________________
લયોપશમથી થાય છે. વંદના એ ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂળભૂત વસ્તુ છે. તેથી સ્નેહપરિણામ વિકસે છે. ગુણદષ્ટિ કેળવાય છે. સમત્વભાવ પુષ્ટ થાય છે.
શરીરના પાંચ અંગો કે મન-વચન-કાયા વડે જે સત્કાર કરાય તે દ્રવ્યનમસ્કાર છે. સત્કાર, સમુપાસના, અભ્યર્ચના આદિ સમાનાર્થક છે. નમસ્કારનો પ્રથમ આધાર દેહ અને તેની ક્રિયા છે. નમસ્કારની ઉત્પત્તિ-સમુત્થાન, વાચના અને લબ્ધિ એ ત્રણ હેતુથી માનેલી છે.
સમુત્થાન એટલે દેહ, વાચના એટલે ગુરુસંયોગ અને લબ્ધિ એટલે સ્વાયોપશમ સમજવા. પ્રથમપદના ધ્યાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય
દ્રવ્ય સમાન Similar, ગુણ Same તે જ છે, પર્યાય is one એક જ છે.
પર્યાયની ધારણા વડે ગુણનું ધ્યાન થાય છે અને ગુણના ધ્યાન વડે દ્રવ્યમાં સમાધિ થાય છે. દ્રવ્ય એ ગુણનો સમુદાય છે અને ગુણ એ પર્યાયની શક્તિ છે.
નમો રિહંતા પદના જાપ વડે ઈદ્રિય, મન અને પ્રાણ ત્રણે કાબૂમાં આવે છે. ત્રણની શુદ્ધિ અને સદુપયોગ થાય છે. ત્રણે આત્માની શક્તિઓ છે, તેથી બ્રહ્મ સ્વરૂપ Divine દિવ્ય છે. ઈદ્રિય એ ઈદ્ર એટલે પરઐશ્વર્યવાન આત્માના ચિહ્ન અર્થાતુ લિંગરૂપ છે. મન એ મનન, ચિંતન અને જ્ઞાનનું સાધન છે. અને જ્ઞાન એ ચિતિશક્તિનું ચૈતન્યરૂપે પ્રકટીકરણ છે. પ્રાણ એ પણ બ્રહ્મની આત્મતત્ત્વની શક્તિ છે. તેથી જપ વખતે થતો ઈદ્રિય, મન અને પ્રાણનો વિનિયોગ એ આત્માના જ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રકટીકરણ છે. એ રીતે આત્માની સાથે મન-પ્રાણ-ઈદ્રિયની એક્તાનું ભાવન કરીને થતો જાપ સમાધિનું કારણ બને છે.
પ્રથમપદના જાપથી મોહવિષયનો વિલય થાય છે, કર્મરોગની ચિકિત્સા થાય છે અને ભવભયથી રક્ષણ મળે છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી થતું અરિહંતનું ધ્યાન પોતાના મોહ-અજ્ઞાનનો નાશ કરે છે. અરિહંતને થતો વિનય એ તપસ્વરૂપ હોઈ કર્મરોગની ચિકિત્સારૂપ બને છે અને તે દ્વારા પ્રાપ્ત થતી સમાધિ જન્મ-જરા-મરણના ભયથી મુક્ત બનાવે છે.
તીર્થકરોનું શાસન દ્રવ્ય-ગુણ-પર્યાય વડે વિશ્વનો બોધ કરાવવા સ્થાપન થયેલું છે. ગણધરોને ત્રિપદીનું દાન કર્યા પછી તીર્થંકરો તેમને દ્રવ્ય–ગુણ-પર્યાયથી તીર્થ સોંપે છે અર્થાત્ તેનું જ્ઞાન વિશ્વને કરાવવા માટે અનુજ્ઞા આપે છે એ જ તીર્થંકરભગવંતોનો વિશ્વ પર પરમોપકાર છે. મંદિર, મૂર્તિ, આગમ, મંત્રમુદ્રા, સંઘ, સાધર્મિક અને શાસ્ત્ર એ સર્વ શ્રી જિનશાસનમાં આત્મબોધ કરાવવા માટે છે. આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતતુલ્ય છે. તેથી તેનું જ ધ્યાન તેની જ ધારણા અને તેમાં જ લીનતા જે કોઈ ઉપાયથી થાય, તે બધા ઉપાયોને અધિકારી વિશેષ જુદીજુદી રીતે લાભદાયી માની તેનો જ તીર્થમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. એ તીર્થના આલબંને આત્મતત્ત્વનો લાભ થતો હોવાથી તીર્થ તારક ગણાય છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ નાશ પામે છે.
રિં પદ દ્રવ્ય ગુણ-પર્યાયને જણાવે છે.
નમો પદથી તેમને થતો નમસ્કાર મિથ્યામોહ-આત્માના અજ્ઞાનનો નાશ કરે છે. તેનાથી અસત્ પ્રવૃત્તિ છૂટી જાય છે અને સપ્રવૃતિ શરૂ થાય છે. એ નમસ્કાર અનુક્રમે રાગ-દ્વેષનો ક્ષય કરી શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવે છે.
‘તાનું પદ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ (ત્રાણ) બતાવે છે.
४३४
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org