________________
નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય
છે. ૫૮
ताब न जायइ चित्तेण चिंतियं पत्थियं च वायाए । काएणं पारद्धं जाव न सरिओ नमुक्कारो ॥५९॥
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. ૫૯
अन्नं च इमाओ चिय न होइ मणुओ कयाइ संसारे । दासो पेसो दुभगो नीओ विगलिंदिओ चेव ॥६०॥ વળી આ નવકા૨થી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચ કે વિકલેન્દ્રિય-અપૂર્ણ ઇન્દ્રિયવાળો થતો નથી. ૬૦
इहपरलोयसुहयरो इहपरलोयदुहदलणपच्चलओ । एस परमेट्ठिविसओ भत्तिपत्तो नमुक्कारो ॥ ६१॥
પરમેષ્ટિવિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરે છે તથા આ લોક અને પરલોકનાં દુઃખને દળે છે. ૬૧
किं वन्निएण बहुणा ? तं नत्थि जयम्मि जं किर न सक्को । काउं एस जियाणं भत्तिपत्तो नमुक्कारो ॥ ६२ ॥ વળી બહુ વર્ણન ક૨વાથી શું ? આ જગતમાં તેવું કાંઈ જ નથી કે જે ભક્તિ પ્રયુક્ત આ નવકાર વડે જીવોને
પ્રાપ્ત ન થાય. ૬૨
जइताव परमपदुलहं संपाडइ परमपयसुहं पि इमो । ता तदणुसंगसज्झे तदन्नसुक्खम्मि का गणणा ? ॥६३॥ પરમદુર્લભ એવા પરમપદનાં સુખોને પણ જો આ પમાડે તો તેના અનુષંગથી સાધ્ય અન્યસુખોની તો ગણના જ શી ? ૬૩
पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगेणं ॥६४॥
૫૨મ-પદ-પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે તે સર્વે પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે. ૬૪
सुचिरं पितवो वियं चित्रं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रई तओ तं गयं विहलं ॥ ६५ ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું (જાણવું.) ૬૫
चउरंगाए सेणाए नायगो दीवगो जहा होइ । तह भावनमुक्कारो दंसणतवनाणचरणाणं ॥६६॥
ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવનમસ્કાર દીપક સમાન છે. भावनमुक्कारविवज्जियाइं जीवेण अकयकज्जाई । गहियाणि य मुक्काणि य अनंतसो दव्वलिंगाई ॥६७॥ तम्हा नाऊणेवं जत्तेण तुमं पि भावणासारं । आराहणाकयमणो मणम्मि सुंदर ! तयं धरसु ॥ ६८॥
ભાવનમસ્કા૨૨હિત જીવે અનંતીવા૨ દ્રવ્યલિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એકમનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવનમસ્કારને) મનને વિષે ધા૨ણ ક૨.
૬૭-૬૮
हो देवाणुपिया ! पुणरूत्तं पत्थिओसि इत्थ तुमं । संसारजलहिसेउं सिढिलिज्जसु मा नमुक्कारं ॥ ६९ ॥
શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
૪૪૭
www.jainelibrary.org