________________
શ્રેષ્ઠવસ્ત્રાલંકારાદિ વડે પૂજન. સન્માન એટલે સ્તુતિ-સ્તોત્રાદિ વડે ગુણગાન. તેના પરિણામે બોધિ એટલે જિનધર્મની પ્રાપ્તિ. વંદન, પૂજન, સત્કાર સન્માન આદિ જ્યારે શ્રદ્ધા વડે થાય પણ બલાત્કારાદિ વડે નહિ, મેઘા વડે થાય પણ જડ ચિત્તથી નહિ, ધૃતિથી થાય પણ આકુળવ્યાકુળતાથી નહિ, ધારણાથી થાય પણ શૂન્યચિત્તે નહિ, તથા અનુપ્રેક્ષાપૂર્વક થાય પણ માત્ર ક્રિયારૂપે નહિ, ત્યારે તે ભાવરૂપ બને છે અને બોધિ તથા નિરુપસર્ગઅવસ્થાનું કારણ બને છે.
નવકારના પ્રથમપદનો અર્થ
નવકારના પ્રથમપદનો અર્થ એ છે કે-‘ä’‘હૈં’ અને ‘ગ' ને નમસ્કાર એ ત્રાણસ્વરૂપ છે. ‘અહિં’ એ પ્રભુની ધર્મકાયઅવસ્થાને કહે છે.
‘ગરö’ એ પ્રભુની કર્મકાયઅવસ્થાને કહે છે. ‘અહં’એ પ્રભુની તત્ત્વકાયઅવસ્થાને કહે છે. ધર્મકાયઅવસ્થા જન્મને જિતાવનારી છે. કર્મકાયઅવસ્થા જીવનને જિતાવનારી છે.
તત્ત્વકાયઅવસ્થા મરણને જિતાવનારી છે.
જન્મ, જીવન અને મરણ-એ ત્રણેય અવસ્થાઓ ઉપર જેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે તે ‘નિં’ છે. સંસ્કૃતમાં ‘અદ્વૈ’શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ત્રણ રૂપ બને છે, તે જ અનુક્રમે ‘હિં’, ‘દં’અને ‘T’
છે.
‘ફ્રૂ’શબ્દ બ્રહ્મ છે તેથી પરબ્રહ્મનો વાચક છે. પરબ્રહ્મ ચૈતન્ય પર સામાન્યથી એક રૂપ છે. તેને નમસ્કાર એટલે તદ્રુપપરિણમન. તે પરિણમન નિર્વિકલ્પ-ચિન્માત્ર-સમાધિરૂપ છે. તેથી તેમાં ભવનો બાધ થઈ જાય છે.
‘દં’, ‘દં’કે ‘અનં’ એ શબ્દો શુદ્ધ આત્મસ્વરૂપના બોધક હોવાથી શ્રુતસામાયિકની પ્રાપ્તિ કરાવે છે. શ્રુતસામાયિક એ સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિનું કારણ છે.
શ્રી અરિહંતોને ભાવથી થતો નમસ્કાર એ સમ્યક્ત્વ સામાયિકરૂપ છે, કેમ કે તેમાં આત્મતત્ત્વની અભેદભાવે પ્રતીતિ છે.
એ પ્રતીતિનું ફળ સર્વવિરતિસામાયિક, અપ્રમત્તભાવ અને અકષાયભાવની પ્રાપ્તિ કરાવી પરંપરાએ તે સયોગી અને અયોગી કેવલિ અવસ્થાને અપાવે છે.
તેથી તેમાં સાધુનમસ્કાર અને સિદ્ધનમસ્કાર આવી જાય છે.
ભાવનમસ્કાર એ એક અપેક્ષાએ સંગ્રહનયનું સામાયિક છે. તેમાં સ્વરૂપાસ્તિત્વ અને સાદશ્યાસ્તિત્વરૂપે આત્મતત્ત્વની એકતાનું ભાન થાય છે. એ ભાન અનાદિઅજ્ઞાન ગ્રંથિનો છેદ કરે છે. અનાદિ અજ્ઞાન ગ્રંથિનો છેદ થવાથી કુદેવ, કુગુરુ અને કુધર્મમાં સુદેવ, સુગુરુ અને સુધર્મની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી અને અનંતાનુબંધી કષાયજન્ય હિંસાદિ પાપસ્થાનોનું સેવન થતું નથી.
વળી સુદેવ, સુગુરુ અને સુધર્મ તથા ત્રણ તત્ત્વોને માનનાર શ્રી ચતુર્વિધસંઘ અને સાધર્મિકોની ભક્તિમાં પ્રમાદ થતો નથી.
ચૈતન્ય પર સામાન્ય વડે આત્મતત્વની એકતાનો બોધ થતો હોવાથી વૈર-વિરોધનો નાશ થાય છે, સમગ્ર જીવરાશિ ઉપર સ્નેહ-પરિણામની વૃદ્ધિ થાય છે, દાન, દયા, પરોપકારાદિ ગુણોનો વિકાસ સહજ બને છે અને
૩૨૬
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org