________________
નો પદ શનિ, તુષ્ટિ અને પુષ્ટિનું બીજ છે. નમો મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગ સાધકને નમસ્કારરૂપ હોવાથી મોક્ષનું બીજ છે. તેથી દર્શનશુદ્ધિ થાય છે. મતિ આદિ પાંચ જ્ઞાનોને ધારણ કરનારાઓને નમવાનું હોવાથી વિનયનું બીજ છે. તેથી જ્ઞાનશુદ્ધિ થાય છે. તપ-સંયમને ધારણ કરનારને અને તેથી કર્મક્ષય કરનારને નમસ્કારરૂપ હોવાથી શુદ્ધિનું બીજ છે. તેથી ચારિત્રશુદ્ધિ થાય છે. દર્શનગુણથી શાન્તિ, જ્ઞાનગુણથી તુષ્ટિ અને ચારિત્રગુણથી પુષ્ટિ અને શુદ્ધિ થાય છે.
એ રીતે અદાદિ પંચપરમેષ્ઠિઓને કરાયેલો નમસ્કાર દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની શુદ્ધિ કરનારો તથા તેની શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ કરનારો થાય છે. ધર્મબીજનું વપના
ભાવનમસ્કાર એટલે નમસ્કાર્ય પ્રત્યે વિનય, ભક્તિ, આદર અથવા મનનું શુદ્ધ પ્રણિધાન. સાંસારિકવિષયોમાં દોડતા એવા મનને રોકવું અને પરમાત્મા તરફ વાળવું.
“નમો પદ વિનયસૂચક છે. વિનયનું ફળ ગુરુસેવા અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. તેનું ફળ ક્રમશઃ આશ્રવનિરોધ સંવરલાભ, કર્મનિર્જરા, ક્રિયાનિરોધ, ભવપરંપરાનો નાશ અને મોક્ષ છે. એ દષ્ટિએ “નમો પદ મોક્ષનું મૂળ છે. શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ તથા મન, શરીર અને આત્માની શુદ્ધિ કરનાર છે.
પુણ્યની પુષ્ટિ, મનની શાન્તિ, અંતઃકરણની તુષ્ટિ અને દેહની શુદ્ધિ-એ બધાં વિનયનાં અવાન્તર ફળો છે. “નમો' પદનું બટન દબાવવાથી આત્મપ્રકાશ કરનારી મહા વિદ્યુત શક્તિનો આંતરૂ પ્રવાહ વહેવા લાગે છે. નમો' વડે ધર્મપ્રશંસા થાય છે. તે વડે વ્હાયભૂમિમાં ધર્મબીજનું વપન થાય છે. બીજમાંથી ફળ પ્રગટે છે.
ફળ મોક્ષ છે, પત્ર-પુષ્પ સુરનરનાં સુખ છે. એ રીતે બે અક્ષરના “નમો’ પદમાં અચિંત્યશક્તિ રહેલી છે. નવકારઃ નવતવનો બોધક
અરિહંતના ધ્યાનથી પુણ્યતત્ત્વનો બોધ, સિદ્ધના ધ્યાનથી જીવતત્ત્વનો બોધ, આચાર્યના ધ્યાનથી સંવરતત્ત્વનો બોધ, ઉપાધ્યાયના ધ્યાનથી નિર્જરાતત્ત્વનો બોધ અને સાધુપદના ધ્યાનથી મોક્ષતત્ત્વનો બોધ થાય
એ રીતે પંચપરમેષ્ઠિભગવંતોના ધ્યાનથી જીવાદિ તત્ત્વનો બોધ થાય છે. તેથી નવકાર નવતત્ત્વોનો બોધક છે. પુણ્યનું પ્રતિપક્ષી પાપતત્ત્વ, જીવનું પ્રતિપક્ષી અજીવતત્ત્વ, સંવરનું પ્રતિપક્ષી આશ્રવતત્ત્વ, નિર્જરાનું પ્રતિપક્ષી બંધતત્વ અને મોક્ષનું પ્રતિપક્ષી સંસાર છે, એનો સ્પષ્ટ બોધ નવકાર કરાવે છે. વિષયવૃત્તિ અને કષાયવૃત્તિ ઉપર વિજય
“નમો પદ પ્રમોદ અને કરુણાવાચક છે. નમસ્કાર ચતુર્વિધ સંઘનો પ્રાણ છે અર્થાત્ કરુણામાચ્છાદિ ભાવો એ સંઘના પ્રાણ છે. પ્રમોદભાવથી વિષયવૃત્તિ જિતાય છે, કરુણાભાવથી કષાયવૃત્તિ જિતાય છે.
કષાયવૃત્તિ જીવના તિર્યક સામાન્યનો ઇન્કાર કરે છે, વિષયવૃત્તિ જીવના ઊર્ધ્વતા-સામાન્ય સ્વરૂપનો વિરોધીભાવ છે. જીવનમાં તે બંને સ્વરૂપોનું રક્ષણ કરનાર હોવાથી ભક્તિ અને કારુણ્ય એમ ઉભયભાવો આવશ્યક-ઉપકારક છે.
SN ૩૬૨ -
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org