SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરિ’ને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણ કરનારા એવો અર્થ પણ થાય છે. ‘નમો’ એ મનરૂપી માથાનો મુગટ છે ‘નમો’એ મનરૂપી કંઠનો હાર છે. ‘નમો’ એ મનરૂપી અંગુલીની મુદ્રિકા છે. ‘નમો' એ મનરૂપી ધનુષ્યનું બાણ છે. ‘નમો’ એ મનરૂપી અરણિનું ઉત્તરકાષ્ઠ છે. ‘નમો' એ મનરૂપી સોયનો દોરો છે. તેથી તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન અનુક્રમે સવિકલ્પસમાધિથી નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. સમાધિ સુધી પહોંચવું એ જીવને અત્યંત હિતકર છે. વળી ‘નમો’ એ મનરૂપી સમ્યગ્દષ્ટિનો દેવ છે, મનરૂપી સમ્યજ્ઞાનીનો ગુરુ છે, મનરૂપી સમ્યક્ ચારિત્રિનો ધર્મ છે. અભેદભાવ ટાળવાનું સાઘન નમસ્કારભાવ સિવાય માનસિક ભેદભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકા૨ ન ઓગળે. અહંકાર અને મમકા૨નું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું. અભેદભાવ સિવાય જીવ, જીવને જીવરૂપે કદીય ન ઓળખે, ન આવકારી શકે, ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે ‘નમો' અદ્વિતીયસાધન છે. આત્મવિકાસના ત્રણ ઉપાયો પહેલાં પાંચ પદનો મૂળમંત્ર છે. અને તે ચતુઃશરણગમનાત્મક છે. ચૂલિકાનાં પહેલાં બે પદો દુષ્કૃતગર્હાત્મક છે અને છેલ્લાં બે પદો સુકતાનુમોદનાત્મક છે. એ રીતે ભવ્યત્વપરિપાકના ત્રણે ઉપાયો ચૂલિકા સહિત મૂળમંત્રમાં અંતર્ભાવ પામી જાય છે. પાપનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. મંગળનું મૂળ જ્ઞાન અને સમ્યક્ત્વ છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર વડે પાપનું સંસારનું મૂળ મિથ્યાત્વ બળી જાય છે અને ધર્મનું - મોક્ષનું મૂળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ ગુણાનુરાગરૂપ, સુકૃતાનુમોદનરૂપ છે. મિથ્યાત્વ ગુણદ્વેષરૂપ, દુષ્કૃતાનુમોદનરૂપ છે. શ્રી નવકાર વડે દુષ્કૃતનો રાગ નાશ પામે છે અને સુકૃતનો રાગ જાગે છે. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ શરણ આપવા લાયક આ ચાર શ્રી નવકારના પ્રથમનાં પાંચ પદમાં આવી જાય છે. શરણ એટલે ગતિ, મતિ, આશ્રય, આલંબન, પ્રાણ, ત્રાણ, જીવન, આધાર ઇત્યાદિ કોઈપણ અર્થ લઈ શકાય છે. પ્રથમપદમાં પણ ‘નમો એ દુષ્કૃતગર્હ અર્થમાં, ‘અરિહં' એ સુકૃતાનુમોદન અર્થમાં અને ‘તાણં' એ શરણગમન અર્થમાં લઈ શકાય છે. આત્મજ્ઞાનનું કારણ શ્રી ૫૨મેષ્ઠિનમસ્કાર એ પરમાત્મજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરાવનાર હોવાથી અને આત્મજ્ઞાન કર્મક્ષયનું કારણ હોવાથી મુમુક્ષુઓનો મહામંત્ર છે. સ્વાધ્યાય અને ધ્યાનરૂપી આવ્યંતરતપનું કારણ હોવાથી તથા પ્રાયશ્ચિત્ત અને વિનયરૂપ હોવાથી તથા વેયાવચ્ચ અને કાયોત્સર્ગનું પણ પ્રબળ અને અંતરંગ કા૨ણ હોવાથી શ્રી અનુપ્રેક્ષાકિરણ પ Jain Education International For Private & Personal Use Only ૪૦૫ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy