SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ધનને પણ ધનવાળો માનવો જોઈએ. કિન્તુ અન્યના ધન વડે અન્ય ધનવાન બનતો નથી કે કહેવાતો નથી. અન્યત્ર વિદ્યમાનની સત્તા અન્યત્ર સ્વીકા૨વામાં આવે તો એક નમસ્કારવાન સમ્યગ્દષ્ટિ આત્માની અર્હદાદિ-ભક્તિનું ફળ, નમસ્કા૨હિત સર્વ મિથ્યાદષ્ટિઓને પ્રાપ્ત થવું જોઈએ. એટલું જ નહિ કિન્તુ દાન-ધ્યાન અને હિંસા-મૃષાવાદ આદિ શુભ-અશુભ ક્રિયાઓનું ફળ પણ સર્વસાધારણ બની જવું જોઈએ. એમ થવાથી તો કૃતનાશ અને અકૃતાગમાદિ અનેકાનેક દોષોની પ્રાપ્તિ થયા સિવાય રહે નહિ. અથવા-સમ્યગ્દષ્ટિ જીવોના સંતાનપ્રવાહની અપેક્ષાએ પણ નમસ્કાર નિત્ય નથી. કારણ કે-સમ્યગ્દષ્ટ જીવોનો સંતાન પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. તેથી સમ્યગ્દષ્ટિથી અભિન્ન એવો નમસ્કાર પણ ઉત્પાદવ્યયાદિને પામનારો જ છે કિન્તુ સર્વથા નિત્ય નથી. નિત્યાનિત્યત્વ-સિદ્ધિ : આ વસ્તુ વિગતથી સમજવા માટે - ‘નમસ્કાર' શું છે એ સમજવું જોઈએ. આત્માના શ્રુતોપયોગરૂપ નમસ્કાર એ જ્ઞાનરૂપ છે. ‘નમો અરિહંતા’ ઇત્યાદિ પદોચ્ચારણરૂપ નમસ્કાર એ શબ્દરૂપ છે અને શિરોનમન, હસ્તયોજન, અવયવસંકોચનાદિ ક્રિયારૂપ નમસ્કાર એ ક્રિયારૂપ છે. એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ નમસ્કારત્રિકના સંયોગરૂપ, નમસ્કાર પણ ચાર પ્રકારનો છે. જેમકે-૧, જ્ઞાન અને શબ્દરૂપ ૨. જ્ઞાન અને ક્રિયારૂપ ૩. શબ્દ અને ક્રિયારૂપ તથા ૪. જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ એ રીતે કુલ સાત પ્રકારનો નમસ્કાર છે. એ જ્ઞાન-શબ્દાદિ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે તેથી નમસ્કાર પણ નિત્યાનિત્ય ઉભયસ્વરૂપ છે. જ્ઞાનની નિત્યત્વ-સિદ્ધિ : નિત્ય જીવથી જ્ઞાન અભિન્ન છે તેથી જ્ઞાન પણ નિત્ય છે. જ્ઞાન આકાશની પેઠે અમૂર્ત હોવાથી ઉત્પાદાદિરહિત અર્થાત્ નિત્ય છે. સર્વ જીવોને અક્ષર (કેવળજ્ઞાન)નો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો છે તેથી પણ તે નિત્ય છે. આકાશદ્રવ્યના અવગાહગુણની પેઠે જ્ઞાન અરૂપી આત્મદ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે અથવા ‘જ્ઞાન' ‘શબ્દ’ ઇત્યાદિ સર્વ કાંઈ આવિર્ભાવ-તિરોભાવ ધર્મવાળું હોવાથી સર્વદા નિત્ય છે. શબ્દની નિત્યત્વ-સિદ્ધિ ઃ ૧. શબ્દપ્રયોગ પરપ્રત્યાયક હોવાથી શબ્દ સદા અવસ્થિત (નિત્ય) છે. જે બીજા માટે વપરાય તે વ્યાપારકાળની પૂર્વે અવશ્ય હોય જ છે. વૃક્ષ છેદવા માટે વપરાતો કુહાડો એ છેદન-ક્રિયા-કાળની પૂર્વે અવશ્ય હયાતિ ધરાવે છે. તેની જેમ શબ્દ પણ પરપ્રત્યાયન ક્રિયા કરાવનાર હોવાથી એ ક્રિયાકાળની પૂર્વે પોતાની હયાતી સિદ્ધ કરે છે. ૨. મેરુ સ્વર્ગઆદિ શાશ્વત પદાર્થો અભિધેયરૂપ હોવાથી તેના અભિધાયક શબ્દો પણ કેવળજ્ઞાનની જેમ નિત્ય છે. જો શબ્દ સ્વયં અનિત્ય હોય તો નિત્ય એવા મેરુ આદિ પદાર્થોની સાથે વાચ્ય-વાચકભાવ સંબંધ ધરાવી શકે નહિ. સંકેતના વશથી વાચ્ય-વાચકભાવનો સંબંધ ઈન્દ્રિયગ્રાહ્ય ઘટપટાદિ અનિત્ય પદાર્થોમાં જ શક્ય છે. અતીન્દ્રિય પદાર્થોમાં સંકેત થઈ શકતો નથી. તેથી મેરુ આદિ પદાર્થો સાથે શબ્દનો અનાદિસંસિદ્ધ, અકૃતક વાચ્ય-વાચક સંબંધ રહેલો છે. એક જગ્યાએ શબ્દનું નિત્યપણું સિદ્ધ છે તો અન્યત્ર પણ તેનું નિત્યત્વ સિદ્ધ જ છે. કારણ કે-શબ્દપણું સર્વત્ર સમાન છે. ૩. સૂર્ય-ચન્દ્રાદિ નિત્ય અને ઘટપટાદિ અનિત્ય પદાર્થોના વાચક સઘળાય શબ્દો અનાદિકાળથી તદ્વાચકપણે સિદ્ધ છે તેથી તે નિત્ય છે. ઘટાદિ વાચક શબ્દો સાંકેતિક હોવાથી અનાદિકાળ સંસિદ્ધ નથી એમ કહેવું યુક્તિરહિત છે કારણ કે-સંકેત કરી શકાતો જ નથી. જે શબ્દવડે સંકેત કરાય તે શબ્દ બીજા સંકેતકા૨ક શબ્દની અપેક્ષા રાખે જ છે. એમ પ્રત્યેક સંકેતકારક શબ્દ અન્ય અન્ય શબ્દોની અપેક્ષા રાખતો હોવાથી અનવસ્થા (અપ્રમાણિક અનંત પદાર્થોની કલ્પના) નો દોષ પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યેક શબ્દોના સંકેત અનાદિકાળથી સ્વયંસિદ્ધ જ માનવા યુક્તિયુક્ત છે. ૪૪ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy