SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારમાંથી નમ્રતા પ્રગટ થાય છે. તેને બતાવનાર ‘નમો’ પદ છે. ëિ પદ બોલતાં અરિહંતાદિ ચારનો જ તે અનુગ્રહ છે, બીજાનો નહીં એવો સ્વીકાર થાય છે અને તાનું પદ બોલતાં જ તે ચારનો અનુગ્રહ મારું રક્ષણ કરે છે, તે સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર કે શરણ આપનાર નથી તેનો સ્વીકાર થાય છે. અનુગ્રહ પ્રત્યેનું આ દઢ શ્રદ્ધાન અને તે દ્વારા થતું અરિહંતાદિ ચારનું પ્રશિધાન ભાવભક્તિ પેદા કરે છે અને પ્રાપ્ત થતી પ્રત્યેક સામગ્રી કે પરિસ્થિતિમાં એકસરખો આનંદ, મગ્નભાવ, સ્નેહભાવ યા સમભાવ ટકાવી રાખવાનું સામર્થ્ય સમર્પે છે. અરિહંતાદિ ચાર એટલે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિતધર્મ. સર્વોત્કૃષ્ટ ચિત્ત-પિત્ત અને પાત્ર નવકારના પ્રથમપદમાં ચિત્ત, વિત્ત અને પાત્રનો અનુરૂપ સંયોગ છે. નમો પદથી ચિત્ત, ‘તા પદથી વિત્ત અને ‘દૃિ પદથી પાત્ર-એમ ત્રણેય સર્વોત્કૃષ્ટ છે. આત્માન અને કર્મકચવર “નમો પદના જાપથી અંતરમાં સૂક્ષ્મક્રિયા થાય છે. તે ક્રિયા સ્પંદનરૂપ-ગતિરૂપ છે. તેથી ઉષણતા પેદા થાય છે, એ ગરમીથી આત્મા ઉપર લાગેલો કર્મકચવર બળી જાય છે, કર્મકચવર બળી જવાથી આત્મરત્ન દેખાવા માંડે છે. નમો પદથી કર્મચવર બળે છે, “ë પદથી પ્રકાશ પ્રગટે છે અને તે પ્રકાશમાં આત્મતત્ત્વરૂપી રત્ન દેખાય છે. તા પદથી તે આત્મતત્ત્વ રક્ષણ કરનાર છે એવી પ્રતીતિ થાય છે. તેથી અશુદ્ધતાને સંગ્રહી રાખવાનો ભાવ દૂર થઈ જાય છે અને આત્મરત્ન એ જ રક્ષણ કરનાર છે પણ કર્મરૂપી કચરો નહીં, એવો શુદ્ધભાવ પ્રગટે છે. એ રીતે અનુક્રમે ઉષ્ણતા, પ્રકાશકતા અને શુદ્ધતા પ્રાપ્ત થવાથી આત્મતત્ત્વનું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી “નનો રિહંતા' પદનો જાપ પુનઃ પુનઃ કર્તવ્ય છે. અહિંસા અને અનેકાન્તા “નમો અરિહંતા માં રાગ-દ્વેષરહિત સ્વભાવને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એકાદ ક્ષણ પણ તેવી સ્થિતિમાં જવાનો પુરુષાર્થ આકુળતાને શમાવી દે છે. ધર્મનું ફળ શાન્તિ છે. શાન્તિનું મૂળ અનાકુળજીવસ્વભાવ છે. તેને નમસ્કાર નવકારના પ્રથમપદમાં કરવામાં આવ્યો છે. વીતરાગસ્વભાવ અને કેવળજ્ઞાનનો પરસ્પર સંબંધ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ સમજીને જ્યારે તેને આગળ કરવામાં આવે છે ત્યારે વીતરાગનો અનુભવ થાય છે. જ્ઞાનસ્વભાવમાં સ્થિરતા થવાથી રાગ-દ્વેષની આકુળતા શમી જાય છે. અહિંસાનો અર્થ છે સદ્ભયતા. દયાÁ Æય જ અહિંસાને સમજી શકે. અહિંસાનું અસ્તિત્વ અનેકાન્તવાદને લીધે છે. અનેકાન્તવાદ જ પરસ્પરના સંબંધને સમજી-સમાવી શકે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૭ NN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy