SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ‘ગા તુ ઉરિપૂf ફર્યથઃ વ: વા. વર રૂટ્યર્થ, તેવુ ધવ: ' યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં અસમર્થ એવા જે અનિપુણ શિષ્યો, તેને વિષે શાસ્ત્રોક્ત ઉપદેશને દેનારા હોવાથી સાધુ-સુંદર તે આચાર્ય. ૧૦. ઉપર્યુક્ત વર્ણન ભાવાચાર્યનું છે. એ સિવાય નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય આદિ અનેક પ્રકારના આચાર્યો છે, જેમાં જે ભાવાચાર્યના કારણરૂપ આચાર્ય છે તે ઉપાદેય છે, શેષ અનુપાદેય છે. ભાવાચાર્યો ભવ્યજીવોને જ્ઞાનાદિ આચારના ઉપદેશક હોવાથી ઉપકારી છે, નમસ્કરણીય છે અને પૂજનીય છે. ઉપાધ્યાયપદનું વિશેષ આખ્યાન ૧. આશ્રવનાં દ્વારોને સારી રીતે રોકીને તથા મન વચન કાયાના યોગોને સારી રીતે વશ કરીને જેઓ વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ અને અક્ષરવડે વિશુદ્ધ એવું દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરે-કરાવે છે, તથા તે દ્વારા સ્વપરના મોક્ષના ઉપાયોને ધ્યાવે છે તે વિઝાય. ૨. ચિરપરિચિત એવા દ્વાદશાંગ શ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમપર્યયોવડે ચિંતવે છે, વારંવાર સ્મરણ કરે છે અને એકાગ્ર મનથી ધ્યાન કરે છે તે ઉવઝાય. એ રીતે અનેક પ્રકારે ઉપાધ્યાયપદનું આખ્યાન કરાય છે. સૂપ્રદાનદ્વારા ભવ્ય જીવોના ઉપકારક હોવાથી નમસ્કરણીય છે. સાધુ પદનું વિશેષ આખ્યાન અત્યંત કષ્ટકારી ઉગ્રતર અને ઘોર તપશ્ચરણાદિ અનુષ્ઠાન કરવા વડે અનેક વ્રતો, નિયમો, ઉપવાસો અને વિવિધ પ્રકારના અભિગ્રહો યુક્ત સંયમનું પાલન કરવા વડે તથા સમ્યક પ્રકાર પરિષહ ઉપસગદિ કષ્ટોને સહન કરવા વડે જેઓ સર્વ દુઃખોનો અંત કરનાર મોક્ષને સાધે છે તે સાધુઓ. અન્ય રીતે પણ સાધુપદનું આખ્યાન થાય છે. સંયમના પાલનવડે સંયમમાં સહાયકારક હોવાથી સંયમના અર્થી આત્માઓને નમસ્કરણીય છે. નમસ્કારમંત્રની ચૂલિકાનું આખ્યાન એ પાંચને કરેલો નમસ્કાર શું કરે? સર્વ પાપ જ્ઞાનાવરણીયાદિ અશેષ કર્મોનો પ્રકર્ષે કરીને, ખંડોખંડ કરીને દિશોદિશ નાશ કરે છે. ચૂલિકાનો આ પહેલો ઉદ્દેશ છે. વળી એ નમસ્કાર કેવો છે? માર્ગ એટલે નિર્વાણ સુખને સાધવાને સમર્થ છે. સમ્યગુદર્શનાદિની આરાધનાસ્વરૂપ અહિંસાલક્ષણ ધર્મને લાવે તે મંગલ અથવા મને ભવથી સંસારથી ગાળ-તારે તે મંગલ અથવા બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિતાદિ આઠ પ્રકારની મારી કર્મરાશિને ગાળે શમાવે તે મંગલ. આ સર્વ અને બીજાં પણ મંગલો, તેને વિષે પ્રથમ એટલે આદિ મંગલ. કારણ કે-અરિહંતાદિની સ્તુતિ પરમ મંગલરૂપ છે તથા ઐકાન્તિક અને આત્મત્તિક ફળદાયી હોવાથી ભાવમંગલ છે. સર્વ પાપનો પ્રણાશ કરનાર અને મંગલરૂપ કહેવાથી પ્રયોજનાદિ પણ કહેવાઈ ગયા. પંચપરમેષ્ઠિનમસ્કારનું પ્રયોજન-અનંતરકાર્ય કર્મનો ક્ષય અને મંગલનું આગમન છે. તથા ફળ-પરંપરકાર્ય, આ લોક અને પરલોક વિષે એમ બે પ્રકારનું છે. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની નિષ્પત્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં ઉત્પત્તિ અને બોધિની પ્રાપ્તિ. વળી કહ્યું છે કેताव न जायइ चित्तेण, चिंतियं पत्थियं च वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥१॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કર્યું નથી. આ જ છે કરે છે . જો કે આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ! THE RE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy