________________
જ્ઞાનની અનંતતા, અપારતા અને ગંભીરતા સમજાય છે.
નમસ્કાર' આદરજ ક્રિયા છે. સાચા પ્રણામમાં પ્રણમ્યની મહત્તાનો અને પોતાની અલ્પતાનો ભાનપૂર્વક સ્વીકાર હોય છે, અહંભાવ ઓગળે એટલે પ્રણામ થઈ જાય.
દ્રવી ગયેલો અહંકાર જ્યારે શૂન્યવત્ થઈ જાય ત્યારે પરમેશ્વરની પ્રેયસી “નમ્રતા' પ્રગટે છે. આ નમ્રતા બ્દયમાં પરમેશ્વરની “ગ્રાહક' બને છે. તેથી સાત્ત્વિકપ્રસન્નતા પેદા થાય છે. સાત્ત્વિકપ્રસન્નતા, પવિત્રતા, નિર્મળતા એકાર્થક છે. ત્રણ પ્રકારના ચોગા
સર્વાત્મભાવની આરાધના એ કર્મયોગ છે, તેથી ચિત્તના બળદોષ દૂર થાય છે. પરમાત્મભાવની આરાધના એ ભક્તિયોગ છે, તેથી ચિત્તના વિક્ષેપદોષ દૂર થાય છે.
બ્રહ્માભેંક્યની આરાધના એ જ્ઞાન યોગ છે. તેથી આત્મા ઉપરના આવરણદોષ દૂર થાય છે. “નમો'ના “નમ” પદાર્થ વડે “મમ' ભાવ જાય છે. શ્રી અરિહંતના અભાવ વડે “સમ'ભાવ આવે છે. “નમ'ભાવ વડે મમ'ભાવ દૂર કરીને અને અહંભાવ વડે “સમભાવ પ્રાપ્ત કરીને આત્મા રાગદ્વેષથી મુક્ત થાય છે. વીતરાગભાવને પામે છે. “મમ'ભાવ એ સ્વાર્થભાવ છે, તેનો “નમ'ભાવ વડે તિરસ્કાર કરી “સમ' ભાવ કે જે સર્વાર્થભાવ છે તેને પ્રાપ્ત કરી શકાય છે.
સર્વાર્થભાવ વડે સ્વાર્થભાવ ટળે છે. સ્વાર્થભાવ ટળવાથી સહજમળ કે જે પાપનું મૂળ છે તે જાય છે. સર્વાર્થભાવ વિકસાવાથી મુક્તિગમન યોગ્યતા કે જે મંગળનું મૂળ છે. તે વિકસે છે. “નમો અરિહંતાણં' એ એક જ પદમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેની આરાધના થઈ જાય છે, ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ દોષ હટી જાય છે. આત્માની સહજ અયોગ્યતા ટળે છે અને સહજ યોગ્યતા વિકસે છે.
એ વિકાસની પરાકાષ્ઠા એ જ સકળકર્મ મુક્તિરૂપી “મોક્ષ' નામનો પદાર્થ છે.
જેને મોક્ષનો ખપ છે તેને માટે શ્રી નવકારનું પ્રથમપદ અને તેનું આરાધન અપરિહાર્ય છે. નમો'પદની સાથે છે કારનો સંબંધ
૩૪ માં નમો અને નમોમાં ૩૪ સમાઈ જાય છે. નમો અને ૐ બંને સંજ્ઞા અને વ્યંજના ઉભયથી સમાન છે. મો' અક્ષરને ઊલટાવાથી ૐ ધ્વનિ પેદા થાય છે. ૐ ધ્વનિને આલેખવાથી “નમો’ પદ પ્રકટે છે. કેમકે ન મળીને ૩ૐ આકૃતિ થાય છે.
તેથી 38 અને નમો એ બે પદાર્થ એક જ છે. ૐ નમઃ મંત્ર પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. ૩ૐ એ શ્રી પંચપરમેષ્ઠિવાચક પદ છે.
તેને નમસ્કાર, તેમની આજ્ઞાને નમસ્કાર એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. શ્રી નવકારમાં અધ્યાત્મ
શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની આજ્ઞાને નહિ માનવાથી જ જીવ ભવભ્રમણ કરે છે.
તેમની આજ્ઞા એટલે સર્વાત્મભાવ અને પરમાત્મભાવને પામવાના ઉપાયરૂપ આચાર અને જ્ઞાનને જીવનમાં સાધવા તત્પર રહેવું. “સર્વ જીવો આત્મતુલ્ય છે.' એવા શ્રી પરમેષ્ઠિભગવંતોનાં જ્ઞાન અને ઉપદેશ મુજબ જીવનમાં વર્તન કરવું. તેથી સર્વાત્મભાવ સ્થિર થાય છે. તે સ્થિર થતાં જ પોતાના આત્મામાં પરમાત્માના દર્શન થાય છે, પછી સર્વ આત્મસ્વરૂપ, પરમાત્મતુલ્ય દેખાય છે. AN ૪૧૦
ચદીપક મહામત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org