SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાભાવનો ધોતક પ્રભુનાં નામ, રૂપ, દ્રવ્ય અને ભાવ એ ચારેયમાં કરુણા ભરેલી છે. તેનો સાક્ષાત્કાર કરવો તે આત્માર્થી જીવોનું કર્તવ્ય છે, અન્યથા કૃતઘ્નતા અને અભક્તિ પોષાય છે. દુઃખી પ્રાણીઓનાં દુઃખનો નાશ કરવાની શક્તિ જેમાં હોય તે તત્ત્વ કરુણામય કહેવાય. પ્રભુના નામથી પાપ જાય છે અને પાપ જવાથી દુઃખ જાય છે. પ્રભુના બિમ્બથી પણ પાપ અને દુઃખ જાય છે. પ્રભુનું આત્મદ્રવ્ય તો કરુણાથી સમવેત-સમેત છે જ અને ભાવનિક્ષેપે તો પ્રભુ સાક્ષાત્ કરુણામૂર્તિ છે. એ રીતે પ્રભુની કરુણાનું ધ્યાન એ જ ભક્તિભાવની વૃદ્ધિનું સાક્ષાત્ કારણ છે. કરુણાભાવ એ શુદ્ધજીવનો સ્વભાવ છે અને તે નામ, સ્થાપના, દ્રવ્ય તથા ભાવ વડે અભિવ્યક્ત થાય છે-બહાર પ્રકટપણે દેખાય છે. નામાદિ ચા૨ નિક્ષેપો વડે શ્રી અરિહંતાદિ પાંચ પ૨મેષ્ઠિઓને થતો નમસ્કાર એ સર્વ પાપનો અને દુઃખનો નાશક હોઈ કરુણાભાવના પ્રભાવનો ઘોતક છે અને તેથી ભક્તિભાવનો વર્ધક છે. ‘નો' પદનું રહસ્ય ‘નમો’માં નમ્રતા છે, વિનય છે, વિવેક છે અને વૈરાગ્ય પણ છે, તપ સ્વાધ્યાય અને ઈશ્વરભક્તિ પણ છે, તેમ જ દુષ્કૃતની ગણં, સુકૃતની અનુમોદના અને શ્રી અરિહંતાદિનું શરણ પણ છે. નમવું એટલે માત્ર મસ્તકને નમાવવું એમ નહિ, પણ મનને, મનના વિચારોને, મનની ઇચ્છાઓને અને મનની તૃષ્ણાઓને પણ નમાવવી અર્થાત્ તેઓને તુચ્છ લેખવાં. માત્ર હાથ જોડવા એમ નહિ, પણ અંતઃકરણમાં એકતાની-અભેદની ભાવના કરવી. નમ્રતાનો અર્થ અહંભાવનો સંપૂર્ણ નાશ અને બાહ્યવિષયોમાં પોતાપણાની બુદ્ધિનો સર્વથા વિલય. કાંઈ ન થવાથી સર્વ કાંઈ થવાય છે. કાંઈ થવું એટલે સર્વથી વિખૂટુ પડવું. કાંઈ પણ ન રહેવું એટલે પરમાત્મતત્ત્વમાં મળી જવું. સમુદ્રમાં રહેવાવાળું બિન્દુ સમુદ્રની મહત્તા ભોગવે છે. સમુદ્રથી અલગ થઈને જ્યારે તે પોતાપણાનો દાવો ક૨વા જાય છે, ત્યારે તે તરત સુકાઈ જાય છે-તેનું અસ્તિત્વ ગુમાવે છે. ‘નમો’ પદમાં છુપાયેલું રહસ્ય શું છે તે આથી પ્રકટ થાય છે. નમસ્કારથી દર્શનની શુદ્ધિ થાય છે અર્થાત્ કર્મકૃત પોતાની હીનતા, લઘુતા યા તુચ્છતાનું દર્શન થાય છે અને પ૨માત્મતત્ત્વની ઉચ્ચતા, મહત્તા તથા ભવ્યતાનું ભાન થાય છે. તેથી અહંભાવનો ફોલ્લો ફૂટી જાય છે અને મમતાભાવનું પરુ નીકળી જાય છે. પરિણામે જીવને પરમશાન્તિનો અનુભવ થાય છે. એકાગ્રતાથી અર્થવિચાર સહિત જપ કરનારના સમસ્ત કષ્ટ દૂર થાય છે. मननात् त्रायते यस्मात् तस्मान्मन्त्रः प्रकीर्तितः । જેના મનનથી રક્ષા થાય છે તે મંત્ર છે. મનન અર્થાત્, ચિન્તવન તે મનનો ધર્મ છે. મનનો લય થવાથી ચિન્તારાશિનો ત્યાગ થાય છે. ચિત્તારાશિના ત્યાગથી નિશ્ચિતતારૂપી સમાધિ પ્રાપ્ત થાય છે. મન જ્યારે સર્વ વિષયોની ચિત્તાથી રહિત થાય છે અને આત્મતત્ત્વમાં વિલય થાય છે ત્યારે તે સમાધિ પ્રાપ્ત કરે છે. ૩૩૪ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy