SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચેયને નમસ્કાર કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને શુદ્ધચિત્તમાં આજ્ઞાનું વિશ્વવ્યાપીપણું પ્રતિબિંબિત થાય છે. સચરાચરવિશ્વની સ્થિતિ એ આજ્ઞારાધન અને આજ્ઞાવિરાધનનું જ પ્રતિબિંબ પાડે છે. તેથી આજ્ઞાનાં “મહાનુભાવા” અને “મહાવિષયા” એ છેલ્લાં બે વિશેષણો ચરિતાર્થ થાય છે. આજ્ઞાનું સ્વરૂપ દશ વિશેષણોથી દર્શાવતાં કહે છે કે सुनिउणमणाइनिहणं भूयहियं भूयभावणं महग्धं । अमियमजियं महत्थं महाणुभावं महाविसयं ॥ આજ્ઞા આપ્તપુરુષોનાં વચનશ્રવણથી પ્રાપ્ત થાય છે અને જીવનમાં વ્યાપ્ત બનીને સિદ્ધિપદમાં સમાપ્ત થાય છે. આજ્ઞા, શ્રવણ વડે પ્રાપ્ત, મનન વડે જીવનમાં વ્યાપ્ત અને નિદિધ્યાસન વડે સમાપ્ત થાય છે. અરિહંતોની આજ્ઞા-સામ્યભાવ અરિહંતોની શક્તિ તે આઈન્સ્પે. તે શક્તિ સમતારૂપ છે અને સમતા-સામ્ય એ જ અરિહંતોની આજ્ઞા છે. ભેદભાવનો નાશ અને અભેદભાવની ઉત્પત્તિ તે સમતાનું સ્વરૂપ છે. ભેદભાવમાંથી હિંસાદિ અને ક્રોધાદિ આશ્રવો અને અભેદભાવમાંથી અહિંસાદિ અને ક્ષમાદિ સંવરભાવો ઉત્પન્ન થાય છે. આશ્રવો સર્વથા ય છે અને સંવર માત્ર ઉપાદેય છે એવી અરિહંતોની આજ્ઞાનું બીજ સામ્યભાવ છે. પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ એક જ શબ્દમાં જો કહેવું હોય તો તે “સામ્ય' છે-સામ્યબુદ્ધિ કે સમત્વભાવની પ્રાપ્તિ એ સામ્યભાવ જ સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને સ્વર્ગ-મૃત્યુ-પાતાલરૂપ ત્રિલોકનું સ્વામીત્વ અપાવનાર સારતત્ત્વ છે. વિશ્વની વ્યવસ્થા સામ્યભાવના આધારે છે. વિશ્વમાં દેખાતી અવ્યવસ્થા સામ્યભાવના ભંગનું ફળ છે, આહત્ય કે સામ્યભાવ વિશ્વવત્સલ છે. અરિહંતોની ભક્તિ સામ્યભાવને વિકસાવે છે. સામ્યભાવ સાધુમાં જીવમાત્રને સહાયરૂપે, ઉપાધ્યાયમાં સૂત્રપ્રદાનરૂપે, આચાર્યમાં આચારપાલન અને અર્થપ્રદાનરૂપે, સિદ્ધોમાં પૂર્ણતાની પ્રાપ્તિરૂપે અને અરિહંતોમાં એ બધાંના મૂળરૂપે પ્રગટપણે દેખાય છે. જિનાજ્ઞા એટલે જિનની કરુણા પ્રભુની વીતરાગતા, સર્વજ્ઞતા અને દયામયતા-કરુણાને જ્યારે જ્યારે આગળ કરીને ધ્યાન-ચિંતન કરવામાં આવે છે, ત્યારે ચિત્તની એકાગ્રતા સાધવામાં ઘણી સહાય મળે છે. વીતરાગતા દ્રવ્યરૂપે, સર્વજ્ઞતા ગુણરૂપે અને કરુણા પર્યાયરૂપે જેઓને પ્રગટ થયેલી છે, તેઓનું ધ્યાન ધ્યાતાની અંદર અપ્રગટરૂપે રહેલા ગુણપર્યાયને પ્રગટ કરવામાં આલંબનરૂપ થાય છે. વીતરાગતા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય, સર્વજ્ઞતા એટલે શુદ્ધ આત્મગુણ અને કારુણ્ય એટલે શુદ્ધ આત્મપર્યાય. નિરંજન-શુદ્ધ આત્મદ્રવ્ય વિશ્વજીવો પ્રત્યે સ્વભાવથી અનંતકરૂણાવાળું હોય છે, તેની પ્રતીતિ તેઓના ધ્યાન દ્વારા થતો પાપનાશ અને દુઃખનાશ કરી આપે છે. કરુણા એ જ આજ્ઞા અને આજ્ઞા એ જ કરુણા. આજ્ઞાકારક અને આજ્ઞાપાલક બન્નેનો યોગ કરાવી આપવાની શક્તિ કરુણાગુણના પ્રણિધાનમાં છે. તેથી કરુણા જ ધર્મની અને તે દ્વારા મોક્ષની જનની છે એવું શાસ્ત્રકારોનું અબાધિત નિરૂપણ છે. ક8 SN ૩૮૨ થી છેવૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy