SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ અંત કરનાર, નિર્મળ, નિષ્કલંક એવું શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા, સ્વરૂપરણતારૂપ શરણગમનથી અવ્યાબાધ સુખને અનુભવનારા અને આત્મશરણદાતારોને નમન હો. (૧) નમો અરિહંતાણ એ ત્રણ પદનું માહાભ્યા નમો પદ પ્રાયશ્ચિત્તનું સાધન છે. “ë પદ ધ્યાનનું આલંબન છે. ‘તાનું પદ સમતા-સમાધિનું વાચક અથવા નમો પદથી પ્રત્યાહાર પયતના યોગાંગો સધાય છે. “હિં પદથી ધારણાધ્યાન થાય છે. “તા'- પદથી સમાધિસુખ મળે છે. અથવા “નમો પદ વડે સંકુચિત “અહં'નો નિષેધ થાય છે. ‘હું પદ વડે નિઃસીમઅમર્યાદ-અનંત એવા આત્મસ્વરૂપમાં લીન થવાય છે. “તા' પદ વડે પરમાત્મા સાથે એકતા સધાય છે. (૨) દાસત્વ-જીવત્વ-આત્મત્વ નમસ્કારનો વ્યાવહારિક અર્થ આજ્ઞારુચિ અને નમસ્કારનો પારમાર્થિક અર્થ આત્માનુભૂતિ છે અથવા देहबुद्धया तु दासोऽहं, जीवबुद्ध्यात्वदंशकः । आत्मबुद्धया त्वमेवाऽहं इति मे निश्चिता मतिः ॥ પ્રથમપદમાં રહેલ “નમો’ શબ્દ દાસત્વસૂચક છે. (કર્મયોગ) ‘રિહં' શબ્દ જીવત્વસૂચક છે. (ભક્તિયોગ) તા' શબ્દ આત્મત્વસૂચક છે. (જ્ઞાનયોગ) એ ત્રણે મળીને પૂર્ણમંત્ર (પ્રથમપદ) બને છે. વ્યવહારનયથી દાસત્વ, નિશ્ચયનયથી જીવત્વ, અને યુગપ-ઉભયનયથી આત્મત્વને જણાવનાર પ્રથમપદના ત્રણ આલાપકો છે. દાસભાવથી અહત્વ (અહંકાર) જાય છે. જીવભાવથી અત્વ પ્રકટે છે અને આત્મભાવથી સ્વરૂપમાં લીનતા આવે છે. એકથી દુષ્કતગ, બીજાથી સુકૃતાનુમોદના અને ત્રીજથી શરણગમન સધાય છે. (૩) આજ્ઞાનું સ્વરૂપ નમસ્કાર દ્વારા થતી પંચપરમેષ્ઠિની ભક્તિથી વિમુખ રહેનારા, આજ્ઞાના સ્વરૂપથી અને તેના જ્ઞાનથી પણ વિમુખ રહે છે. આરાધનાથી દૂર રહે છે અને વિરાધના કરનારા પણ થાય છે. તે વિરાધના અનંતભવભ્રમણ કરાવે છે. વિરાધનાથી બચવા અને આરાધના પ્રગટાવવા મા' પદ છે. “કાળ' પદ આજ્ઞાના અસ્તિત્વને અને “હિંત પદ આજ્ઞાના સ્વરૂપને ઓળખાવે છે. “નો પદ તે સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે ભક્તિભાવ પેદા કરે છે. પાંચ પદોથી આજ્ઞાનું જુદુંજુદું સ્વરૂપ પ્રગટ થાય છે અને તેવાતેવા સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે પાંચે પદોમાં રહેલ “નમો પદ ભક્તિ પ્રગટાવે છે. તેથી પાંચે પદયુક્ત નવકારનું સ્મરણ-મનન-ચિંતન-ધ્યાન આજ્ઞાના અર્થી જીવોનું પુનઃ પુનઃ કર્તવ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાચની ભાવના નમો હિંતાનું ” પદના ભાવનથી દ્રવ્ય, ગુણ, પર્યાયના પરિજ્ઞાન દ્વારા મૈત્રાદિ ચાર ભાવનાઓ વડે શુદ્ધ થયેલ મન, વચન, કાયાના યોગોમાં તન્મયતા થવાથી દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય અનુપ્રેક્ષાકિરણ ૪૨૫ વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy