SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. ૫૮ ताब न जायइ चित्तेण चिंतियं पत्थियं च वायाए । काएणं पारद्धं जाव न सरिओ नमुक्कारो ॥५९॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. ૫૯ अन्नं च इमाओ चिय न होइ मणुओ कयाइ संसारे । दासो पेसो दुभगो नीओ विगलिंदिओ चेव ॥६०॥ વળી આ નવકા૨થી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચ કે વિકલેન્દ્રિય-અપૂર્ણ ઇન્દ્રિયવાળો થતો નથી. ૬૦ इहपरलोयसुहयरो इहपरलोयदुहदलणपच्चलओ । एस परमेट्ठिविसओ भत्तिपत्तो नमुक्कारो ॥ ६१॥ પરમેષ્ટિવિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરે છે તથા આ લોક અને પરલોકનાં દુઃખને દળે છે. ૬૧ किं वन्निएण बहुणा ? तं नत्थि जयम्मि जं किर न सक्को । काउं एस जियाणं भत्तिपत्तो नमुक्कारो ॥ ६२ ॥ વળી બહુ વર્ણન ક૨વાથી શું ? આ જગતમાં તેવું કાંઈ જ નથી કે જે ભક્તિ પ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય. ૬૨ जइताव परमपदुलहं संपाडइ परमपयसुहं पि इमो । ता तदणुसंगसज्झे तदन्नसुक्खम्मि का गणणा ? ॥६३॥ પરમદુર્લભ એવા પરમપદનાં સુખોને પણ જો આ પમાડે તો તેના અનુષંગથી સાધ્ય અન્યસુખોની તો ગણના જ શી ? ૬૩ पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगेणं ॥६४॥ ૫૨મ-પદ-પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે તે સર્વે પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે. ૬૪ सुचिरं पितवो वियं चित्रं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रई तओ तं गयं विहलं ॥ ६५ ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું (જાણવું.) ૬૫ चउरंगाए सेणाए नायगो दीवगो जहा होइ । तह भावनमुक्कारो दंसणतवनाणचरणाणं ॥६६॥ ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવનમસ્કાર દીપક સમાન છે. भावनमुक्कारविवज्जियाइं जीवेण अकयकज्जाई । गहियाणि य मुक्काणि य अनंतसो दव्वलिंगाई ॥६७॥ तम्हा नाऊणेवं जत्तेण तुमं पि भावणासारं । आराहणाकयमणो मणम्मि सुंदर ! तयं धरसु ॥ ६८॥ ભાવનમસ્કા૨૨હિત જીવે અનંતીવા૨ દ્રવ્યલિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એકમનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવનમસ્કારને) મનને વિષે ધા૨ણ ક૨. ૬૭-૬૮ हो देवाणुपिया ! पुणरूत्तं पत्थिओसि इत्थ तुमं । संसारजलहिसेउं सिढिलिज्जसु मा नमुक्कारं ॥ ६९ ॥ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ Jain Education International For Private & Personal Use Only ૪૪૭ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy