SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ मननमयी निजविभवे, निजसंकोचमये त्राणमयी । कवलित-विश्वविकल्पा, अनुभूति : कापि मंत्रशब्दार्थः ॥ मंत्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः। सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद्व्यवस्थितः ।। વિનય, વિવેક અને વિરતિ નમો પદ નિરભિમાનિતા, કર્તવ્યપરાયણતા અને સુસાધુજનાનુરાગિતાને સૂચવે છે. નમનીયને અનમન તે અભિમાનિતા, કર્તવ્યભ્રષ્ટતા અને સાધુજનષિતાને સૂચવે છે. નમસ્કારભાવ તે ભાવનારૂપ છે અને ભાવના તે અનુરાગવિશેષરૂપ છે. નમસ્કાર કેવળ સંસ્કાર કે વ્યાપારરૂપ નથી, કિન્તુ અનુરાગ અને ભક્તિરૂપ છે. નમસ્કારથી માન-કષાયનો નાશ, અંત-અવસાન યા સમાપ્તિ થાય છે. માનકષાય જવાથી આત્મજ્ઞાનમાં પ્રતિબંધતત્ત્વભૂત અવિનય ટકતો નથી અને વિનયગુણ આવિર્ભાવ પામે છે. વિનય વડે ક્રમશઃ વિદ્યા, વિવેક, વિરતિ અને પરંપરાએ યોગનિરોધ અને મુક્તિનો લાભ થાય છે. વિનય તે પૂજ્યાદિને વિષે વંદન-નમસ્કારાદિરૂપ છે, વિવેક ભેદપરિજ્ઞાનરૂપ અર્થાત સદ્-અસદુના વિવેચનરૂપ છે, તથા વિરતિ એટલે સત ના સ્વીકાર અને અસત્તા પરિહારરૂપ છે. ભેદબુદ્ધિનો નાશ અને અભેદબુદ્ધિનો ઉદભવ નમસ્કાર વડે ભેદબુદ્ધિનો નાશ થવાથી પાપનું મૂળ મિથ્યાત્વ નાશ પામે છે અને અભેદબુદ્ધિ ઉત્પન્ન થવાથી મંગળનું મૂળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. જીવતત્ત્વનો અનાદર-સર્વથા ભેદભાવ એ પાપનું મૂળ છે અને જીવતત્ત્વનો આદર-કંચિત્ અભેદભાવ એ મંગળનું મૂળ છે. અઢારે પાપોની ઉત્પતિમાં જીવતત્ત્વનું અબહુમાન-અપમાન કારણ છે અને નવેય પ્રકારનાં પુણ્યની ઉત્પત્તિમાં જીવતત્ત્વનું બહુમાન-સન્માન કારણ છે. પોતાના સર્વ અપરાધોની ક્ષમાપના અને બીજાના બધા ઉપકારની સ્વીકૃતિ એ મુક્તિનો-ઋણમુક્તિનોકર્મમુક્તિનો રાજમાર્ગ છે. - “જિ વડે ક્ષમાપના થાય છે અને નમાજ વડે ઉપકારીઓના ઉપકારની સ્વીકૃતિ થાય છે. એ સ્વીકૃતિ. અંતરથી થવી જોઈએ. તેનું બાહ્યચિન્હ સર્વસમર્પણ છે. કલ્પવૃક્ષ અને કામકુંભ કૃતજ્ઞતા કલ્પવૃક્ષ છે, તે નમસ્કાર છે. કર્તવ્યતા કામકુંભ છે, તે ક્ષમાપના છે. અપરાધોની ક્ષમા યાચવી તે કર્તવ્ય છે, પોતાને થયેલા તથા થતા ગુણો પ્રત્યે કૃતજ્ઞ રહેવું તે નમસ્કાર છે. નમસ્કારથી સુકતાનુમોદન થાય છે. ક્ષમાપનાથી દુષ્કૃતગર્તા થાય છે. One is the law of grace and gratitude, Other is the law of mercy and love. કૃતજ્ઞતા વડે કૃપા અને અનુગ્રહ પ્રાપ્ત થાય છે, ક્ષમા વડે દયા અને પ્રેમ વિકસે છે. પ્રથમ એ કૃતજ્ઞતા અને IN અનુપ્રેક્ષાકિરણ ૪ છે. ૩૫૧ S ૩૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy