________________
નમસ્કારમહામંત્ર-આવશ્યકવિચાર *
પ્રશ્ન : - “શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર,’ એ પદનો અર્થ શો છે?
ઉત્તરઃ- પરમપદે વિરાજમાન શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુ, એ પાંચ પરમેષ્ઠીઓને નમવાની ક્રિયાનું નામ શ્રી પંચ-પરમેષ્ઠી નમસ્કાર છે.
પ્રશ્ન :- એ પાંચને પરમેષ્ઠીઓ કેમ કહેવાય છે?
ઉત્તર :- પરમ અર્થાત્ ઉત્કૃષ્ટસ્થાનમાં સ્થિત હોવાથી શ્રી અરિહંતાદિ પાંચેયને પરમેષ્ઠીઓ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- શ્રી પંચ પરમેષ્ઠી-નમસ્કાર-મંત્રને “નવકારમંત્ર” કેમ કહેવાય છે?
ઉત્તર :- “નવલું પ૬ વાર: જ્યિ : બિન સ નવવાર: ” અથવા “નવ ફાર: ક્રિયા યમનું સ નવકાર: ' અર્થાતુ- “જેનાં નવે પદોમાં (પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્વારા ગણવારૂપ) ક્રિયામાં ભેદ છે અથવા જેમાં (ગણવારૂપ) નવ ક્રિયાઓ છે, તેને નવકાર કહે છે. એ કારણે શ્રી પંચપરમેષ્ઠીનમસ્કાર મહામંત્રનું બીજું નામ “શ્રી નવકાર મંત્ર' પણ છે.”
પ્રશ્નઃ શ્રી નવકાર મંત્રમાં ‘નમો’ એ પદનો પ્રથમ અક્ષર “ન' સમજવો કે “' સમજવો?
ઉત્તર : પ્રાકૃતમાં આદિમાં “નકારના સ્થાનમાં “ણકાર' આદેશ વિકલ્પ થાય છે તેથી “નમો’ અને ‘Uાનો એ બંને પદો શુદ્ધ હોવા છતાં “ણકાર' એ (છન્દઃ-શાસ્ત્રમાં નિષિદ્ધ) દગ્ધાક્ષર છે તેથી “નો પદનું ઉચ્ચારણ જ શુદ્ધ માનેલું છે. કેટલાક “ણકાર'ને જ્ઞાનનો વાચક માની, દગ્ધાક્ષર હોવા છતાં તેને મંગલસ્વરૂપ માને છે અને નો પદનું ઉચ્ચારણ કરે છે પરંતુ તે બહુ પ્રચલિત નથી.
પ્રશ્ન:- “નમ:' પદનો સંક્ષેપમાં શો અર્થ છે?
ઉત્તર :- નમ:' એ નૈપાતિકપદ દ્રવ્ય અને ભાવના સંકોચ (સંક્ષેપ) અર્થમાં વપરાયેલું છે. હાથ, પગ અને મસ્તકાદિ શરીરના અવયવોની ગ્રહણ, કમ્પન અને ચલનાદિ ક્રિયાઓને રોકવી, નિયમિત કરવી, એ દ્રવ્યસંકોચ છે અને વિશુદ્ધ મનનો નિયોગ (મનનું શુદ્ધ પ્રણિધાન) એ ભાવસંકોચ છે. અર્થાત-“નમ:' એ પદથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારના નમસ્કારનું ધોતન થાય છે.
પ્રશ્ન :- “નમો અરિહંતાણં ' એ પાઠની જગ્યાએ “અરહંતા અને “દંતi ” પાઠ પણ મળે છે, તો એ ત્રણમાંથી કયો પાઠ સાચો છે?
ઉત્તર :- “નમો રિહંતા એ જ પાઠ સાચો છે, તો પણ શ્રી અરિહંત પરમાત્માના જુદા જુદા ગુણોની અપેક્ષાએ અર્થથી ત્રણે પાઠો એકજ અર્થને કહેનારા છે, તો પણ પાઠભેદ ન થવાની ખાતર “નનો રિહંતા ' પદનું ઉચ્ચારણ જ શુદ્ધ માનેલું છે.
પ્રશ્ન:- અરિહંત, અરહંત અને અહંત-એ ત્રણે પદોના અર્થમાં શો તફાવત છે?
ઉત્તરઃ- પ્રથમ શ્રી “અરિહંત' પદનો સંક્ષિપ્ત અર્થ વિચારીએ. ‘સર’ એટલે “દુશ્મન' તેને “દંત' એટલે હણનાર' એવો અર્થ થાય છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે – अट्ठविहंपि य कम्मं, अरिभु होई सव्वजीवाणं । तं कम्ममरि हता, अरिहंता तेण वुच्चन्ति ॥१॥
આઠ પ્રકારનાં કર્મ એ જ સર્વજીવોને અરિભૂત અર્થાત્ શત્રુરૂપ છે, તે કર્મરૂપ શત્રુઓનો નાશ કરનારા હોવાથી શ્રી “અરિહંત' કહેવાય છે.
આવશ્યક નિયુકિત આદિ પ્રાચીન શાસ્ત્રોના આધારે
N નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org