્દના પણ નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ ચાર અર્થે થઈ શકે છે. અર્થાત્ એ ચાર અર્થોમાં નમસ્કાર” શબ્દ વાપરી શકાય છે. નામ અને સ્થાપના
નમ: | ” એવું નામ તે નામનમસ્કાર છે. અને “નમ: | ' એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિનો “સંકોચિત કરણચરણાદિયુક્ત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે. દ્રવ્યનમસ્કાર
દ્રવ્યનમસ્કાર બે પ્રકારનો છે : આગમથી અને નોઆગમથી. ઉપયોગરહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્યનમસ્કાર છે. નોઆગમથી દ્રવ્યનમસ્કાર “જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદવ્યતિરિક્ત' એમ ત્રણ પ્રકારે છે.
૧. જ્ઞાતાનો મૃતદેહ એ નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યનમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યનમસ્કાર છે. ૩. તદવ્યતિરિક્ત દ્રવ્યનમસ્કારના અનેક પ્રકારો છે. જેમકે(ક) મિથ્યાત્વથી ઉપહત નિદ્વવાદિનો ભાવનમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ખ) ઉપયોગરહિત સમ્યક્તવાનનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ગ) પૌલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ધ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે તે પણ દ્રવ્યનમસ્કાર છે.
(ડ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. ભાવ નમસ્કાર
ભાવનમસ્કાર પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજે નોઆગમથી. “નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર એ આગમથી ભાવ નમસ્કાર છે.
મન વડે “નમસ્કાર” માં ઉપયોગવાન, “નમો રિહંતાપ ' એમ વચન વડે બોલનાર તથા હાથ, પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારનો નમસ્કાર નોઆગમથી ભાવ નમસ્કાર છે. અહીં “ના” શબ્દ નિષેધવાચક નથી કિન્તુ મિશ્રવાચક છે. ઉપયોગ રૂપ “આગમ' અને વચનકાયાની ક્રિયારૂપ “આગમાભાવ” ઉભયથી મિશ્ર હોવાથી તેને નોઆગમથી ભાવનમસ્કાર કહેવાય છે. નિક્ષેપનો નવો વડે વિચાર
શબ્દાદિ ત્રણ નવો વિશુદ્ધ હોવાથી, કેવળ ભાવને જ ઈચ્છે છે અને જુસૂત્રાદિ ચાર નવો અવિશુદ્ધ હોવાથી ચારે પ્રકારના નિક્ષેપને ઈચ્છે છે. પ્રથમના ચારે જયો ચારે પ્રકારના નિક્ષેપને ઈચ્છે છે, તેનું કારણ એ છે કે નૈગમ નય વસ્તુને જાણવાના સર્વ પ્રકારોને ઈચ્છનારો છે. તેના બે ભેદ છે. એક સર્વસંગ્રાહી અને બીજો અસર્વસંગ્રાહી (દેશસંગ્રાહી) સર્વસંગ્રાહી નૈગમ સામાન્યવાદી છે અને અસર્વસંગ્રાહી નૈગમ વિશેષવાદી છે. બીજા શબ્દોમાં
નિક્ષેપઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org