________________
અભિધેયની પ્રતિપત્તિ થાય છે. જે શબ્દ પ્રમાણે અર્થબોધ ન થતો હોય તો સંશય, વિપર્યય, એકત્વ અને સંકીર્ણતાદિ દોષોની પ્રાપ્તિ થવી જોઈએ. માટે “શબ્દ” ના વશથી “અભિધેય' છે અને “અભિધેય’ના વશથી “શબ્દ” છે એવો એવંભૂત નયનો સિદ્ધાંત છે. “ઘટ’ શબ્દથી વાચ્ય એવા અર્થને “ઘટન ચેષ્ટા રહિત દશામાં ઘટ'રૂપે માનવાની આ નય સાફ ના પાડે છે. ઘટ, કટ, કન્માદિ પર્યાય-શબ્દોથી અર્થનો ભેદ માન્ય હોય તો ચેષ્ટા' રહિત અવસ્થામાં પણ તેને ઘટ કેવી રીતે માની શકાય? આ નયના મતે “જીવ' શબ્દથી દશવિધ પ્રાણ ધારણ કરનાર જીવને જ જીવ કહી શકાય. સિદ્ધના જીવોને જીવ નહિ પણ સત્ત્વ, આત્મા આદિ “અન્વર્થ નામોથી જ સંબોધી શકાય.
આ નયના મતે “દેશી” અને “દેશ' બે ભિન્ન નથી તેમ એક પણ નથી કિન્તુ સર્વ વસ્તુઓ અખંડ સ્વરૂપવાળી છે. સમભિરૂઢ નયના મતે જે દેશીને જ દેશ માનવામાં આવે તો તે બંનેને દેશી-દેશ એવા પર્યાયવચનની પ્રાપ્તિ થાય છે. એથી પુનરુક્તિ, આનર્ભ, વસ્તુનો સંક્રમ, સ્વપક્ષવિઘાતાદિ દોષો આવીને ઊભા રહે છે.
આ સાતે નયોમાં પહેલા પહેલાનો નય, સ્થૂળ યાને ઘણા વિષયવાળો છે અને પછી પછીનો નય સૂક્ષ્મ યાને અલ્પ વિષયવાળો છે. નૈગમ નય “સ” અને “અસ” ઉભય પદાર્થોને વિષય કરે છે. કારણ કે-સંકલ્પ “સત’ - “અસતુ' ઉભયમાં થઈ શકે છે. સંગ્રહ નવમાં માત્ર “સત” ને જ વિષય કરવામાં આવે છે. વ્યવહાર “સત્'ના જ એક વિભાગને જામે છે. જુસૂત્રમાં ફક્ત વર્તમાનકાલનો સ્થૂલ -યા સૂક્ષ્મ પર્યાય જ વિષય થાય છે. “શબ્દ' નય ઋજુસૂત્રથી પણ અલ્પ વિષયને ગ્રહણ કરે છે કારણ કે ઋજુસૂત્રમાં તો લિંગ આદિકનો ભેદ હોવા છતાં અર્થભેદ માનવામાં આવતો નથી, જ્યારે શબ્દમાં તે માનેલો છે. શબ્દથી સમભિરૂઢ અને સમભિરૂઢથી એવંભૂતનો વિષય તો તદ્દન અલ્પ બની જાય છે, એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
ઋજુસૂત્ર પર્યન્તના ચાર નયો અર્થને મુખ્ય માની અને શબ્દને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે. પછીના શબ્દાદિ ત્રણ નવો શબ્દને મુખ્ય માની તથા અર્થને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે. પરસ્પર વિરોધનું સમાધાન
સર્વ નયો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, જેમ રાજા સેવકોને તથા ન્યાયધીશ (મધ્યસ્થ) વાદીપ્રતિવાદીને વિરોધરહિત બનાવે છે, તેમ અહીં પણ સમ્યજ્ઞાની શ્રી તીર્થંકરદેવ યા જૈનમુનિ પરસ્પર વિરુદ્ધ એવા ઘણા નયોને, તેમના એકાન્ત નિશ્ચયરૂપ વિરોધનાં કારણોને દૂર કરીને એકઠા કરે છે. અથવા પ્રૌઢ મંત્રવાદી વિષના અંશોને વિષરહિત બનાવે છે, તેમ સમ્યગુજ્ઞાની પણ નયોના પરસ્પર એકાન્ત આગ્રહરૂપી વિષને હઠાવી તેમને નિર્વિષ બનાવે છે. લોકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે-મંત્રવાદીનો યોગ મળી જાય તો વિષ પણ અમૃત બની જાય છે અને કુષ્ટાદિ રોગોને દૂર કરનારું થાય છે. તેમ નયોનું એકાંત વિષ પણ દૂર થઈ જવાથી, તે સમ્યજ્ઞાન બની જાય છે.
દરેક નય વસ્તુને એક દેશ (અંશ)થી જણાવનાર હોવાથી, અતિશ્રુતાદિક જ્ઞાનની જેમ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જણાવનાર બને છે, તથા એકઠા થયેલા તે સર્વ નયો કેવળજ્ઞાનની પેઠે સમસ્ત વસ્તુને જણાવનારા થાય છે.
અથવા હાથીના ભિન્ન ભિન્ન અવયવોમાં હાથીની પ્રતિપત્તિ કરનાર અંધ પુરુષોની જેમ અનન્તધર્માત્મક વસ્તુના ભિન્ન ભિન્ન ધર્મોમાં - (અંશોમાં પણ સંપૂર્ણ વસ્તુની પ્રતિપત્તિ કરનાર નો મિથ્યાદષ્ટિ છે અને સમુદિત થયેલા એ જ ગયો, હાથીના સર્વ અવયવ સમુદાયને હાથી કહેનાર દેખતા મનુષ્યની જેમ સમસ્ત પર્યાયાત્મક વસ્તુને જણાવનાર હોવાથી સમ્યવાદી છે.
નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
A
B
1
:
જ
છે
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org