________________
૭ શ્રી નવકારમંત્રનો પ્રભાવ અને નયોનું નિરૂપણ ૭
પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવારૂપ મહામંત્ર શ્રી “નવકાર મંત્ર' તરીકે શ્રી જિનશાસનમાં સુપ્રસિદ્ધ છે. શ્રી જિન શાસનના મંતવ્ય મુજબ શ્રી “નવકાર મંત્ર' સર્વ માંગલિકોનું મૂળ છે, સમસ્ત શ્રી જૈનશાસનનો સાર છે. અગિયાર અંગ અને ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે તથા સદેવ શાશ્વત છે.
એ શ્રી ‘નવકારમંત્ર' નું ધ્યાન આપતાં શ્રી પ્રવચનસારોદ્ધાર’ વૃત્તિકાર ફરમાવે છે કે
सर्वमन्त्ररत्नानामुत्पत्त्याकरस्य प्रथमस्य, कल्पितपदार्थकरणैककल्पद्रुमस्य, विषविषधरशाकिनीडाकिनीयाकिन्यादिनिग्रहनिरवग्रहस्वभावस्य, सकलजगद्वशीकरणाकृष्टयाद्यव्यभिचारिप्रौढप्रभावस्य, चतुर्दशपूर्वाणां सारभूतस्य, पञ्चपरमेष्ठिनमस्कारस्य महिमाऽत्यद्भुतं वरीवर्तते त्रिजगत्याकालमिति निष्प्रतिपक्षमेतत्सर्वसमयविदाम् ।।
““સર્વ મત્રરત્નોની ઉત્પત્તિનું મૂળ સ્થાન, સર્વ ઈચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષધર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર, સકલ જગતનું વશીકરણ કરવા માટે અવ્યભિચારી, પ્રૌઢપ્રભાવસંપન્ન, ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચપરમેષ્ઠી-નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વ કાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્ભુત છે, એ વાત સર્વ સિદ્ધાન્તવિદો નિર્વિવાદપણે સ્વીકારે છે.
લોકમાં જેમ ધર્માસ્તિકાયાદિ ષડૂ દ્રવ્યો પ્રસિદ્ધ અને સ્વયંસિદ્ધ છે તેમ શ્રી નવકાર મંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિદ્ધ અને સ્વયંસિદ્ધ (અકૃત્રિમ) છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશીથ નામના છેદસૂત્રમાં શ્રી નવકાર મંત્રની ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વ શ્રુતસ્કંધોમાં તેને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વશ્રતાભ્યન્તરતા અનેક પ્રકારે સિદ્ધ કરવામાં આવી છે “પંચ-પરમેષ્ઠી-નમસ્કાર એ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે તેથી તે સર્વ શ્રતની અભ્યતર સમાઈ જાય છે એટલું જ નહિ પરંતુ શ્રી નંદીસૂત્રમાં સર્વ શ્રુતસ્કંધોનું વર્ણન કરતી વખતે પંચ નમસ્કારાત્મક પંચમંગલ મહાશ્રુતસ્કંધને પૃથફ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વશ્રુતાભ્યન્તર છે એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
શ્રી નવકાર મંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેની કાંઈક ઝાંખી કરાવવા માટે પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ગુર્જર ગિરામાં ગુણ્ડિત પદ્યબદ્ધ શ્રી પંચપરમેષ્ઠી-ગીતા માં અલંકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં ફરમાવે છે કે
પર્વતમાં જેમ મેરુ, વૃક્ષમાં જેમ કલ્પતરુ, સુગન્ધમાં જેમ ચન્દન, વનમાં જેમ નન્દન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરુડ), તારામાં જેમ ચંદ્ર, નદીઓમાં જેમ સુરનદી (ગંગા), રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઈન્દ્ર, ઉદધિમાં જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ શ્રી રમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ અષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઈશુરસ, ફૂલમાં જેમ અરવિંદ (કમલ), ઔષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદન (રામચંદ્રજી), સત્યવાદીઓમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્ય વ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વજરત્ન (હીરો), નરમાં જેમ નીરોગી નર, શીતલતામાં જેમ હિમ અને ધીરતામાં જેમ ધીરવ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ત્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી.”
AN ૩૦
ચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org