SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણેય યોગોમાં નમસ્કારભાવ વ્યાપ્ત છે. પ્રથમમાં માતાપિતાદિ લૌકિક ઉપકારીઓ પ્રત્યે, બીજામાં દેવગુરુ આદિ લોકોત્તર ઉપકારીઓ પ્રત્યે અને ત્રીજામાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોથી યુક્ત આત્મતત્ત્વ પ્રત્યે ભક્તિભાવ, કૃતજ્ઞતાભાવ અને સમર્પણભાવ અભિવ્યક્ત થાય છે. કર્મ-ભક્તિ-જ્ઞાનયોગ નમસ્કાર મહામંત્રની આરાધનાથી જીવરાશિ ઉપર સ્નેહપરિણામનો વિકાસ થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ થાય છે. નમસ્કારમંત્રનું આરાધન એ ક્રિયાયોગ છે, તેનાથી થતો સ્નેહપરિણામનો વિકાસ એ ભક્તિયોગ છે અને તેથી થતો આત્મસ્વરૂપનો બોધ એ જ્ઞાનયોગ છે. એ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેયનો સુમેળ કરાવનાર હોવાથી એક નમસ્કાર મહામંત્રનું આરાધન પણ જીવને મોક્ષમાર્ગરૂપ બની સકલકર્મનો ક્ષય કરાવે છે. કર્મયોગથી તમોગુણરૂપ મળ ધોવાય છે, ભક્તિયોગથી રજોગુણરૂપ વિક્ષેપ જાય છે અને જ્ઞાનયોગથી અવિશુદ્ધસત્ત્વગુણજનિત આવરણ દૂર થાય છે. કર્મયોગ સતતાભ્યાસરૂપ છે. ભક્તિયોગ વિષયાભ્યાસરૂપ છે. જ્ઞાનયોગ ભાવાભ્યાસરૂપ છે. ભક્તિયોગ અને જ્ઞાનયોગનું લક્ષણ. મન એ આત્માનું કરણ છે. તેથી મનથી થતી પ્રત્યેક ક્રિયામાં આત્માનું દાસત્વ અભિવ્યક્ત થાય છે, તે પણ એક પ્રકારનો ભાવનમસ્કાર છે. મન-વચન-કાયાથી પ્રભુઆજ્ઞાનું પાલન પણ ભાવનમસ્કારરૂપ છે. મનને આત્મામાં જોડવું તે ભક્તિયોગ છે અને આત્માનું મનમાં જોડાવું તે જ્ઞાનયોગ છે. એકમાં વચનાનુષ્ઠાન છે અને બીજામાં અસંગાનુષ્ઠાન છે. પરસ્પર કાર્ય-કારણભાવનો સંબંધ છે. શબ્દ, અર્થ અને જ્ઞાન | નવકાર એ શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રિતયરૂપ છે. શબ્દ વૈખરી, મધ્યમ, પશ્યન્તી અને પરારૂપ છે. તેના જાપ અને પુનઃ પુનઃ રટણ વડે અનુક્રમે ભાષ્ય, ઉપાંશુ, માનસ અને અનાહત અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થ આત્મસ્વરૂપ છે અને તે અવ્યક્ત, અલક્ષ્ય, સૂક્ષ્મ તથા નિર્વિકલ્પ છે. જ્ઞાન તેનું સ્વસંવેદન છે જ્યારે આત્મા, આત્માને આત્મા વડે આત્મામાં જાણે ત્યારે તે સ્વસંવેદન બને છે. એ રીતે નવકારમાં રહેલ ધૂળથી માંડીને સૂક્ષ્મ શબ્દ પયંતની ક્રિયા, અંતરાત્માથી માંડીને પરમાત્મતત્ત્વ સુધીનું અર્થચિંતન અને તેનું શ્રત, ચિન્તા તથા ભાવના વડે અથવા આગમ, તર્ક અને ધ્યાનના અભ્યાસ વડે પ્રાપ્ત થતું સમ્યજ્ઞાન રહેલું છે. અહીં શબ્દપ્રવૃત્તિને કર્મયોગ, અર્થભાવનાને ભક્તિયોગ અને તેના સ્વસંવેદનને જ્ઞાનયોગ પણ કહી શકાય. ત્રણેય યોગનો એકત્ર સંયોગ થતો હોવાથી તે મોક્ષમાર્ગ બની શકે છે. કર્મયોગ ધારણામાં, ભક્તિયોગ ધ્યાનમાં અને જ્ઞાનયોગ સમાધિમાં સહાયક છે. III III ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy