________________
અપાવે છે અને એ મુક્તિ જ પરંપરાએ સકલકર્મનિર્માણનું કારણ બને છે.
નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મોક્ષ નથી અને તે પરિણતિ ચૌદપૂર્વનો સાર છે.
આજ્ઞાના અસ્વીકારમાં “અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં “નમસ્કાર છે. તેથી નમસ્કાર જ સર્વ ધર્મનું મૂળ છે, જીવને મળેલ ઇચ્છા સ્વાતંત્ર્યના ભયસ્થાનમાંથી બચવા માટેનું એકનું એક સાધન નમસ્કારની પરિણતિ છે અર્થાત આજ્ઞાપાલનની રુચિ છે. ગુણવત્પાતંત્ર્યનો સદુપયોગ છે. સ્વાતંત્ર્ય કલ્યાણકારી નથી, કિન્તુ સ્વાતંત્ર્યનો સદુપયોગ કલ્યાણકારી છે. સ્વાતંત્ર્યના સદુપયોગથી સાચું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે.
અયોગ્યના બંધનમાંથી છૂટવા માટે યોગ્યનું બંધન-યોગ્યનું પાતંત્ર્ય અનિવાર્ય છે. “દ્ધમત્ર ઘર્મપૃદયનું એ જ ધર્મનું રહસ્ય છે.
નમસ્કાર મોક્ષનું બીજ છે, કેમ કે તે વડે ગુણવત્ પરતંત્ર્ય કેળવાય છે.
મહાપુરુષોએ સર્વશાસ્ત્રનું તાત્પર્ય-ઐદંપર્ય આજ્ઞાને કહેલ છે. બીજા શબ્દોમાં યોગ્યને નમસ્કાર કહેલ છે અને તેનું જ નામ “ગુણવત પારતંત્ર્ય છે ગુણવત્પારતંત્ર એ મુક્તિનો ઉપાય છે. તેથી નમસ્કાર એ મોક્ષનું બીજ
ધર્મનું મૂળ
અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદાકાળ નમવું પડે એવા તિર્યંચના અને વૃક્ષાદિના ભવો મળે છે.
ધર્મના મૂળમાં સમક્તિ છે અને તે દેવ-ગુરુને નમસ્કારરૂપ છે. ઉપદેશથી, યુક્તિથી, દષ્ટાન્તોથી અને સહવાસથી નમસ્કારગુણ વિકસે છે.
નમસ્કાર એ ક્ષમાધર્મને વિકસાવે છે, દયાધર્મને વિકસાવે છે અને સ્નેહધર્મને વિકસાવે છે. ક્ષમા, દયા અને સ્નેહભાવ એ ચૈતન્યના બહુમાન સ્વરૂપ હોવાથી ધર્મ છે.
ધર્મરૂપી મસ્તક અને ધર્મરૂપી મૂળ છેદાઈ ગયા પછી સુભટ અને વૃક્ષની જેમ સુખ પણ છેદાઈ જાય છે. મસ્તકસમાન અને મૂળસમાન ધર્મને નવપલ્લવિત રાખવા માટે ધર્મને નિત્ય નમન આવશ્યક છે.
જ્યાં સ્વાર્થ છે ત્યાં બીજાનો તિરસ્કાર છે. જ્યા પરાર્થ છે ત્યાં બીજાને નમસ્કાર છે. તેથી પરાર્થ એ ધર્મ છે અને સ્વાર્થ એ અધર્મ છે. પરાર્થ મંગળ છે અને સ્વાર્થ અમંગળ છે.
શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારરૂપ ચોરને ભગાડવા માટે નમસ્કારને અસ્થિરમા બનાવવો જોઈએ. તેથી પાપનાશ અને પુણ્યવૃદ્ધિરૂપી ફળ આપોઆપ ઉત્પન્ન થાય છે. તિરસ્કારના પાપથી બચવા માટે નમસ્કાર જ એક આઘાર છે, તેથી જેઓ નમસ્કારને યોગ્ય છે તેઓને નમસ્કાર કરવો તે પ્રથમધર્મ છે. મરણને જીતવાનો ઉપાય.
આ સંસારમાં મોટામાં મોટું વિઘ્ન એ મનુષ્યનું મન છે અને બીજું વિઘ્ન એ મરણ છે, કેમ કે મરણ એ દ્રવ્ય આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે.
સમાધિ વડે બંને પ્રકારની આપત્તિઓ જિતાય છે અને ભાવનમસ્કારવડે સમાધિ સિદ્ધ થાય છે. ભાવનમસ્કાર તે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહભાવરૂપ છે.
દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય અને નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. અહંકાર પાપનું મૂળ છે અને નમસ્કાર ધર્મનું મૂળ છે.
બુદ્ધિને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનો આવશ્યક છે, તેમ ભાવનાબળને વિકસાવવા IN ૩૪૬
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org