________________
સ્નેહ અને વાત્સલ્યનો ભંડાર
“નમો' પદમાં નવધાભક્તિ રહેલી છે. નવા પ્રકારના રસોની એ ખાણ છે, ચાર પ્રકારના સામાયિક, આઠ પ્રકારના યોગ, છ પ્રકારના આવશ્યક, પાંચ પ્રકારના આચાર, દાનાદિ ચાર પ્રકારના ધર્મ, જ્ઞાનાદિ ત્રણ પ્રકારનાં રત્ન, શ્રુત-ચારિત્ર એ બે પ્રકારના ધર્મ તથા ધર્મના સઘળા પ્રકાર એકીસાથે “નમો' પદમાં સંગૃહીત થઈ જાય છે.
નમો પદ સ્નેહ-વાત્સલ્યનો ભંડાર છે, પરંતુ તે સ્નેહ અને વાત્સલ્યયુક્ત ઉપર સ્નેહ અને વાત્સલ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ છે. સર્વશાસ્ત્રોનો સાર
નમો” એ જ્ઞાન-દર્શન-ચારિત્રનો મંત્ર છે. “નમો” એ દેવ, ગુરુ અને ભક્તિનો મંત્ર છે. “નમો” એ મન, પ્રાણ અને ઇન્દ્રિયને વશ રાખવાનો મંત્ર છે. “નમો” એ રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. “નમો' એ દુષ્કતગઈ, સુકૃતાનુમોદન અને શરણગમનનો મંત્ર છે. નમો” એ સત, ચિત્ અને આનંદનો મંત્ર છે.
નમો” એ વૃત્ત ઉપરથી બિન્દુ તરફ જવાનો મંત્ર છે. વળી તે સંસારનો ઉચ્છેદક, કર્મનો ઘાતક અને પાપનો પ્રતિપક્ષી મંત્ર છે.
સિદ્ધિનો સાધક, મોક્ષનો જનક અને કેવળજ્ઞાનનો ઉત્પાદક છે. “નમો' એ શાસ્ત્રોનો સાર, ચૌદપૂર્વનો ઉદ્ધાર અને આગમનો રહસ્યભૂત મંત્ર છે. રાગ-દ્વેષનો વિરોધી અને સમતાનો સાધક છે.
સર્વશાસ્ત્રોનો સાર નમસ્કાર છે અને નમસ્કારનો સાર શરણાગતિ છે. શરણાગતિ એ આત્મદ્રવ્યની નિર્વિકલ્પઅનુભૂતિરૂપ છે. નમવું એટલે વૃત્તિરહિત થવું
જીવની સાથે અભેદ સધાવનાર મંત્ર “હં “સઃ' છે અને શિવની સાથે અભેદ સધાવનાર મંત્ર “સોહં' છે. ' જીવ-શિવ ઉભયની સાથે અભેદ સધાવનાર મંત્ર “ૐ” છે. “નમો’ એ “ૐ' મંત્રનું જ એક વિશદરૂપ છે.
'Namo' is a turning point of mind from fruta to 1414419 from body to soul, from mind to beyond mind, from ephemeral to transcendental.
અર્થાત “નો એ બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા દ્વારા પરમાત્મદશા પ્રાપ્ત કરાવનાર છે એમ ટૂંકમાં કહેવાય.
“નમો' મંત્ર વડે જે ધ્યાન થાય છે તેને આજની ભાષામાં (Transcendental meditation) અતિમાનસ ધ્યાન પણ કહી શકાય.
મન ઉપરથી ઉન્માન થવા માટે સમનસ્કતામાંથી અમનસ્કતામાં જવા માટે અને સંકલ્પ-વિકલ્પની દશામાંથી છૂટી નિર્વિકલ્પસ્થિતિના ધામમાં આવવા માટે “નનો મંત્ર “ૐ' મંત્રનું પણ કાર્ય કરે છે. કહ્યું છે કે – “નમઃ ત્તિ પર નિવૃત્તિઃ ' અર્થાત્ નમસ્કાર એટલે પ્રણિપાતવડે વૃત્તિરહિત થવું. નમસ્કાર એટલે કામનારહિત થવું
“નમો પદ વડે મનને નિર્વિચાર કરવું. ‘ઢિંતા પદ વડે આત્મચિંતન કરવું. પ્રાણીમાત્રમાં એક જ N અનુપ્રેક્ષાકિરણ ૪ અનુશાકિરણ ૪
૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org