SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયની સમાપત્તિ કરતાં જુદી જાતની સમાપત્તિ છે. અર્થાત્ આત્મા તે નામને ધારણ કરે છે એમ નહીં પણ આત્મદ્રવ્યનો તે તાત્ત્વિક ભાવ બને છે. શુદ્ધસ્વરૂપને વરેલા પંચપરમેષ્ઠિઓનાં ધ્યાનમાં તન્મય બનેલો આત્મા તે સમયે નિશ્ચયનયથી પરમેષ્ઠિસ્વરૂપ બને છે, કેમ કે તેમાં આત્મસમાપત્તિ રહેલી છે. વિષયસમાપત્તિ એ પદાર્થવિષયકજ્ઞાન અને તેમાં ઉપયોગરૂપ છે. આત્મસમાપત્તિ એ આત્મવિષયકજ્ઞાન અને તેમાં ઉપયોગરૂપ છે. જ્ઞાન અને ઉપયોગ આત્મગુણ છે અને તે સ્વ-પર-પ્રકાશક છે. તે જ્યારે વસ્તુવિષયક હોય ત્યારે વિષયસમાપત્તિ છે. વિષયસમાપત્તિને વિષયનો બોધ કરાવનારું જ્ઞાન કહેવાય છે અને આત્મસમાપત્તિને આત્મપરિણતિવાળું જ્ઞાન કહેવાય છે. તે પરિણતિ જ્યારે સુદઢ થાય છે ત્યારે તેને તત્ત્વસંવેદનશાન તરીકે ઓળખાવવામાં આવે છે. ચૂલિકામાં જે નમસ્કારનું વર્ણન છે, તે નમસ્કારનું માત્ર વિષયના બોધરૂપ જ્ઞાન નથી, કિન્તુ આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન પણ છે. તે અંતરંગ હોવાથી લો શબ્દ અત્યંત નિકટવર્તીના અર્થમાં “પુત સર્વનામનો પ્રયોગ છે. આત્માને અત્યંત નિકટવર્તી એવું નમસ્કાર સ્વરૂપ જો કોઈપણ હોય તો તે પરમેષ્ઠિસ્વરૂપને પામેલો આત્મા પોતે જ છે. તે ભાવસમાપત્તિ છે અને તે જ સર્વપાપની સમૂલવિનાશક છે તથા સર્વમંગલોમાં પ્રથમ, શ્રેષ્ઠ અથવા પ્રધાન મંગલ ચાર નિક્ષેપે પાંચ પરમેષ્ઠિઓને થતો દ્રવ્ય-ભાવનમસ્કાર વ્યવહારનયથી પંચપરમેષ્ઠિઓને ઉદ્દેશીને કરવાનો હોય છે અને તે જ નમસ્કાર નિશ્ચયનયથી સ્વાત્મઉદ્દેશક હોય છે. વ્યવહારનયથી ૧૦૮ ગુણોને વરેલા પંચપરમેષ્ઠિભગવંતો પરમપદે બિરાજમાન હોવાથી પરમેષ્ઠિ ગણાય છે. નિશ્ચયનયથી જીવમાત્રનું શુદ્ધસ્વરૂપ પરમેષ્ઠિરૂપ છે, તેથી નિશ્ચયનયનો નમસ્કાર સર્વ જીવાત્માઓના શુદ્ધસ્વરૂપને આવરી લે છે. એ રીતે દ્રવ્ય-ભાવ અને વ્યવહાર-નિશ્ચય ઉભય નમસ્કાર કર્યા પછી તે જ નમસ્કારનું ફળ ચૂલિકામાં વર્ણવ્યું છે. ફળવર્ણન દ્રવ્ય-ભાવ અને વ્યવહાર-નિશ્ચય સર્વ પ્રકારના નમસ્કારને ઉદ્દેશીને છે. નિશ્ચયથી સર્વ જીવોનું પરમેષ્ઠિસ્વરૂપ નમસ્કારનો વિષય બનાવીને જ્યારે ચિંતવવામાં આવે છે, ત્યારે તે અતસ્વરૂપ બની જાય છે અને તે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ હોવાથી સકલપાપકર્મોનો સમૂલનાશ કરવા સમર્થ થાય છે. નિશ્ચયનમસ્કાર વ્યવહારનમસ્કારનું ફળ છે. વ્યવહારનમસ્કાર પરમેષ્ઠિસ્વરૂપને પામેલા શુદ્ધાત્માઓનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને સમ્મુખ રાખીને કરાય છે. નામ વડે શબ્દાનુસંધાન, સ્થાપના વડે અર્થાનુસંધાન, દ્રવ્ય વડે તત્ત્વોનુસંધાન અને ભાવ વડે સ્વરૂપાનુસંધાન થાય છે. એ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ કાર્ય-કારણરૂપ બનીને નિશ્ચયનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે. નામનમસ્કાર ભાષ્ય, ઉપાંશુ અને માનસ જાપ વડે થાય છે. સ્થાપનાનમસ્કાર વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થિની વિચારણા વડે થાય છે. દ્રવ્યનમસ્કાર જીવાદિ તત્ત્વોની અને મૈત્યાદિ ભાવોની અનુપ્રેક્ષા વડે થાય છે. ભાવનમસ્કાર સ્વરૂપાલંબનની વિચારણા વડે થાય છે. નિશ્ચયનમસ્કાર જીવત્વના બહુમાનરૂપ છે, તેથી તત્ત્વોનુસંધાન દ્વારા સ્વરૂપાનુસંધાન સધાય છે. તે સમ્યગ્દષ્ટિને હોય છે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ જિનવચનની સણા ધરાવે છે. 'जं ज्झाया ज्ज्ञायंतो अरिहंत रूवसुपयपिंडत्थं । अरिहंतपयमयं चिय, अप्पं पिक्खेइ पच्चक्खं " -सिरिवालकहा અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૮૫ NNN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy