________________
છે.
“નમો” ઉત્પાદ, ‘ફ્રેં’વ્યય અને ‘“તાનં’' ધ્રૌવ્ય.
નો’પદથી પોતાનામાં આરાધકભાવની ઉત્પત્તિ.
‘અહિં’– પદ વડે વિરાધકભાવનો વ્યય-નાશ અને ‘સાળં’ પદ વડે શુદ્ધ આત્મતત્ત્વનું ધ્રૌવ્ય સમજાય છે. અથવા ‘નો' પદથી જ પોતાનામાં આરાધકભાવની ઉત્પત્તિ, વિરાધકભાવનો વ્યય અને શુદ્ધ આત્મતત્ત્વનું ધ્રૌવ્ય સમજાય છે.
‘નો’રૂપ સાધક અવસ્થામાંથી ‘હિં’રૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને બન્ને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહેનારું છે એવો બોધ પ્રથમપદની અર્થ ભાવનામાંથી સર્જાય છે.
અભેદનમસ્કાર
“નમો અરિહંતા ં” એ પદ વડે સર્વોત્કૃષ્ટ એવા સન્માનનું દાન અરિહંતભગવંતોને ક૨વામાં આવે છે.
દાન દેનાર કરતાં દાન લેનારનો મહિમા અચિંત્ય છે, કેમકે લેનારને લેવાની વૃત્તિ અંશે પણ નથી, તેવી રીતે નમસ્કારનું દાન કરનાર પણ સન્માન લેવાની વૃત્તિ રાખ્યા વગર બલિદાનની ભાવનાથી સન્માનનું દાન કરે તો તે અપેક્ષાએ લેનાર-દેનાર બંનેની ભાવથી એકતા થાય છે. એ એકતા થવાથી નમસ્કાર ક૨ના૨નું ત્રાણ-૨ક્ષણ થાય છે.
ભેદને ગૌણ બનાવી નમસ્કાર્ય અને નમસ્કર્તા વચ્ચે રહેલ અભેદને મુખ્ય બનાવવાથી અભેદનમસ્કાર બને છે. અભેદનમસ્કાર મહાનિર્જરાનું કારણ બની શાશ્વતસુખને અપાવનાર થાય છે. નમસ્કારનો તાત્પર્યાર્થ
નમો પદ વડે ૧ મન, ૨ પ્રાણ અને ૩ મંત્રની એકતા સધાય છે.
અરિહંત પદ વડે ૪ દેવ, ૫ ગુરુ અને
તાળું પદ વડે ૬ આત્મા એમ નવકારના પ્રથમપદ વડે છએ વસ્તુની એકતા થાય છે. તે વડે મંત્રચૈતન્યની જાગૃતિ થાય છે. તેને ઈતરો કુંડલિનીશક્તિનું જાગરણ પણ કહે છે. કહ્યું છે કે ગુરુમંત્રવેવતાભામનઃ पवनानामैक्यसंकलनात् अंतरात्मसंवित्तिः ।
અંતરાત્મ સંવિત્તિ એટલે અંતરાત્માનું સંવેદન અર્થાત્ મંત્રચૈતન્યની જાગૃતિ, ગુરુદત્તમંત્રના વાચ્યદેવતાનું મન-વાણી-કર્મ વડે સતત સ્મરણ કરવાથી થાય છે.
જીવમાત્ર ચૈતન્યયુક્ત છે. તે જ્ઞાતચેતના રાગાદિ અને સુખાદિ રહિત હોવાથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિ યુક્ત હોવાથી સર્વજ્ઞસ્વરૂપ છે.
પરમેષ્ઠિનમસ્કારથી પરમેષ્ઠિઓની ભક્તિ થવા સાથે સ્વશુદ્ધજ્ઞાનચેતનાની પણ ભક્તિ થાય છે, તે નમસ્કારનો તાત્પયાર્થ છે. નમસ્કારપદનો વ્યાવહારિક અર્થ આજ્ઞારુચિ અને તાત્પર્યાર્થ શુદ્ધજ્ઞાનચેતનાસ્વરૂપ આત્માની અનુભૂતિ છે.
નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ એ આ તાત્પર્યાર્થની દૃષ્ટિથી સમજવાનો છે.
जे चेव संकप्प-वियप्प-वज्जिया हुंति निम्मलप्पाणी । ते चैव नवपयाइं नवपयेसु ते चेव । 'નમો'થી અનુપ્રેક્ષા
અનુપ્રેક્ષા-અનુ=પછી = પ્રેક્ષા=જોવું
૪૨૬
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org