________________
ત્રીજી ગતિ નથી. જો પરથી થાય તો વાચના કારણ છે અને સ્વથી થાય તો ક્ષયોપશમ કારણ છે. પૂર્વજન્મમાં “નમસ્કાર' ઉત્પન્ન થયો હોય તો તે પણ વાચના અને લબ્ધિ સિવાય કોઈ ત્રીજા કારણથી નથી થયો એમજ માનવું રહ્યું. કારણ કે તે જન્મમાં પણ જો પરથી લાભ થયો હોય તો વાચનાથી અને સ્વથી એટલે સ્વયં લાભ થયો. હોય તો લબ્ધિથી થયો છે. એ બે સિવાય ત્રીજું સમુત્યાનાદિ કારણ માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. કારણ કે-વાચના અને લબ્ધિ સિવાય કેવલ દેહથી નમસ્કારની ઉત્પત્તિમાં પ્રત્યક્ષ વ્યભિચાર છે.
શબ્દાદિ ત્રણ નયોનો મત એવો છે કે –બહુલકર્મી જીવ વાચના છતાં પણ નમસ્કાર નથી પામતો અને લઘુકર્મી આત્મા વાચના વિના પણ ક્ષયોપશમથી અવશ્ય પામે છે, માટે લબ્ધિ જ હેતુ છે કિન્તુ વાચના હેતુ નથી.' નમસ્કારની ઉત્પત્તિમાં વાચનાજન્ય મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કારણ છે અને તેથી પરંપરાએ વાચના પણ નમસ્કારનું કારણ છે.” - એમ જે કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કારણ કે-ગુરુકર્મી આત્માને વાચના પણ યથોક્ત ક્ષયોપશમ કરનારી થતી નથી. તેથી વાચના એ નમસ્કારની ઉત્પત્તિમાં એકાન્તિક નથી કિન્તુ અનેકાત્તિક છે. અથવા જેને વાચનાથી ક્ષયોપશમ થાય છે તેને તે વાચના પણ માત્ર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ છે.. કિન્તુ નમસ્કારાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થવા યોગ્ય “નમસ્કાર'નું કારણ નથી.
નમસ્કારાવરણીય કર્મનો અર્થ અહીં “નમસ્કાર' રૂપ સમ્યગ્રજ્ઞાનને આવરનાર કર્મ વિવલિત છે. કારણનું કારણ હોવાથી નમસ્કારનું કારણ છે એમ કહેવામાં આવે તો ભૂમિ, શયન, આસન, આહાર, વસ્ત્ર, પાત્ર આદિ સર્વ બાહ્ય વસ્તુઓ ક્ષયોપશમને ઉપકારી હોવાથી તે પણ પરંપરાએ નમસ્કારનું કારણ થશે. “વાચના નિકટનું ઉપકારી છે, માટે તે કારણ છે અને આસન-શયનાદિ નિકટના ઉપકારી નથી માટે તે કારણ નથી.’ એમ કહેવામાં આવે તો એક લબ્ધિ જ તેનું નિકટનું અને એકાન્તિક કારણ છે એમ સ્વીકારી લેવું એ જ વાજબી છે. કારણ કે તે જ એક નમસ્કારનું અનન્તર અને અવ્યભિચારી કારણ છે. જો એમ માનવામાં ન આવે તો કારણ તરીકે વાચના માત્રનો નિયમ સિદ્ધ થતો નથી, કિન્તુ પરમ્પરાએ ઉપકારી ભૂમિ, વસ્ત્ર, પાત્રાદિ સર્વને કારણે માનવાનો પ્રસંગ ઊભો થાય છે.
એ રીતે પ્રથમના ત્રણ નયો ત્રણ પ્રકારનાં કારણોને, ઋજુસૂત્ર નય બે પ્રકારનાં કારણોને અને શબ્દાદિ ત્રણ નયો એક લબ્ધિ (લયોપશમ) ને જ “નમસ્કારનું કારણ માને છે.
સોનાની વીંટી “નમો' એ સોનાની વીંટી છે.
શ્રી અરિહંતો એ હીરાના નંગ છે. શ્રી અરિહંતો એ સાચા ભાવ હીરા છે, અમૂલ્ય છે. તેથી ભવ્ય જીવોની અનંત પ્રીતિને પાત્ર છે.
શ્રી તીર્થંકર ભગવંતો ઉપર પ્રીતિ બતાવનારો ન હોય તો પેદા કરનારો, હોય તો વધારી આપનારો મંત્ર તે શ્રી નવકારમંત્ર છે.
પ્રીતિ એ વીંટી છે. ““નમો' એ પ્રીતિવાચક પદ છે.
શ્રી નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુલભ સમન્વય થએલો છે. ત્રણેનો દુર્લભ યોગ શ્રી નવકારમાં રહેલો છે.
નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ દાન છે. એ દાનમાં પાત્ર તરીકે સર્વ શ્રેષ્ઠ શ્રી તીર્થંકરદેવો અને શ્રી પરમેષ્ઠિભગવંતો છે. માટે આટલું અવશ્ય કરો.
તમારો ઉપયોગ શ્રી નવકારમાં પરોવો. યોગ અને ઉપયોગ બંને શ્રી નવકારમાં લીન બને તેવું જીવન જીવો. મન-વચન-કાયાના યોગો શ્રી નવકારની સાથે તાદાભ્ય ભાવને પામે તેવો અભ્યાસ કરો.
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org