SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે પ્રતિપાદન કરેલું છે. પ્રશ્ન :- શ્રી નમસ્કાર મંત્ર કોઈપણ વર્તમાન આગમ સૂત્રમાં નવ પદ, આઠ સંપદા અને અડસઠ અક્ષર પ્રમાણ છે એમ કહેલું નથી, પરંતુ શ્રી ભગવતી આદિ સિદ્ધાન્તમાં શ્રી નમસ્કારનાં પાંત્રીસ અક્ષર પ્રમાણ પ્રથમ પાંચ જ પદો કહેલાં છે. તેથી કેટલાક શ્રી નમસ્કાર મંત્રને નવપદાત્મક નહિ કિન્તુ પંચપદાત્મક જ માને છે તો તે વ્યાજબી છે? ઉત્તર ઃ- ભગવાન શ્રી વજસ્વામીજી વગેરે દશપૂર્વધરાદિ બહુશ્રુત, સંવિગ્ન અને સુવિહિત મહર્ષીઓએ છેદસૂત્રાદિની વ્યાખ્યા પ્રસંગે શ્રી નમસ્કાર મંત્રને નવ પદ, આઠ સંપદા અને અડસઠ અક્ષરાત્મક કહેલો છે તેથી તેને પંચપદાત્મક નહિ પણ નવપદાત્મક માનવો તે જ વ્યાજબી છે. શ્રી મહાનિશીથ નામના શ્રુતસ્કંધની અંદ૨ પદાનુસારી લબ્ધિને ધ૨ના૨ા દશપૂર્વધર ભગવાન શ્રી વજસ્વામીજીએ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધને અડસઠ અક્ષર અને નવપદાત્મક વર્ણવેલો છે. પ્રશ્ન :- મંગળ શબ્દનો અર્થ શો છે ? ઉત્તર ઃ- ‘મંતિ હિતાર્થ સર્પતીતિમંાનમ્ ।' અથવા મંતિ પૂર્વવ્હેન અસ્માદ્યેતિ મંત્તમ્ । અર્થાત્ જે સર્વ પ્રાણીઓના હિતને માટે દોડે છે અથવા જેના દ્વારા (જેનાથી) દૂર દષ્ટ (દુર્દેવ-દુર્ભાગ્ય) દૂર ચાલ્યું જાય છે તેને મંગલ કહેવાય છે. અર્થાત્-હિતાર્થની પ્રાપ્તિ અને અહિતાર્થની નિવૃત્તિ એ મંગળનું કાર્ય છે. પ્રશ્ન :- ‘શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે’ એ અર્થને જણાવનારાં પદોનું શું તાત્પર્ય છે ? ઉત્તર ઃ- મંગળ બે પ્રકારનાં છે. દ્રવ્ય (લૌકિક) મંગળ અને ભાવ (લોકોત્તર) મંગળ. દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, ચન્દન, કેસર, કુંકુમાદિ લૌકિક મંગળ છે અર્થાત્ ફળ આપવામાં તે ઐકાન્તિક (અવશ્ય) કે આત્યન્તિક (સર્વશ્રેષ્ઠ) નથી. એ જ રીતિએ નામમંગળ અને સ્થાપનામંગળ (મંગળ એવું નામ અથવા મંગળની સ્થાપના) પણ વાંછિત અર્થની સિદ્ધિ પ્રત્યે અનૈકાંતિક (વ્યભિચારી) તથા અનાત્યંતિક (અપૂર્ણ) છે. એથી વિપરીત લોકોત્તર (ભાવ) મંગળ સર્વ અભિપ્રેત અર્થની સિદ્ધિ માટે ઐકાન્તિક (અવ્યભિચારી) અને આત્મત્તિક (સંપૂર્ણ) છે. અર્થાત્ સર્વથા અને સર્વદા મંગળરૂપ છે. એ કારણે નામ, સ્થાપના યા દ્રવ્ય મંગળની અપેક્ષાએ ભાવમંગળ પૂજનીય અને પ્રધાન છે. એ ભાવમંગળ તપ, જપ, યમ, નિયમાદિ અનેક પ્રકારે છે. એ સર્વમાં પણ ‘શ્રી પંચ-૫૨મેષ્ઠી-નમસ્કાર’ એ ઉત્કૃષ્ટ (સૌથી મોટું) મંગળ છે. કારણ કે એમાં જે પરમેષ્ઠીઓને નમસ્કા૨ ક૨વામાં આવ્યો છે તે પરમેષ્ઠીઓ ૫૨મ મંગળરૂપ, પરમ લોકોત્તમરૂપ અને પરમ શરણાગતવત્સલરૂપ છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે - चत्तारि मंगलं । अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ।' चत्तारि लोगुत्तमा । अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो । चत्तारि सरणं पवज्जामि । अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्मं सरणं पवज्जामि । અર્થાત્ - ચાર વસ્તુઓ મંગળરૂપ છે. શ્રી અરિહંતો મંગળરૂપ છે, શ્રી સિદ્ધો મંગળરૂપ છે, શ્રી સાધુઓ મંગળરૂપ છે, કેવલીપ્રજ્ઞપ્ત (કેવલીકથિત) ધર્મ મંગળરૂપ છે. ચાર વસ્તુઓ લોકોત્તમ છે. શ્રી અરિહંતો લોકોત્તમ છે, શ્રી સિદ્ધો લોકોત્તમ છે, શ્રી સાધુઓ લોકોત્તમ છે, ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy