________________
સંગ્રહનય :
નૈગમનયનું સ્વરૂપ આપણે ઉપર વિસ્તારથી જોઈ આવ્યા, તેમ સંગ્રહાદિ નયોની પણ માન્યતા કાંઈક વિગતથી જોઈ જવી આવશ્યક છે. “એક શબ્દ દ્વારા “અનેક' પદાર્થોનું ગ્રહણ કરવું તે સંગ્રહનય છે જેમકે –
જીવ' શબ્દ કહેવાથી સર્વ પ્રકારના ત્રાસ-સ્થાવર જીવોનું ગ્રહણ કરવું. એ “સંગ્રહ' ના બે ભેદ છે. એક પર અને બીજો “અપર “પર” સંગ્રહને “સામાન્ય” પણ કહેવાય છે અને “અપર' સંગ્રહને “વિશેષ' પણ કહેવાય છે. સર્વ દ્રવ્યોનું ગ્રહણ કરવાવાળો નય “સામાન્ય-સંગ્રહનય છે, જેમકે “દ્રવ્ય' શબ્દથી જીવ, અજીવ સર્વનો સંગ્રહ થઈ જાય છે. થોડા દ્રવ્યોનો સંગ્રહ કરનાર નયને “વિશેષ-સંગ્રહનય’ કહેવાય છે. જેમકે “જીવ' શબ્દ કહેવાથી સર્વ “જીવ-દ્રવ્યો' નો સંગ્રહ તો થઈ જાય છે, પરન્તુ “અજીવ-દ્રવ્યો' બાકી રહી જાય છે. તેથી તેને વિશેષ સંગ્રહ કહેવાય છે.
સંગ્રહનય એ માત્ર “સામાન્ય” ને માને છે. તેના મતે સામાન્યરહિત વિશેષોનો “ખકુસુમવત્' અભાવ છે. સત” એમ કહેવાથી ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુની પ્રતીતિ થાય છે. વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી, કે જે સત્ કહેવાથી બુદ્ધિમાં પ્રતિભાસમાન ન થતી હોય, માટે સત્તાથી અતિરિક્ત બીજું કાંઈ છે નહિ.
“સામાન્ય' ના પર-અપર એમ જે બે ભેદ પડે છે, તેમાં અપ-સામાન્ય, અનુગમ અને વ્યતિરેક ઉભયસ્વરૂપ છે. અનુગત સામાન્ય આકારનું પ્રતિપાદન તે “અનુગમ છે અને પરપણાનો નિષેધ કરનાર વિશેષનું પ્રતિપાદન તે “વ્યતિરેક' છે. ટૂંકમાં સંગ્રહનય સર્વ વસ્તુઓને સામાન્યરૂપે એકઠી કરે છે, અથવા સંગ્રહનયવડે સર્વ ભેદો સામાન્યરૂપે સંગ્રહાય છે, અથવા સંગ્રહીત અને પીડિતાર્થવાળું વચન, તે સંગ્રહનાય છે. સંગૃહીત એટલે સામાન્યાભિમુખપણે ગ્રહણ કરાએલ અને પીંડિત એટલે એક જાતિપણાને પમાડાયેલ અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત અને ગોવાદિ અવાજોર-સામાન્ય તે પીંડિત. સંગ્રહનયના મતે “સામાન્ય એક, નિત્ય, નિરવયવી, અક્રિયા અને સર્વગત છે. સર્વત્ર હોવાથી એક છે, અવિનાશી હોવાથી નિત્ય છે, દેશરહિત હોવાથી નિરવયવી છે, દેશાન્તરગતિશૂન્ય હોવાથી અક્રિય છે અને અક્રિય હોવાથી સર્વગત છે. વ્યવહારનય :
સંગ્રહનયથી ગ્રહણ કરાયેલ પદાર્થોનો ભેદક-યોગ્ય રીતિથી વિભાગ કરવાવાળો વ્યવહાર નય છે. એના પણ બે ભેદક છે : એક સામાન્યભેદક અને બીજો વિશેષભેદક. સામાન્ય સંગ્રહમાં ભેદ કરવાવાળો સામાન્યભેદક વ્યવહાર છે. જેમકે દ્રવ્યના બે ભેદ છે : એક જીવ અને બીજો અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરવાવાળો વિશેષભેદક વ્યવહાર છે. જેમકે-જીવના બે ભેદ છે. એક સંસારી અને બીજો મુક્ત. આ રીતે વ્યવહાર એ સામાન્યનો તિરસ્કાર કરે છે તેથી પણ તેને વ્યવહાર કહેવાય છે, અથવા લોક એ વિશેષથી વ્યવહારમાં જ તત્પર છે, તેથી પણ તેને વ્યવહાર કહેવાય છે, અથવા લોક એ વિશેષથી વ્યવહારમાં જ તત્પર છે, તેને વિષય કરનાર હોવાથી પણ એ નય વ્યવહાર કહેવાય છે. આ નયના મતે “સત્' એ વિશેષોથી જુદું નથી. કારણ કે - “સત', શબ્દથી વ્યવહાર કરવા લાયક વિશેષોનું જ ગ્રહણ થાય છે. વિશેષોથી ભિન્ન સામાન્યની ઉપલબ્ધિ થતી નથી. તેથી વિશેષ એ “ખકુસુમવત’ અસત્ છે, એમ આ નય માને છે. ઘટપટાદિ વિશેષો એ સૌને સ્વપ્રત્યક્ષ છે તથા જલાહરણાદિ લોકવ્યવહાર પણ વિશેષો વડે જ કરાય છે. આ નય વ્યવહારને જ મુખ્ય માનતો હોવાથી, પાંચ વર્ણ વડે યુક્ત હોવા છતાં, ભ્રમરાદિનો શ્યામવર્ણ સ્પષ્ટ હોવાથી તેને માત્ર શ્યામવર્ણવાળો જ માને છે. જુસૂત્રનય :
ઋજુ અટલે અવક્ર, અર્થાત્ વસ્તુને અવક્રપણે સરળતાથી, સૂત્ર એટલે કહે તે ઋજુસૂત્ર. અવક્રનો અર્થ અહીં પ્રત્યુત્પન્ન (વર્તમાનકાલીન) અને “સ્વકીય” (પોતાની) એવો વિવક્ષિત છે. વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ, એ આ નયનો વિષય છે. અતીત વસ્તુ નાશ પામેલ છે. અનાગત વસ્તુ ઉત્પન્ન થયેલ નથી. તથા પરકીય વસ્તુ
૩૮ ,
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org