________________
“નમો’ મનન વડે ત્રાણ કરવાની શક્તિ ધરાવે છે અથવા પરમાત્મા સાથે જીવાત્માને તન્મય થવાની ગુહ્યમંત્રણા કરાવે છે. અથવા સર્વપ્રકારના શ્રેષ્ઠપુરુષાર્થોને આમંત્રણ આપે છે.
નમો' એ મોક્ષસુખનું આમંત્રણ છે.
ઇન્દ્રિયો અને તેના વિષયો સાથે અથવા દેહ અને તેના ધર્મો સાથે જોડાયેલું એકમેક થયેલું મન, આત્મા અને તેના ધર્મો સાથે અથવા પરમેષ્ઠિઓ અને તેમના ગુણો સાથે “નમો' પદ વડે જોડાઈ શકે છે. તેથી “નમો' એ મહાયોગસ્વરૂપ છે.
“નમો’ પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડીને યોગી બનાવે છે, સંસારી મટાડીને સિદ્ધ બનાવે છે અને જીવ મટાડીને શિવ બનાવે છે.
બે અક્ષરનું “મન” બે અક્ષરના “નમ' વડે વશ થાય છે. સૂર્ય અને ચન્દ્રવાચી “નમો પદ
ન' સૂર્યવાચી છે અને “મો' ચન્દ્રવાચી છે.
નરૂપી સૂર્ય અર્થાત્ આત્મામાં “મોરૂપી ચન્દ્રમાં અર્થાત્ મન વિલીન થાય છે એટલે “અહ” “અરરૂપ બની જાય છે અને “અરહં' ત્રાણરૂપ બની જાય છે.
38' પરમાત્મા વાચક છે. “ન' સૂર્ય-આત્મવાચક છે. “મો' ચન્દ્ર-મનવાચક છે. સૂર્ય રૂપી આત્મામાં ચન્દ્રરૂપી મન મળી જાય તો આત્મા પોતે જ પરમાત્મરૂપ બની જાય છે. મળી જવાની ક્રિયા ત્રણરૂપ છે અને મળી જવાથી આત્મા, પરમાત્મસ્વરૂપ બની જાય છે. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ “નમો' છે. નમો' એ મનનું ત્રાણ છે-શરણ છે-આશ્રયસ્થાન છે. નમો' એ મનરૂપી હંસને વિશ્રાન્તિ લેવા માટે કમળની શ્રેણિ છે. મન રૂપી બાણ “નમો' રૂપી ધનુષ્ય વડે “અરહ'રૂપી લક્ષ્યને વીંધીને “ત્રાણ' રૂપ બને છે.
ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, સંકલ્પ-વિકલ્પ રહિત થવું, નિર્વિકલ્પ-ચિન્માત્રમાધિરૂપ બની જવું.
તે સમાધિ માટે “અહં' ના આલંબન-લક્ષ્યની અને “નમો'રૂપી ધનુષ્યની જરૂર પડે છે.
નમો' રૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણને ચઢાવવાથી “અરરૂપી લક્ષ્યને વીંધીને “ત્રાણ' રૂપી નિર્વિકલ્પ અવસ્થા સાધી શકાય છે.
નમો પોતે જ “અહં' અને “ત્રાણ'વાચક બની જાય છે કેમકે તેમાં “ૐ” એ “અહં'વાચક છે અને નમો ત્રાણ'વાચક છે.
ત્રાણ એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું આત્માકાર બની જવું.
“મો'રૂપી મન, “ન'રૂપી આત્મામાં વિલીન થવાથી “ૐ' રૂપી પરમાત્મા પ્રગટ થાય છે. તેથી મંત્રનું ઉચ્ચારણ આ પ્રમાણે થયું.
“નો-ગોં-મા-તા' નમો'નો “મ'રૂપી ચન્દ્ર, “ન'રૂપી સૂર્યમાં મળી ગયો એટલે અહિં પ્રગટ થયા. તે પ્રગટ થવાથી હંમેશ માટે ભવ-ભય ગયો અને આત્મભાવરૂપી શરણું પ્રાપ્ત થયું. એટલે સાત અક્ષરમાંથી માત્ર “ૐ” અક્ષર બચ્યો. બીજા બધા અક્ષરો પોતાની ભાવના સાથે પ્રણવાક્ષરમાં મળી ગયા. પ્રણવાક્ષર મૂળમંત્ર કાયમ રહ્યો.
અનુપ્રેક્ષાકિરણ ૫
૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org