________________
ત્રૈલોક્યદીપકમહામંત્રાધિરાજ (સંક્ષિપ્તપરિચય)
પંચપરમેષ્ઠિમહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પાંચ પદોના પાંત્રીસ અક્ષર અને ચૂલિકાના ચાર પદોનાં તેત્રીસ અક્ષર મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે,નવકા૨ના નવ પદો ગણાય છે, તે વિમજ્યાં પવમ્ ।' જેને છેડે વિભક્તિ છે, તે પદ ગણાય છે' એ અર્થમાં નહિ, કિન્તુ ‘નમો રિહંતાળું' ઈત્યાદિ વિવક્ષિત અવધિયુકત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે. નવકા૨ના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ, ત્રીજા પદમાં સાત, ચોથા પદમાં સાત, પાંચમા પદમાં નવ, છટ્ઠા પદમાં આઠ, સાતમા પદમાં આઠ, આઠમા પદમાં આઠ ને નવમા પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મળીને કુલ સંખ્યા અડસઠની થાય છે.
નવપદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિસ્થાનો અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન દીઠ એકેક આયંબિલ ક૨વા દ્વારા, કુલ આઠ જ આયંબિલ ક૨વા ફરમાન કર્યું છે.
નવ પદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં સાત સંપદાઓ પ્રથમનાં સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લાં બે પદોની મળીને સત્તર અક્ષ૨પ્રમાણ છે, જેમકે ‘મંાતાળ ચ સવ્વેસિં, પઢમં હવદ્ મંત્રં ।' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષરવાળી છે, જેમકે- સો પંચ નમુવારો, સવ્વપાવપાતળો ।' એ રીતે નવપદમય, અને પાંત્રીસ અક્ષરપ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીસ અક્ષર પ્રમાણ ચૂલિકા, કુલ અડસઠ અક્ષરપ્રમાણ પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને, આઠ સંપદાઓવડે ભક્તિ સહિત ભણવાથી, શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ શ્રી ચૈત્યવંદનભાષ્ય, શ્રી પ્રવચનસારોદ્વાર, શ્રી નમસ્કારપંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં ફ૨માવ્યું છે.
શ્રી મહાનિશીથ સિદ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે - ‘એ રીતે પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધવડે સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિવડે અનંતગમપર્યવ સહિત, જેવી રીતે અનંતજ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થંકર દેવોવડે કરાયેલું છે, તેવી રીતે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલપરિહાનિના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. વ્યતીત થતા કાલ સમયમાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારી લબ્ધિ અને દ્વાદશાંગ શ્રુતને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીથ) ની અંદર લખ્યો, મૂલસૂત્ર સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી ત્રૈલોક્યપૂજ્ય ધર્મતીર્થંકર અરિહંત ભગવંત શ્રી વીરજિનેન્દ્રે પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે. મૂલસૂત્રમાં જ્યાં સૂત્રાલાપકો એક પદની સાથે બીજા પદને અનુલગ્ન ન મલે, ત્યાં ખોટું લખ્યું છે, એવો દોષ શ્રુતધરોએ ન દેવો; પરન્તુ મથુરા નગરીમાં સુપાર્શ્વનાથસ્વામી ના સ્ટુભ-સ્તૂપ આગળ પંદર ઉપવાસ ક૨વાથી પ્રસન્ન થયેલ શાસનદેવતાએ, ઊધઈ આદિ વડે ખંડખંડ થયેલી અને સડી ગયેલાં પાનાંવાળી મૂળ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરી અને આચાર્ય હરિભદ્રસૂરિએ અચિત્ત્વચિન્તામણિકલ્પ આ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાન અર્થોના સમુદાયવાળું જાણીને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સત્ત્વોના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું, તેવું સર્વ સ્વમાંતથી શોધીને લખ્યું છે. તેનું બીજા પણ શ્રી સિદ્ધસેન, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રુતધરોએ બહુમાન કરેલું છે.
* શ્રી મહાનિશીથ આદિ સિદ્ધાંતોને આધારે.
સંક્ષિપ્તપરિચય
*
Jain Education International
For Private & Personal Use Only
૯
www.jainelibrary.org