SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ છે. નમસ્કારનું મુખ્ય પ્રયોજન સ્વરૂપ૨મણતા કે સ્નેહપરિણામનો અસ્ખલિતવિકાસ છે. દેહલીદીપકન્યાય જેમ આકાશ સર્વપદાર્થોના આધારભૂત છે તેમ સમભાવયુક્તસાધુપણું સર્વગુણોના આધારરૂપ છે. ‘નમો એપ સવ્વસાહૂણં' પદથી સર્વગુણોના આધારભૂત સમભાવયુક્તસાધુપણાને નમસ્કાર છે. તેમાં ‘સવ્વ’ પદના પણ ત્રણ અર્થો છે. ૧. સર્વપ્રકારે સાધુપણું ૨. સર્વપ્રત્યે સાધુપણું ૩. સર્વનું સાધુપણું ૧. સર્વપ્રકારે સાધુપણું પાપના મૂળનો નાશ કરે છે. ૨. સર્વપ્રત્યે સાધુપણું સર્વપાપનો નાશ કરે છે. ૩. સર્વનું સાધુપણું એ સર્વનાં પાપનો નાશ કરે છે. એ રીતે સર્વસદ્ગુણોના આધારભૂત સાધુપણું-સાધુભાવ-સમભાવને પ્રગટાવનાર અને સર્વદુર્ગુણોના આધારભૂત પાપ અર્થાત્ અહં-મમભાવનો નાશ કરનાર આ પંચનમસ્કાર છે. એમ ‘ોવંદ નમુવારો' પદથી પ્રગટ થાય છે. દેહલીદીપકન્યાયથી એક બાજુ પાંચમું પદ અને બીજી બાજુ સાતમું પદ તથા તે બંનેની વચ્ચે દીપકના સ્થાને છઠ્ઠું પદ છે, તે એમ બતાવે છે કે આ પંચનમસ્કાર સર્વદુર્ગુણોના મૂળરૂપ અહં-મમરૂપી પાપભાવનો નાશ કરીને સર્વસદ્ગુણોના આધારરૂપ સમભાવરૂપી સાધુધર્મનો વિકાસ કરે છે. સાધુપદની અર્થભાવના ‘નમો છોડ઼ સવ્વસાહૂળ” એ ચાર પદોની પશ્ચાનુપૂર્વીથી અર્થભાવના નીચે મુજબ છે ઃ ૧. સાહૂમાંં—શબ્દથી સ્થવિરકલ્પી- જિનકલ્પી-છદ્મસ્થ- સર્વજ્ઞ-ગીતાર્થ- અગીતાર્થ -અદિનદીક્ષિત -દેશોનપૂર્વકોટિદીક્ષિતાદિ. ૨. સવ્વ-સાર્વ શબ્દથી સર્વનયોથી વિશિષ્ટ અર્હર્મને સ્વીકારનારા, સર્વ શુભયોગોને સિદ્ધ કરનારા અને અરિહંતોને આરાધનારા શ્રવ્ય અને સવ્ય સાધુ (સાંભળવા લાયક વાક્યમાં કુશળ તે શ્રવ્ય અને કરવાલાયક કાર્યમાં કુશળ . તે સવ્ય). ૩. ોણ - લોકે શબ્દથી ઊર્ધ્વ, અધો અને તીર્થ્યલોકમાં રહેલાં ૪. નમો - પદથી દ્રવ્યભાવ ઉભયપ્રકારનો નમસ્કાર ઊર્ધ્વ, અધો અને તી[લોકમા રહેલા, સર્વનયોથી વિશિષ્ટ અર્હર્મને સ્વીકારનારા, સર્વશુભયોગોને સિદ્ધ કરનારા, અરિહંતોને આરાધનારા, શ્રવ્ય, સવ્ય, સ્થવિરકલ્પી, જિનકલ્પી, અદ્યદિનદીક્ષિત કે દેશોનપૂર્વકોટિદીક્ષિતાદિ સર્વસાધુભગવંતોને દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકા૨નો નમસ્કાર કરું છું. આજ્ઞાપાલન એ તીર્થ છે. અરિહંતના નમસ્કારમાં અરિહંતની આજ્ઞાને નમસ્કાર છે. આજ્ઞા જ તારનારી છે તેથી તેને ‘તીર્થ’’ પણ કહે છે. ગુરુની આજ્ઞા પણ તીર્થંકરોની આજ્ઞાના આરાધન માટે છે. માતા-પિતાદિ વડીલજનોની આશા પણ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy