SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ નમવાને ખરેખર યોગ્ય શ્રી પંચપરમેષ્ઠિભગવંતો છે, તેથી તે યોગ્યને નમસ્કાર છે. યોગ્યને નમવાથી જીવની યોગ્યતામાં આપોઆપ વધારો થાય છે. તેથી શ્રી નમસ્કારમંત્ર જીવ માટે પરમાર્થ રક્ષણનો મહામંત્ર સાબિત થાય છે. સ્વાર્થનું વિલીનીકરણ નમો + તાણં = નમસ્કાર રક્ષણ કરે છે. જે પોતાની જાતને ભૂલે છે તેને આખું જગત યાદ કરે છે. જે જગતને ભૂલે અને પોતાને જ યાદ રાખે, તેને આખું જગત ભૂલી જાય છે. ‘નમો’ પદ વડે પોતાની જાતનું વિસ્મરણ કરવામાં આવે છે, તેથી આખું વિશ્વ તેનું સ્મરણ કરવા તૈયાર થાય છે. પોતાની જાતનું અને તુચ્છ સ્વાર્થનું શ્રી અરિહંતમાં વિલીનીકરણ કરવામાં આવે ત્યારે અવશ્ય રક્ષણ થાય છે એવો કોલ શ્રી નવકારનું પ્રથમપદ આપે છે. પોતાની જાતને અને તુચ્છ સ્વાર્થને ભૂલો, પણ પરમાત્માને કદી ન ભૂલો તો તમારું રક્ષણ અવશ્ય થશે. પરમાત્માને ભૂલ્યા અને કેવળ જાત { Self )ને જ નમ્યા અને તુચ્છ સ્વાર્થને ન ભૂલ્યા તો ત્રાણ કે રક્ષણ નથી. જાતને ભૂલી પ૨માત્માને યાદ ક૨વા તે જ ત્રાણ કે રક્ષણનો ઉપાય છે. આઠ અક્ષરનો જાપ ‘ણમો’માં પશ્ચાનુપૂર્વી ઉચ્ચાર કરતાં ‘ઝણં’ થાય છે. તેનો અર્થ છેॐमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रूवे | કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજા કહે છે કે ‘હે ભગવન્ ! હું તારો દાસ છું, મારી આટલી વાતનો સ્વીકા૨ ક૨’ એ સિવાય હું બીજું કાંઈ માગતો નથી. અથવા પશ્ચાનુપૂર્વીથી ‘ણમો’નું ઉચ્ચારણ કરીને પછી પૂર્વાનુપૂર્વી ઉચ્ચારણ કરવામાં આવે તો સાત અક્ષરના બદલે ૮ અક્ષરનો નવો મંત્ર બને છે. વળી ‘ૐ નમો’ એ ‘નમો’નું સંપુટ બને છે. રક્ષાનો હેતુ જેમ કે, ‘ૐ નમો અરિહંતાણં' શત્રુને હણનારા માટે પૂજ્ય અને તેથી રક્ષણ ક૨ના૨ા-તેમને નમસ્કા૨ થાઓ. એટલે તેમની આજ્ઞા જ મને પ્રમાણભૂત હો. તેમની આજ્ઞા એટલે ‘આત્મસમદર્શિત્વ’ જેના મૂળમાં છે એવા પરમધર્મનું આચરણ. અહિંસાદિ, ક્ષમાદિ અને તપ-સંયમાદિનું જીવનમાં સેવન ક૨વાથી ‘આત્મસમદર્શિત્વ'નો ભાવ જળવાઈ રહે છે. મન-વચન-કાયાથી એકતા અને જ્ઞાન-દર્શન-ચારિત્રનો અભેદ સચવાય છે. નમસ્કાર વડે ભાવશત્રુભૂત કષાય અને રાગદ્વેષ હણાય છે. ભાવશત્રુને હણવાથી પૂજ્યતા પ્રાપ્ત થાય છે. પૂજ્યતા પ્રાપ્ત થવાથી પૂજકની રક્ષા થાય છે. તેથી પૂજ્યની પૂજારૂપ નમસ્કાર રક્ષાનો હેતુ બને છે. પૂજ્યની પૂજા, પૂજ્યની આજ્ઞા પ્રત્યે પ્રેમભાવ પેદા કરે છે તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy