SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પરોપકાર વડે પ૨નો નહિ પણ સ્વનો ઉપકાર સધાય છે. ‘પર’ તેના પર થતા ઉપકાર વડે ઉપકાર કરનારના ‘સ્વ’ને તારનાર થાય છે. એ તત્ત્વજ્ઞાનના આધારે પરોપકાર એ સ્વોપકારને જણાવના૨ હોવાથી કૃતજ્ઞતાને પુષ્ટ કરે છે અને કૃતજ્ઞતા એ પરના થયેલા ઉપકારનું વૈશિષ્ટય જણાવનાર હોવાથી પરોપકારને પુષ્ટિ આપે છે. આમ પકોપકાર અને કૃતજ્ઞતા એ બે ગુણ પરસ્પર સંબંધવાળા હોઈને જીવની યોગ્યતા વિકસાવે છે અને અયોગ્યતા ટાળે છે. ૫૨નો ઉપકાર ન માનવો એ અયોગ્યતા છે-અપાત્રતા છે. ૫૨ને ઉપકારક માનવો એ યોગ્યતા છે-પાત્રતા છે. ઉપકાર માનવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરોપકાર થાય છે. એ બે ગુણ વડે ભવ્યત્વભાવનો વિકાસ અને સહજભાવમળનો હ્રાસ થાય છે. મૂળમંત્ર ચા મહામંત્ર શ્રી નવકાર ચૌદ પૂર્વનો સાર છે, શ્રુતજ્ઞાન સમસ્તનું રહસ્ય છે તેનું કારણ શું ? કૃતજ્ઞતા એ સર્વગુણોનું મૂળ છે, તેનું શિક્ષણ નમસ્કા૨થી મળે છે. કૃતજ્ઞતાગુણને ઉત્પન્ન કરનાર પરોપકાર ગુણ છે. પરોપકાર સૂર્યના સ્થાને છે. કૃતજ્ઞતા ચન્દ્રના સ્થાને છે. ચન્દ્રને પ્રકાશ સૂર્યમાંથી મળે છે. ‘જેનાથી ઉપકાર થાય છે તેને કૃતજ્ઞ રહેવું એ ધર્મનો પાયો છે' મૂળથી જ એવું જ્ઞાન આપવા માટે નમસ્કારને મૂળમંત્ર યા મહામંત્ર કહ્યો છે. સદ્ગુણોનું મૂળ શ્રી નવકાર વિના તપ, ચારિત્ર અને શ્રુત નિષ્ફળ છે. અર્થાત્ કૃતજ્ઞતા વિના સઘળી આરાધના નિષ્ફળ છે. કૃતજ્ઞતાગુણ એ સર્વસદ્ગુણોનું મૂળ છે. નમસ્કારની રુચિ દાનરુચિ = નમસ્કારની રુચિ નમસ્કાર એ સર્વશ્રેષ્ઠપુરુષોને સર્વશ્રેષ્ઠસદ્ગુણોને સર્વશ્રેષ્ઠદાન છે. દાનરુચિ વિના દાનાદિ ગુણો જેમ ગુણ બની શકતા નથી તેમ નમસ્કારરુચિ વિના પુણ્યનાં કાર્યો પણ ‘પુણ્યાનુબંધી’ બની શકતાં નથી. ભાવનમસ્કાર ભાવનમસ્કાર એટલે જેનાથી મળ્યું છે, મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા તેમના પ્રત્યે નમ્રતા ધારણ કરવી. તેનો બીજો પર્યાય કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાની ટોચે પહોંચવાથી પરોપકારભાવ પ્રગટે છે, તેનું જ નામ ઋણમુક્તિ છે અને તે અવ્યાબાધ સુખસ્વરૂપ મોક્ષ છે. મોક્ષમાં માત્ર આપવાનું છે, લેવાનું નથી. લેવાની ક્રિયામાંથી છૂટવા માટેનો ઉપાય, જ્યાં કેવળ આપવાની ક્રિયા છે એવો ‘મોક્ષ’ મેળવવો તે છે. ૪૧૬ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy