________________
અથવા જેમ છૂટાં પડેલાં મણિરત્નો એક રત્નમાળા કહેવાતાં નથી, તેમ જુદા જુદા નો સ્વતંત્રપણે વસ્તુના દીપક બની શકતા નથી. પરંતુ તે જ રત્નો એકત્રિત કરીને સૂત્રમાં પરોવેલાં હોય તો રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પરસ્પર સાપેક્ષ બનવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થઈ શકે છે.
અનેક ધર્મોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન એ પ્રમાણ છે અને તે જ પદાર્થનો એક ધર્મ દ્વારા પરામર્શ કરનાર તથા બાકીના ધર્મોનો સ્વીકાર થા તિરસ્કાર નહિ કરનાર નય છે. ધર્મો અનન્ત હોવાથી નયો પણ અનન્ત છે, તોપણ સર્વસંગ્રાહક અભિપ્રાયની કલ્પનાએ તેના સાત ભેદ માન્યા છે. એ જ નય સ્વાભિપ્રેત ધર્મના અવધારણથી અને શેષ ધર્મોના તિરસ્કારથી પ્રવર્તે ત્યારે દુર્નય સંજ્ઞાને પામે છે.
જેટલાં ઈતર દર્શનો પ્રવર્યા છે તે બધાં આ દુર્નયોના પ્રતાપે જ પ્રવર્યા છે, જેમકે-નૈયાયિક અને વૈશેષિક દર્શન નૈગમ નયના અભિપ્રાય પ્રવર્યું છે. સઘળાય અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન એ સંગ્રહ નયના અભિપ્રાયથી પ્રવર્તેલાં છે, ચાર્વાક દર્શન મોટે ભાગે વ્યવહાર નયને અનુસરનારું છે, બૌદ્ધદર્શન ઋજુસૂત્ર નયના અભિપ્રાય પ્રવર્તેલું છે, રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છનાર મીમાંસક દર્શન શબ્દ નયથી પ્રવર્તેલું છે અને વ્યુત્પત્તિ આદિ દ્વારાએ શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છનારા વૈયાકરણાદિ પ્રવાદો સમભિરૂઢ અને એવંભૂત નયોથી પ્રવર્તેલા છે.
નયવિજ્ઞાનમાં કુશળ આત્મા આ રીતે એક એક નયના અભિપ્રાયથી પ્રવર્તેલાં દર્શનોની અયથાર્થતાને સારી રીતિએ જાણી શકે છે, તેથી તે સ્વસિદ્ધાન્તમાં સ્થિર રહી શકે છે અને બીજાઓને સ્થિર કરી શકે છે.
શેય વસ્તુમાં કોઈ પણ જાતિનો સંદેહ થવા ન પામે તે ખાતર સર્વ નયોનું જ્ઞાન મેળવવું એ અતિ આવશ્યક બને છે. નયોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા સત્યાસત્યના વિભાગને કરી શકે છે અને એક નયાનુસારી દર્શનોનું અસત્ય જાણી શકે છે. એટલું જ નહિ કિન્તુ સત્યનો જ એક પક્ષ કરનાર સાદ્વાદ સિદ્ધાન્તને ખોટી રીતે દૂષિત કરનાર વ્યક્તિઓના ઉલ્લેખશેખરોનો યુક્તિપૂર્વક નિરાસ કરી શકે છે. એ રીતે સત્ય સિદ્ધાન્તની આશાતનાથી સ્વયં બચી શકે છે અને બીજાને પણ બચાવી શકે છે.
આ રીતે નયજ્ઞાન થવાથી આગળના પ્રકરણમાં આવતા નવકારમંત્રનું વર્ણન સ્પષ્ટતાથી સમજી શકાશે.
આ પ્રકરણ અને હવે પછીનાં પ્રકરણો શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય આદિના આધારે લખાયેલાં છે.
અનાદિકાલીન મંત્રા
જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળ મંત્ર શ્રી નવકાર છે.
ક્રોડો શ્લોકોવાળા દષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે, તે આ નવપદવાળા નાના નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. એ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.
શ્રી નવકારના મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈ ને કોઈ ભવમાં શ્રી નમસ્કારના કોઈ એક પદમાં બેસવાવાળાની શ્રેણિમાં અવશ્ય આવી શકાય છે.
શુભ ભાવોની સાધના અને સિદ્ધિ (મુક્તિ)નું કારણ હોવાથી શ્રી નવકારમંત્ર સર્વોત્તમ મંત્ર અને પ્રથમ મંગળ મનાય છે.
ઉપકારી મહર્ષિઓનાં કથન મુજબ આ મંત્ર પાપમૂળનો યા પાપમાત્રનો નાશક છે.
IN ૪૨
SITE
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org