SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાણં ચ સર્વેસિ” અજીવમિશ્ર કયોપશમભાવે જીવતત્ત્વને ઓળખાવે છે. પઢમં હવઈ મંગલ' એ શુદ્ધજીવતત્ત્વને ઓળખાવે છે. નવકારમાં અષ્ટાંગયોગ [૧] સામાયિક એ સમાધિરૂપ છે. સમાધિ માટે ધ્યાન દેવતત્ત્વનું કરવાનું છે. [૨] અરિહંતા, સિદ્ધા એટલે જ ચતુર્વિશતિસ્તવ. તેમાં “દંતે ફિટ્સ તથા “લિકા સિદ્ધિ મન વિતતું એમ બે પદો સાક્ષાત્ રહેલાં છે. [3] કારિયા, ‘વન્નાયા' અને “તો સવ્વસાહૂi' સ્પષ્ટપણે ગુરુવંદન છે. દેવના ધ્યાન માટેની ધારણા ગુરુવંદનથી પ્રાપ્ત થાય છે. [૪] ઘણો પંચ નમુવારે” અને “સત્રાવપૂUIો આ બન્ને પદોમાં પ્રતિક્રમણ છે, તેનું ફળ પ્રત્યાહાર [૫] “મંાના ૪ સલૅહિં કાયોત્સર્ગમાં જ સર્વમંગળો રહેલાં છે. કાયોત્સર્ગ સર્વમંગળસ્વરૂપ છે. તેની સર્વમંગળમયતાના કારણે જ મહાત્માઓ વારંવાર કાયોત્સર્ગ કરે છે. | [] “પઢમં હવ મં િકાયોત્સર્ગમાં પ્રવેશ માટે પ્રત્યાખ્યાન એ જ પ્રથમ મંગળ છે. પ્રત્યાખ્યાન વડે જ કાયોત્સર્ગમાં પ્રવેશ થાય છે. પ્રત્યાખ્યાન એ સમાધિમાં પ્રવેશ કરવા માટેનું મંગળદ્વાર છે. યમ-નિયમ નામનાં યોગનાં પ્રથમ બે અંગ તેમાં સમાઈ જાય છે. કાયોત્સર્ગ તે પછીનું સોપાન છે. તેમાં આસન-પ્રાણાયામ નામનાં બે યોગાગ આવી જાય છે. પ્રતિક્રમણમાં પ્રત્યાહાર, ગુરુવંદનમાં ધારણા, ચતુર્વિશતિસ્તવમાં ધ્યાન અને સામાયિકમાં સમાધિ નામનું અંતિમ યોગાંગ સમાવિષ્ટ થઈ જાય છે. નમો વડે આવશ્યકોનું પાલન નમો' મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની આરાધના થાય છે. નમો મંત્ર વડે ચતુર્વેિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે. નમો” મંત્ર વડે મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યકત્વનું આસેવન થાય છે. ઔદયિકભાવમાંથી પાછા ફરીને લાયોપથમિકભાવમાં આવવાનું થાય છે. નમો મંત્ર વડે વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. વર્તમાનનો સંવર કાયોત્સર્ગરૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચશ્માણરૂપ છે. “નમો' મંત્ર વડે અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને અનાગતનું પચ્ચક્માણ થાય છે. એક “નમો’ મંત્ર વડે આ રીતે છયે આવશ્યકોની ભાવથી આરાધના થાય છે. મંત્રચૈતન્યનું પ્રકટીકરણ આત્મભાવની પરિણતિમાં પાછા આવવાની ક્રિયા એટલે તેમાં થયેલી સ્કૂલનાઓનું શુદ્ધિકરણ, ભૂતકાળની ખલનાઓનું પ્રતિક્રમણ, તેમ જ વર્તમાનનો સંવર અને ભાવિનું નિયમન. સામાયિક એ આત્મા છે, ચતુર્વિશતિસ્તવ એ દીપ-દીપ છે, ગુવંદન એ ત્રાણ છે, પ્રતિક્રમણ એ શરણ છે, કાયોત્સર્ગ એ ગતિ છે અને પ્રત્યાખ્યાન એ પ્રતિષ્ઠા છે. છયે આવશ્યકોની એ અર્થભાવના છે. અર્થભાવનાસહિત છયે આવશ્યકોનો સંગ્રહ નમસ્કારમાં છે, તેથી નમસ્કાર સર્વગ્રાહી છે. ચૌદપૂર્વ અને N ૩૭૪ 39४ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy