SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ સંભળાવ્યો શ્રીનવકાર સ્વયંમુખ, ઇન્દ્રભુવન અવતાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૫ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયસંયોગ, ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઉંબરનું રક્તપિત્તનો રોગ; નિશ્ચ શુંજપતાં નવનિધિ થાય, ધર્મતણો આધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૬ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, વરણી કરવા ઘાત, પરમેષ્ઠિપ્રભાવે હાર ફૂલનો, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીયે પિંગલ કીધો, પાપણો પરિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જાતિ રાખી રહીને, પાડી બાણપ્રહાર, પદ પંચ સુગંતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. કંબલ સંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં માન, દીધે નવકારે ગયા દેવલોકે, વિલસે અમરવિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૯ આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકારતણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તો, નિત્ય જપી નવકાર. ૧૦ પરમેષ્ઠિસુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર, પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો મણિધરને એક મોર; સદગુરુ સમ્મુખ વિધિએ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જીર્ષે નવકાર. ૧૧ શૂલિકારો પણ તસ્કર કીધો, લોહખરી પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની રિદ્ધ; શેઠ તપે ઘર વિપ્ન નિવાય, સુરે કરી મનોહાર, સો ભવિયા ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૧૨ શ્રી નમસ્કારમંત્રનો છંદ ૪૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy