________________
તે મોક્ષ મેળવવાનું પરમસાધન કૃતજ્ઞભાવ યાને નમ્રભાવ છે. નમે તે પ્રભુને ગમે નમનારનો વિકાસ અને ન નમનારનો નાશ એ સંસારનો અવિચળનિયમ છે. બનમામિ' ભાવનમસ્કાર પુણ્યની પુષ્ટિરૂપ છે. “ખમેહ' મિચ્છામિ દુક્કડ પાપની ગહરૂપ છે.
પુણ્યની પુષ્ટિ અને પાપની વિરતિ એ બે જીવને આગળ વધવાનાં સાધન છે. મદનાશક નવકાર
આઠ મદનો ભય લાગે ત્યારે નમસ્કારની ભાવથી પ્રાપ્તિ થાય.
આઠ મદના કારણભૂત આઠ કર્મ અને આઠ કર્મના કારણભૂત ચાર કષાય અને ચાર કષાયના કારણભૂત પાંચ વિષય અને તેના કારણભૂત ચાર સંજ્ઞાઓ વગેરેથી ભયભીત થયેલો જીવ શ્રી નવકારની આરાધનાના બળે સર્વ ભયોને જીતી લે છે.
આત્મદષ્ટિએ આપણા કરતાં કોઈ નાનું નથી એમ લાગે ત્યારે નમસ્કાર લાગુ પડ્યો ગણાય છે. એ ભાવનમસ્કારને પામીને જ સર્વ જીવો મોક્ષે જાય છે.
જેઓ ત્રિભુવનને નમસ્કરણીય બન્યા છે તેઓ આત્મદષ્ટિએ પોતાનાથી કોઈ નાનું નથી, એ ભાવને સ્પર્શીને જ બન્યા છે. તે કારણે નમસ્કરણીયનો નમસ્કાર આપણામાં સાચો નમસ્કાર લાવે છે. નમસ્કારની ભક્તિ
શ્રી અરિહંતોને નમનાર વડીલોને અને ગુરુવર્ગને ન નમે તો તે અરિહંતોની આજ્ઞાને નમતો નથી, પણ અરિહંતના દેહને જ નમે છે.
જે આજ્ઞાને ન માને અને આજ્ઞા કરનારને માને તે માનનારો નહિ, પણ અવગણના કરનારો છે. નમનારો નહિ, પણ અપમાન કરનારો છે. નમસ્કારની ભક્તિ નહિ, પણ વિડંબના કરનારો છે.
સંપૂર્ણ આશાધીનપણું જ નમસ્કારની ભક્તિનું ઘોતક છે. નમો પદનું મહત્વ
શુદ્ધઆત્મા દ્રવ્યથી પૂર્ણ છે, ગુણથી એક છે, પર્યાયથી તુલ્ય છે. તેને નમસ્કાર તે ત્રાણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે, આધાર એ અધિષ્ઠાન છે.
“નમો શબ્દ અર્ધમાત્ર છે. ત્રિમાત્રમાંથી માત્ર તરફ જવા માટે અર્ધમાત્ર (નમો) સેતુસ્વરૂપ છે. કર્મકૃત વૈષમ્ય ત્રિમાદ્રરૂપ છે. ધર્મકૃત નમસ્કાર એ અર્ધમાત્રરૂપ છે. અને તેથી થતો પાપનાશ અને મંગળનું આગમન અમાત્રરૂપ છે.
અમાત્ર એટલે અપરિમિત આત્મસ્વરૂપ કે જે પૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે અથવા રાગ, દ્વેષ, મોહ એ ત્રિમાત્રરૂપ છે.
લયોપશમભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અમાત્રરૂપ છે.
ઔદયિકભાવના ધર્મો ત્રિમાત્રરૂપ છે. ક્ષયોપશમભાવના ધર્મો અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના ધર્મો અમાત્રરૂપ છે. નમો વડે ઔદયિક ભાવના ધર્મોનો ત્યાગ થઈ ક્ષાવિકભાવના ધર્મો પ્રાપ્ત થાય છે, તેથી તે બેની વચ્ચેના અનુપ્રેક્ષાકિરણ પ ણ
૪૧૭ AS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org