________________
અકષાયભાવ-સમતાભાવ વડે આત્મહિતકર-શ્રેયસ્કર-કલ્યાણકર સંયમ ક્યારે ગ્રહણ કરું ? જ્ઞાન-ધ્યાન દ્વારા ઉપાધ્યાયપદ, અતિશયજ્ઞાન અને ઉત્કટચારિત્રદ્વારા આચાર્યપદ, રાગ-દ્વેષના ક્ષયદ્વારા અરિહંતપદ અને સકલકર્મના નાશ દ્વારા સિદ્ધપદ ક્યારે પ્રાપ્ત કરું ? એ વગેરે ભાવના પુષ્ટ થાય છે.
પરમાત્માકારપરિણમન
ૐૐકાર પરમાત્મવાચક છે, નમસ્કાર તત્પરિણતિવાચક છે અને આત્માનું પરમાત્મકાર પરિણમન તે નમસ્કાર છે.
પરમાત્માનાં પાંચ સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પંચપરમેષ્ટિપરમાત્માનાં સ્વરૂપ છે.
પરમાત્મા સાધુ તો છે જ, તદુપરાન્ત ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિહંતસ્વરૂપ પણ છે.
આત્માનું પરમાત્માકાર ભાવવું તે નમસ્કા૨પદાર્થ છે.
નમસ્કારમાં બહિરાત્મભાવનો ત્યાગ છે, અંતરાત્મભાવનો સ્વીકાર છે અને અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવમાં નિમજ્જન છે.
દલરૂપે જીવાત્મા પોતે જ પરમાત્મા છે એવું ભાવન નમસ્કાર વડે થાય છે. તેથી નમસ્કારશ્રુત, સર્વશ્રુતમાં શિરોમણિભૂત મનાય છે.
નમસ્કાર વડે અંતરાત્મભાવનું પરમાત્મભાવમાં સીધું વિલીનીકરણ થાય છે. કહ્યું છે કે—
"बाह्यात्मानमपास्य, प्रसत्तिभाजाऽन्तरात्मना योगी ।
सततं परमात्मानं विचिन्तयेत्तन्मयत्वाय ||
અર્થ– અંતરાત્મભાવ વડે બાહ્યાત્મભાવને ત્યજી પ્રસન્નતાને પાત્ર એવા યોગીપુરુષે તન્મય થવા માટે ૫૨માત્માનું-પરમાત્મભાવનું સતત ચિંતન કરવું જોઈએ.
નમસ્કારથી ઉપયોગની એકાગ્રતા
નમસ્કારની ક્રિયા શબ્દથી, અર્થથી અને ક્રિયાથી ઉપયોગની એકાગ્રતા લાવનારી છે. ઉપયોગની એકાગ્રતા પરમનિર્જરાનો હેતુ છે.
ધ્યાનની યોગ્યતા માટે વ્યવહારશુદ્ધિ, આહારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિ વગેરેની અપેક્ષા છે. વિચારશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ અને સ્વાધ્યાયાદિ અત્યંતરતપ અને આચારશુદ્ધિ માટે અનશન, ઉણોદરી, સંલીનતાદિ બાહ્યતપ અપેક્ષિત છે.
ધ્યાન એ ઉપયોગની એકાગ્રતારૂપ અને ઉપયોગ કંચિત્ અભેદને સધાવનાર છે. અરિહંતાદિના ઉપયોગવાળો જીવ કથંચિત્ અરિહંતાદિસ્વરૂપ બને છે.
નમસ્કારની ક્રિયા, પછી તે શબ્દથી હો, અર્થથી હો કે ક્રિયાથી હો, તે ઉપયોગની એકાગ્રતા લાવનાર હોવાથી નમસ્ક૨ણીય વસ્તુઓની સાથે અભેદને સધાવનારી છે.
નમસ્કા૨નીક્રિયા સામાન્યસ્વરૂપ ઉપયોગ અને વિશેષસ્વરૂપ ઉપયોગ, તેની વિશુદ્ધિ, તેની ભાવના, તેનું ધ્યાન, તેની અર્પિતતા અને તેની અભેદતા લાવનારી હોવાથી પરમનિર્જરાનો હેતુ બને છે.
દ્રવ્યક્રિયાને ભાવક્રિયા બનાવનાર ઉપયોગ છે. તેની તીવ્રતા જેમ જેમ થતી જાય તેમ તેમ નિર્જરા વધે છે. ધ્યાનનું ફળ જે અભેદપ્રણિધાન કહ્યું છે તે અનુક્રમે, તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસાય,
અનુપ્રેક્ષાકિરણ ૪
Jain Education International
For Private & Personal Use Only
૩૪૯
www.jainelibrary.org