________________
કરવાથી થઈ શકતી નથી. જેમકે - રાજદિને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યમાત્રને નમસ્કાર કરવાથી થઈ શકતી નથી. આમ ફળની વિશેષતાને લઈને સાધુઓને નમસ્કાર કરવા છતાં શ્રી અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવો યોગ્ય છે.
પ્રશ્ન:- પ્રથમ નમસ્કાર જે સૌમાં મુખ્ય હોય તેને કરવો જોઈએ. શ્રી અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠીઓમાં સર્વથા કૃતકૃત્ય હોવાથી શ્રી સિદ્ધો મુખ્ય છે. તેથી “યથાપ્રધાન ન્યાયને અનુસરીને પ્રથમ શ્રી સિદ્ધભગવંતોને નમસ્કાર કરવો જોઈએ અને પછી અનુક્રમે શ્રી અરિહંતાદિને નમસ્કાર કરવો જોઈએ.
ઉત્તર :- શ્રી સિદ્ધોને જાણવાનું કાર્ય પણ શ્રી અરિહંતોના ઉપદેશ સિવાય અશક્ય છે. તથા શ્રી અરિહંતો તીર્થના પ્રવર્તન દ્વારા ઘણા જીવો ઉપર ઉપકાર કરે છે; એટલું જ નહીં પણ શ્રી સિદ્ધના આત્માઓ પણ શ્રી અરિહંતોના ઉપદેશથી જ ચારિત્રનો આદર કરી કમરહિત બની સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. એ કારણે શ્રી સિદ્ધોની પૂર્વે શ્રી અરિહન્તોને નમસ્કાર કરવો એ વ્યાજબી છે.
પ્રશ્ન :- જો એ રીતે ઉપકારીપણાનો વિચાર કરીને નમસ્કાર કરવાનો હોય તો આચાર્ય આદિને પ્રથમ નમસ્કાર કરવો ઉચિત છે; કારણ કે કોઈ સમયે આચાર્ય આદિથી પણ શ્રી અરિહન્ત આદિનું જ્ઞાન થાય છે. આચાર્ય આદિ પણ મહોપકારી બનતા હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ.
ઉત્તર :- આચાર્યાદિને ઉપદેશ આપવાનું સામર્થ્ય શ્રી અરિહંતોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે, કિન્તુ સ્વતંત્ર રીતિએ પ્રાપ્ત થતું નથી. અર્થાત્ સર્વ વસ્તુઓના પ્રથમ પરમાર્થજ્ઞાપક (પરમાર્થનું જ્ઞાન કરાવવાવાળા) શ્રી અરિહંતો જ છે. એ કારણે સૌથી પ્રથમ નમસ્કાર તેઓને જ કરવો જોઈએ. લોકમાં પણ પરિષદને નમસ્કાર કર્યા બાદ રાજને પ્રણામ કરવાનો રિવાજ નથી, કિન્તુ રાજાને પ્રણામ કર્યા બાદ જ પર્ષદને પ્રણામ કરવાનો રિવાજ છે. તે જ રીતે અહીં પણ પર્ષદારૂપ શ્રી આચાર્ય આદિને નમસ્કાર કરીને રાજારૂપ શ્રી અરિહન્તને પછી નમસ્કાર કરવો તે યોગ્ય નથી કિન્તુ રાજારૂપ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા બાદ જ પર્ષદારૂપ શ્રી આચાર્ય આદિને નમસ્કાર કરવો એ યુક્તિયુક્ત છે; એ સંબંધમાં કહ્યું છે કેपुवाणुपुवि न कमो, नेव य पच्छाणुपुब्बि एस भवे । सिद्धाइआ पढमा, बीआए साहुणो आई ॥१॥ अरहन्तुवएसेणं, सिद्धा नजन्ति तेण अरिहाई । नवि कोई परिसाए, पणमित्ता पणमइ रण्णो ॥२॥
પ્રશ્ન :- શ્રી નમસ્કાર મંત્રનો ક્રમ પૂર્વાનુપૂર્વી હોય તો “સિદ્ધો' ને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ અને પશ્ચાનુપૂર્વી હોય તો “સાધુઓ' ને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ. ૧.
ઉત્તર :- શ્રી અરિહન્તોના ઉપદેશથી સિદ્ધાત્માઓનું જ્ઞાન થાય છે તથા પરિષદને પ્રણામ કરીને કોઈ રાજાને પ્રણામ કરતું નથી. એ કારણે રાજાના સ્થાને શ્રી અરિહંતોને જ આદિ નમસ્કાર કરવો યોગ્ય છે. ૨. एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
અર્થાતુ- “એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ (પ્રકર્ષે નાશ) કરનાર છે તથા સર્વ પ્રકારનાં મંગળોમાં પ્રથમ મંગળ છે.” -એ ચાર પદોમાં નમસ્કારના ફળનું વર્ણન છે. આમ ફળના વર્ણનને મૂળ મંત્ર કહેવો એ શું યોગ્ય છે?
ઉત્તર :- શ્રી નમસ્કાર મંત્રનાં છેલ્લાં ચાર પદો એ શ્રી નમસ્કાર મંત્રની ચૂલિકા છે. ચૂલિકાને મૂળ મંત્રથી ભિન્ન ગણવી એ યોગ્ય નથી. ફળનું વર્ણન એ પણ શ્રી નમસ્કારનું જ વર્ણન છે. અન્યત્ર નામસ્તવ અધ્યયનાદિમાં પણ ફળવર્ણન સહિત સઘળાં પદો અધ્યયનરૂપ ગણાયાં છે. “છત્તાધાના: સમારH: /' એ ન્યાયે જેના ફળનું જ્ઞાન નથી તેમાં વિદ્વાનોની પ્રવૃત્તિ પણ થતી નથી. એ કારણે ચૂલિકા સિવાયનો શ્રી નમસ્કાર મંત્ર એ અપૂર્ણ અને વિદ્વાનોની પ્રવૃત્તિ માટે અયોગ્ય છે. શ્રી આગમ ગ્રન્થોમાં પણ ચૂલિકા સહિત સમગ્ર શ્રી નવકાર મંત્રનું મહામંત્ર
નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org