________________
૧૨. અરુંધષ્ઠ: ' સંસારમાં હવે જેમને કોઈ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ કરનારા.
સિદ્ધપદનું વિશેષ આખ્યાન ૧. “નિરુમસુખ સિદ્ધાંજ હિં તે સિદ્ધાઃ ” નિરુપમ સુખો જેમના સિદ્ધ થયાં છે અર્થાતુ નિષ્પકંપ શુક્લધ્યાનાદિના અચિન્ય સામર્થ્યથી સ્વજીવવીર્યરૂપ યોગનિરોધ નામના મહાપ્રયત્નવડે જેમને પરમાનંદસ્વરૂપ મહાન ઉત્સવ અને કલ્યાણના કારણભૂત નિરુપમ સુખો સિદ્ધ થયાં છે તે સિદ્ધો.
૨. “કૃપયા વે સિદ્ધાદ્વીમ તિ સિદ્ધાઃ ! 'આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો.
૩. વિ વર્મ્સ, -મસમભૂમિતિ સિદ્ધાઃ ! “દીર્ઘકાળથી ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેઓનાં ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો.
૪. “લ નિખિ સત્તાગોળના પ્રતિનિતિ સિદ્ધ: I' સિદ્ધ અર્થાત નિતિ, પરિપૂર્ણ થયો છે સર્વ પ્રયોજનોનો સમુદાય જેમનો તે સિદ્ધો. તે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, જિનસિદ્ધ, અજિનસિદ્ધ, ગૃહિલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, મુનિલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, અનેકસિદ્ધ, એકસિદ્ધ, ઇત્યાદિ અનેક ભેદોવાળા છે.
૫. (ક) “ધૂ ત્યાં ' ફરી પાછું ન આવવું પડે તે રીતે નિવૃતિપુરીમાં ગયેલા. (ખ) કિધૂ સંદ્ધી ' સિદ્ધ થયેલા, નિષ્ઠિતાર્થ થયેલા. (ગ-૧) “વધુ શાસ્ત્રમાંન્યોઃ |’ જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂપતાને પામ્યા તે સિદ્ધો. (ડ) સિદ્ધા-નિત્યા ? અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી નિત્ય. (૨) સિદ્ધા-વ્યતા ” ગુણસંદોહને પામેલા હોવાથી ભવ્ય જીવોને વિષે પ્રસિદ્ધ. ઉપર્યુક્ત છ અર્થોને કહેનાર નીચેની એક ગાથા છે.
मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ સિદ્ધ અવિનાશી જ્ઞાન, સુખ, વીર્યાદિ ગુણ યુક્ત હોવાથી, ભવ્ય આત્માઓને સ્વવિષયક અતીવ પ્રમોદના પ્રકર્ષને ઉત્પન્ન કરનારા છે અને એ રીતે ભવ્ય જીવોને પરમ ઉપકાર કરનારા છે તેથી નમસ્કરણીય છે.
આચાર્યપદનું વિશેષ આખ્યાન ૧. જ્ઞાનાદિ છત્રીસ આચારોને અહર્નિશ પ્રતિક્ષણ આચરવાથી તથા ઉપદેશવાથી ભાવાચાર્ય. ૨. બીજાઓનું તથા પોતાના આત્માનું હિત આચરનારા હોવાથી આચાર્ય.
સર્વ સત્ત્વો અથવા શિષ્યગણોનું હિત આચરનારા હોવાથી આચાર્ય. ૪. પ્રાણપરિત્યાગે પણ પૃથ્વીકાયાદિના સમારંભને જેઓ આચરતા નથી, બીજા પાસે આચરાવતા નથી અને
આચરનારાને મનથી પણ સારા જાણતા નથી તેથી આચાર્ય. ૫. પોતા ઉપર અત્યંત કોપ કરનારા પ્રત્યે પણ મનથી જે પાપને આચરતા નથી તે આચાર્ય.
‘મર્યાદા વયન્ત સેવ્યને રૂત્યવાર્યો' શ્રી જિનશાસન સંબંધી તત્ત્વોના ઉપદેશકો હોવાથી તેના અર્થી આત્માઓ વડે જેઓ વિનયાદિ મર્યાદાપૂર્વક સેવાય તે આચાર્ય. કાવારો જ્ઞાનાવારિ, તત્ર સાધવ: વાર્થી : ' જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારનો ભાવ આચાર, તેનું સ્વય પાલન કરવામાં અને અન્ય અર્થી આત્માઓને પાલન કરાવવામાં સાધુ-કુશળ તે આચાર્ય.
મયા માતપિયા વાડી વિહાર: તત્ર સાધવ ' માસકલ્પાદિકરૂપ મર્યાદા વડે જે ચાર એટલે વિહાર, તેમાં સાધુ અર્થાત્ નિપુણ તે આચાર્ય.
ક
છે
ર
R
8
8
.
સંક્ષિપ્ત પરિચય
જે
તે
છે ને કે
છે For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org