________________
નવકારના પ્રથમ બે પદોમાં મુખ્યત્વે સામર્થ્યયોગનો નમસ્કાર છે, કેમ કે શ્રી અરિહંત અને સિદ્ધમાં અનંત સામર્થ્ય-વીર્ય પ્રકટેલું છે. પછીનાં ત્રણ પદોમાં પ્રધાનપણે શાસ્ત્રયોગનો નમસ્કાર છે, કેમ કે આચાર્ય ઉપાધ્યાય અને સાધુમાં વચનાનુષ્ઠાન રહેલું છે. છેલ્લાં ચાર પદોમાં ઇચ્છાયોગનો નમસ્કાર છે, કેમ કે તેમાં નમસ્કારનું ફળ વર્ણવ્યું છે. ફળશ્રવણથી નમસ્કારમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા થાય છે.
શ્રી નવપદોમાં રહેલ ભિન્ન ભિન્ન પ્રકારનો નમસ્કાર જો ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તે શીધ્રપણે સજીવ અને પ્રાણવાન બને છે.
જ્ઞાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને લક્ષ્ય પૂર્વક પ્રમાદ છોડીને જો નમસ્કાર મહામંત્રનું આરાધન કરવામાં આવે તો તે અચિંત્યચિંતામણિ અને અપૂર્વકલ્પવૃક્ષ સમ ફળપ્રદ બને છે.
ચિરકાળનો તપ ઘણું પણ શ્રુત અને ઉત્કૃષ્ટ પણ ચારિત્ર જો ભક્તિશૂન્ય હોય તો તે અહંકારનું પોષક બની અધોગતિને સર્જે છે.
ભક્તિનો ઉદય થતાં તે બધાં કૃતકૃત્ય બને છે.
મંત્રના ધ્યાનથી અને જપથી, વારંવાર પ્રભુનાં નામનો અને મંત્રનો પાઠ કરવાથી ચિત્તમાં ભક્તિ સ્કુરાયમાન થાય છે.
બહારના પદાર્થો બહારની ક્રિયાની અપેક્ષા રાખે છે. પરંતુ પરમાત્મા જે સૂક્ષ્મતમ અને જીવમાત્રમાં સત્તારૂપે બિરાજમાન છે, તેની પ્રાપ્તિ, વિવેક અને વિચાર તથા જ્ઞાન અને ભક્તિરૂપી અંતરંગ સાધનોથી થાય છે.
સ્નેહરૂપી તેલથી ભરેલ જ્ઞાનરૂપી દીપક મનોમંદિરમાં પ્રકટવાથી દેહમંદિરમાં બિરાજમાન અંતર્યામી પરમાત્માનાં દર્શન થાય છે. તે માટે દીર્ઘકાળ પર્યત આદર સહિત સતત અભ્યાસની જરૂર છે.
તે અભ્યાસ મંત્રના જાપ વડે અને તેના અર્થની ભાવના વડે કરી શકાય છે. આ રીતે શ્રી નવકારમંત્ર પણ તેના અર્થની ભાવના સહિત જ્યારે આરાધવામાં આવે છે ત્યારે તે અવશ્ય ભક્તિવર્ધક બને છે અને વધેલી ભક્તિ મુક્તિને નિકટ લાવી આપે છે.
સાત અક્ષરનું ધ્યાન સર્વ મહામંત્રી અને સર્વ શ્રેષ્ઠવિદ્યાઓના પરમ બીજભૂત તથા અનંતગમ, અનંતપર્યય અને અનંતઅર્થને પ્રકર્ષપણે સાધી આપનાર એવા સાત અક્ષરોનું પ્રણિધાન સર્વ જીવો પ્રત્યે ભાવમૈત્રીને પ્રગટાવી ક્રોધાદિ સર્વ આંતર શત્રુઓનો, પાપભાવોનો અને વૃત્તિઓનો નાશ કરે છે. તેથી જ તે મંત્રાધિરાજ પદને યોગ્ય છે.
અનાત્મભાવનો નાશ કરી આત્મભાવને પ્રગટાવે છે, આત્મભાવ પ્રગટાવવો, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ પેદા કરવો, એ જ સર્વ પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ છે. એ વડે શુદ્ધ થએલી ચિત્ત-ભૂમિમાં નિર્મળ આત્મસ્વરૂપનું દર્શન થાય છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, મિથ્યાત્વ-મળ નાશ પામે છે, સમ્યકત્વરૂપ સૂર્ય જાણે સહસ્ર કિરણો વડે પ્રકાશિત થાય છે.
ક
અનુપ્રેક્ષાકિરણ ૩
૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org