________________
નમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન આવ્યંતરતપના છએ છ પ્રકારોનો સંગ્રહ કરનારું છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન આ રીતે આત્માને એકાંત હિતકારી છે.
સાધુને સૂત્રાર્થ કરવાના કહ્યા છે તે પણ અવસ્થા વિશેષે મહામંત્રના જાપથી અને તેના અર્થની ભાવનાથી સિદ્ધ થાય છે.
ચૌદ પૂર્વીઓને પણ આ મહામંત્ર આલંબનરૂપ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે આત્માની જ ભિન્નભિન્ન અવસ્થાઓનો સ્મારક અને પ્રતિપાદક હોવાથી આત્મજ્ઞાન થવામાં અસાધારણ કારણ બને છે. મનરૂપી શલ્યનું ઔષધ
શ્રી નવમસ્કાર મહામંત્ર એ મન વડે સાધ્ય છે અને મન એ “દેહલી ડિલી)દીપક; ન્યાયે એક બાજુ પ્રાણ અને શરીર તથા બીજી બાજુ બુદ્ધિ અને આત્મા સાથે સંબંધિત હોવાથી શ્રી નમસ્કાર મહામંત્ર વડે આત્માની સમગ્રતાશુદ્ધ થાય છે.
બીજી રીતે વિચારતાં મન એ જ શલ્યની જેમ-કાંટાની જેમ આત્માને દુઃખદાયી છે.
તે મનરૂપી કાંટાને કાયા અને વચનરૂપી ચીપિયા વડે પકડીને સ્થિર કરીને મંત્રજાપરૂપી ક્રિયા વડે કાઢીને દૂર ફેંકી દેવામાં આવે છે.
મંત્રની ક્રિયા મુખ્યત્વે મન ઉપર થાય છે, મન વડે થાય છે, મનથી થાય છે, મન માટે થાય છે. મન અને મંત્રને અંતરંગ સંબંધ છે. જેવો મંત્ર તેવું મન બને છે. જેવું મન તેવો મંત્ર ફળે છે.
તેથી મંત્રના આરાધકે મનને સુધારવું જોઈએ અને મનને સુધારવા માટે મંત્ર સર્વશ્રેષ્ઠ પસંદ કરવો જોઈએ.
મંત્ર અક્ષરરૂપ હોવાથી અક્ષર-અવિનાશી એવા આત્માને મન વડે પકડી શકે છે, અથવા મન જેમ સૂક્ષ્મ છે તેમ તેને પકડવા માટેનું સાધન પણ સૂક્ષ્મ જોઈએ.
બીજા બધાં સાધનો કરતાં અક્ષરો સૂક્ષ્મ હોવાથી મનને પકડવા અને વશવર્તી બનાવવા માટે તે વધારે અસરકારક છે. પવિત્રતાનો હેતુ
કલિકાલસર્વજ્ઞવિરચિત શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, 'न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासित प्रायेणाऽब्रह्म-वर्जकः ॥
યોગશાસ્ત્ર, પ્રકાશ-૩, શ્લોક-૧૩૦ ટીકા :- ‘પત્ર વૈતત્ વતું શરમનતાલુબ્રતાનુમોદના પંઘનમાપ્રકૃતીનામું नह्येतत्स्मरणमन्तरेण पवित्रता भवति । स्मृतिःमनस्यारोपणं तया पवित्रितो निर्मलीभुतात्मा ।।
અર્થ:- ત્યારબાદ યોગ્ય અવસરે દેવગુરુના સ્મરણથી પવિત્ર થયેલો શ્રાવક અલ્પનિદ્રાને કરે, મોટે ભાગે અબ્રહ્મનો વર્જક હોય.
આ શ્લોકની ટીકામાં લખ્યું છે કે (અહીં દેવગુરુના સ્મરણથી પવિત્ર થવાનું કહ્યું, તેના ઉપલક્ષણમાં ચતુદશરણગમન, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના, પંચનમસ્કારસ્મરણ વગેરે સમજવાં. કારણ કે એ બધાનાં સ્મરણ વિના પવિત્રતા થતી નથી.
સ્મરણ એટલે મનને વિષે આરોપણ, તે વડે પવિત્ર એટલે નિર્મળ થયેલો અંતરઆત્મા છે.
જ ૪૦૬
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org