________________
એ બધાથી પર રહેનાર આત્મતત્ત્વનો વિનય છે. નમસ્કારમાં મન અને આત્માના ભેદજ્ઞાનનો વિવેક છે. નમસ્કારમાં મનનું અને કર્મનું સર્જન તુચ્છ છે, અનભિલષણીય છે એવો વિતૃષ્ણારૂપી વૈરાગ્ય છે. નમસ્કારમાં કાયા અને ઈદ્રિયોનો વ્યાપાર શાસ્ત્રાભિમુખ, આત્માભિમુખ અને ઈશ્વરાભિમુખ છે.
નમસ્કારભાવમાં અપરતત્ત્વની લઘુતા અને તુચ્છતાનું દર્શન છે, પરતત્ત્વની ઉચ્ચતા અને મહત્તા તથા દિવ્યતા અને ભવ્યતાનું ભાન છે. નમસ્કારભાવના પ્રભાવે અહંકારનો ફોડલો ફૂટી જાય છે, મમકારનું પરું નીકળી જાય છે અને આત્માને પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. મોહ જ જીવનો ખરેખરો શત્રુ છે.
અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિપક્ષી કોઈ હોય તો તે આઠ પ્રકારનાં કર્યો છે. એ કર્મોમાં પણ મોહનીયકર્મ મુખ્ય છે. આઠે કર્મોમાં તે નાયકના સ્થાને છે. એ મોહનીયકર્મને જીતવું દુષ્કર છે. તે મોહનીયર્મના બે પ્રકાર છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આ મોહનીયકર્મને જીતવાથી બીજાં સર્વ કર્મનું બળ જર્જરિત થઈ જાય છે. પરમેષ્ઠિનમસ્કારથી મોહનીયકર્મનો સમૂલનાશ થાય છે અને મોહના નાશથી બીજો આઠે કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં “સવ્વપાવપૂMાસો' એ પદ કહ્યું છે. મોહનાશનો ઉપાય
હવે નમસ્કારથી મોહનીયકર્મ કેવી રીતે નાશ પામે છે તે વિચારીએ. મોહનીકર્મમાં પણ દર્શનમોહનીય બળવાન છે. નવકારના પ્રથમપદ “નમો રિહંતા થી દર્શનમોહનીયકર્મ જિતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગુ માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. જે આત્મા ભાવથી અરિહંતને નમે છે, તેની ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે તો જે અરિહંતના માર્ગને નમ્યો છે, સન્માર્ગને નમ્યો છે, તેની ઉન્માર્ગની રુચિ ટળી છે અને તે સન્માર્ગની રુચિવાળો બન્યો છે. એથી દર્શનમોહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમેક્રમે તે સર્વથા પણ જિતાઈ જાય છે. (નાશ પામે છે.) નમસ્કારનો અચિંત્યપ્રભાવ
સામાન્યથી પણ નમવાનો પરિણામ વખણાય છે, પણ જ્યારે નમસ્કારના વિષય તરીકે અરિહંતપરમાત્માઓ આવે છે, ત્યારે તો તે નમસ્કારની શક્તિ અચિંત્યસામર્થ્યવાળી બની જાય છે. નમસ્કાર હોય પણ નમસ્કારના વિષય તરીકે કાર્યસિદ્ધિ કરવામાં અચિત્યશક્તિ ધરાવનારા જો અરિહંતપરમાત્મા ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે. એ રીતે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્મા હોય, પણ ભાવનમસ્કાર ન હોય તોપણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવનમસ્કાર અને નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે, ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનું કાર્ય જે બીજી રીતે સિદ્ધ બની શક્યું ન હતું તે કાર્ય સિદ્ધ થાય છે. આવા બળવત્તરપ્રતિપક્ષીને સહજમાં જીતનાર હોવાથી “નમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પૂંજ છે,' એમ કહેવું સર્વથા ઉચિત છે.
મોહનો પહેલો પ્રકાર દર્શનમોહ છે તેમ બીજો પ્રકાર ચારિત્રમોહ છે. આ ચારિત્રમોહના પચીસ ભેદો છે. તેમાં પણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મુખ્ય છે. હવે નમસ્કાર મહામંત્રના પવિત્રપદોનું આત્મામાં પરિણમન થાય છે ત્યારે આ ચારે કષાયોનો કેવી રીતે નાશ થાય છે તેને પણ આપણે પશ્ચાનુપૂર્વીથી વિચારીએ. ક્રોધને જીતવાનો ઉપાય : સાપુપદ
“નમો સવ્વસાહૂ આ પદથી ક્રોધને જીતવાનું બળ પ્રગટે છે. કારણ કે ભાવસાધુતાને વરેલા મુનિવરો સતત ક્ષમાને આશરે રહીને ક્રોધને જીતવા કટિબદ્ધ થયા હોય છે. એ કારણે સાધુઓને “ક્ષમાશ્રમણ'
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org