SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પરમપદે થિત પરમેષ્ઠિ - ધર્મનું મૂળ કરુણા છે. કરુણાનો ઉદ્દભવ પરદુઃખ છેદનની વૃત્તિમાંથી ઉત્પન્ન થાય છે. જેવું આપે તેવું મળે, જેવું વાવે તેવું લણે-એ ન્યાય છે. બીજાને દુઃખ આપવાની વૃત્તિમાંથી જીવ જ્યાં સુધી ન છૂટે, ત્યાં સુધી તેનું પોતાનું દુઃખ દૂર થતું નથી. જીવ પોતાને માટે જે ઈચ્છે છે તે બીજાને માટે જ્યાં સુધી ન ઈચ્છે, ત્યાં સુધી સ્વ-પરભેદબુદ્ધિ કે જે બધાં પાપનું મૂળ છે તે દૂર થઈ શકવાની નથી. સિદ્ધભગવંતોના અનંતચતુષ્ટયના મૂળમાં કરુણા રહેલી છે. કરુણા સર્વગુણોમાં વ્યાપ્ત હોવાથી તેને સિદ્ધના ગુણોમાં જુદી ગણાવેલી નથી. કરુણા વિના કોઈપણ સાચા ગુણની, સુખની કે આનંદની ઉત્પત્તિ નથી. આનંદ અને વિશુદ્ધ પ્રેમ પર્યાયવાચક છે. બીજાને નિષ્કામપ્રેમ આપવાથી આનંદની ઉત્પત્તિ થાય છે અને સર્વને પ્રેમ આપવાથી પરમાનંદની અનુભૂતિ થાય છે. સર્વ પ્રત્યે સમાન પ્રેમવાળા હોવાના કારણે જ પરમેષ્ઠિ, પરમપદે સ્થિત કહેવાય છે. વ્યષ્ટિભાવમાંથી છોડાવનાર સમષ્ટિભાવ છે અને સમષ્ટિભાવ જ જીવને પરમેષ્ઠિભાવમાં લઈ જાય છે. નમસ્કાર મહામંત્ર જીવને વ્યષ્ટિભાવમાંથી છોડાવી, સમષ્ટિભાવમાં લાવી, પરમેષ્ઠિભાવમાં લઈ જાય છે. નમસ્કાર એ મહામંત્ર કેમ ? ન કરવા લાયક હિંસાદિ કરવાથી જેમ નરક મળે, તેમ કરવા લાયક કાર્ય પૂજાદિ ન કરવાથી થાવત્ નિગોદ મળે. જેમ મદ એ મદિરા અને માંસ કરતાં પણ અપેક્ષાએ અધિકઘાતક છે. તેમ નરક કરતાં પણ નિગોદની કાયસ્થિતિ અને વેદના અનંતગણી અધિક હોય છે. તે નરક-નિગોદનો નાશ નમસ્કાર વડે જ થાય છે. અહ-મમ'' એ મોહરાજાનો મંત્ર છે, તે મંત્ર નમસ્કાર વડે નિષ્ફળ જાય છે. “નાદું મને એ ધર્મરાજાનો મંત્ર છે, તે નમસ્કાર વડે સધાય છે. હું' એટલે શરીર નહિ પણ નિશ્ચયથી શુદ્ધ આત્મા અને “મારું' એટલે ધનાદિ નહિ પણ શુદ્ધ જ્ઞાનાદિ ગુણો, એ શીખવનાર મહામંત્ર શ્રી નમસ્કાર છે, તેથી તે મોહને જીતાડનારો ધર્મરાજનો મહામંત્ર પણ કહેવાય મોહષિ ઉતારનાર ગારડીમંત્ર કર્મકતભાવોમાંથી અહત્વ-મમત્વબુદ્ધિ છોડાવી કેવળ આત્મા અને તેના ગુણોમાં અહત્વ-મમત્વબુદ્ધિ ઉત્પન્ન કરવાનું કાર્ય જે મંત્રથી થાય તે મંત્ર મોહને જીતવાનો મંત્ર છે. નમસ્કારમંત્ર જીવને વ્યષ્ટિભાવમાંથી છોડાવી સમષ્ટિભાવમાં લઈ જાય છે અને સમષ્ટિભાવ પરમેષ્ઠિભાવનું કારણ બને છે. કરુણા એ મોહવિષ ઉતારવા માટે ગારુડીમંત્રતુલ્ય છે. કરુણામાં રત્નત્રયી અનુસૂત છે, કરુણાવાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય એકીસાથે રહેલાં છે. મોહ જીતવાનો મંત્ર 'मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च कैवल्यम् ।' तत्त्वार्थाधिगमसूत्र મોહલયનું કારણ ‘નો મંત્રપૂર્વકનું આરાધન છે. નમસ્કારભાવ વિનાનો થયેલો જ્ઞાનદર્શનાવરણ કે અંતરાયનો ક્ષયોપશમ મોહવૃદ્ધિનો જનક છે. N ૩૭૦ [ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy