________________
સ&િયાઓથી કૂટી, તેમાં શ્રદ્ધારૂપી ઘી અને જ્ઞાનરૂપી ગોળ મેળવી સાચો મોદક તૈયાર થાય તે જ મોક્ષ છે. તેમાં જ સર્વપ્રકારનાં સુખોના સ્વાદથી પણ અધિક સુખાસ્વાદ રહેલો છે.
આત્માના દ્રવ્યાર્થિકનયથી પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન એ મોક્ષમોદક પામવાનો સીધો રસ્તો છે.
અને તે “નમો અરિહંતાણં' પદના ધ્યાન અને રટણ અને પુનઃ પુનઃ ઉચ્ચારણથી સહજપણે પ્રાપ્ત કરી શકાય છે, તેથી તે સર્વમંત્રોમાં શિરોમણિમંત્ર છે. મંત્રની સફળતાનું કારણ
'गुरू-मंत्र-देवतात्म-मनः-पवनानामैक्य-निष्कलनादन्तरात्मसंवित्तिः ।
સાચા મંત્રો એક બાજુ દેવ, ગુરુ અને આત્મા તથા બીજી બાજુ મન, પવન અને આત્માનું ઐક્ય સધાવી આપનારા હોવાથી અંતરાત્મભાવનું સંવેદન કરાવનાર થાય છે.
અંતરાત્મભાવ એટલે આત્મામાં આત્માની પ્રતીતિ. તેને કરવા માટે અથવા થયેલી પ્રતીતિને દઢ કરવા માટે સત્યમંત્રોનું આરાધન પરમસહાયભૂત થાય છે.
તેમાં કારણ એ છે કે મંત્રના અક્ષરોનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે અને મનનો કાબૂ આત્માનું પ્રભુત્વ અપાવે છે.
મંત્રના અર્થોનો સંબંધ દેવતત્ત્વ અને ગુરુતત્ત્વની સાથે હોય છે, તેથી દેવતત્ત્વ અને ગુરુતત્ત્વનો બોધ કરાવી શુદ્ધઆત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે.
એ રીતે સમ્યક્રિયા અને સમ્યજ્ઞાન વડે મંત્ર અનંતફળદાયી બને છે. નમસ્કાર દૈmભાવ
નમસ્કાર, વંદન અથવા પ્રણામ એ દૈન્યભાવના પ્રતીક છે.
જે સર્વેશ્વર્યસંપન્ન અને સર્વસમર્થ છે, તેનો આશ્રય ગ્રહણ કરવા માટે અને પોતાની સર્વસાધનહીનતા તથા પરાધીનતા પ્રગટ કરવા માટે “નમો' પદનું ઉચ્ચારણ છે.
પ્રભુનું શરણ જે ગ્રહણ કરે છે, તે જ દુસ્તર અને દુરત્યય એવી માયાને તરી જાય છે.
વરસાદનું પાણી સર્વત્ર પડે છે પણ ટકે છે તો નીચાં સ્થળોમાં જ, ઊંચા પર્વતો પર નહિ. તેમ પ્રભુની કૃપા સર્વત્ર છેઃ પણ તેની અભિવ્યક્તિ જ્યાં દૈન્ય છે, વિનમ્રતા છે ત્યાં જ થાય છે; અહંકાર, અભિમાનાદિ પર્વતીયસ્થાનોમાં નહિ.
જીવ જ્યાં સુધી દૈન્યશ્રીથી સંયુક્ત નહિ થાય, ત્યાં સુધી તેને ભગવત્કાપ્તિ અશક્ય બને છે અને આત્મકલ્યાણનો માર્ગ પણ મળી શક્તો નથી.
ભક્તિ, અનુરાગ કે પ્રેમસાધનામાં એક દૈન્ય જ મુખ્ય છે. આસનનું મહત્ત્વ
આસન બાંધીને બેસવાથી આસ્તે આસ્તે વાણીને બાંધી શકાય છે, વાણીનો સંયમ આસ્તે આસ્તે મનને બાંધવામાં મદદગાર થાય છે, મન બંધાતાં પવન સુનિયત્રિત થાય છે અને સ્વવર્તી આકાશપ્રદેશમાં તાત્વિકચુંબકીયતા પેદા થાય છે.
માટે શ્રી નવકારના જાપમાં આસનનું મહત્ત્વ ઉપકારી મહર્ષિઓએ સ્વીકારેલું છે.
અનુપ્રેક્ષાકિરણ ૫
૪૧૯
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org